Sunday, July 5, 2020

મોદીએ લીધી LAC ની મુલાકાત ! જાણો એમાં શું છે ખાસ ??? ~ અમિત ગીરી ગોસ્વામી

આજની વાત શરૂ કરતાં પહેલાં આપણે જાણી લઈયે કે શું છે આ LAC ??? ભારત અને ચીન વચ્ચે જે જે જગ્યાએ સરહદ આવેલી છે એ સરહદ એલ એ સી તરીકે ઓળખાય છે ! જે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાય છે ! લડાખ (કેન્દ્ર શાસિત પ્રદેશ), હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ ઉતરા ખંડ અને સિક્કિમ આમ ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એમ પાંચ જગ્યાએ ચીન સાથે ભારત ની જે સરહદ જોડાયેલી છે એને આપડે એલ એ સી તરીકે ઓળખીએ છીએ જેની કુલ લંબાઈ ૪૦૫૬ કિલોમીટર જેટલી છે !

ગઈકાલે સવારે મોદીજીએ ઓચિંતી ત્યાંની મુલાકાત લેતા ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ના ભણકારા વાગી ચુક્યા છે એવો માહોલ આખા દેશ માં ન્યુઝ ચેનલોને ગજવી દીધો છે ! પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી "ભારત અને ચીન વચ્ચે લડાઈ થશે નહિ..!" તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો ને ?? તો હું મારી વાતને હજુ થોડીક સરળ રીતે સમજાવું !

જ્યારથી ભારત અને ચીન વચ્ચે ગલવાન વેલી માં તણાવ વધ્યો છે ત્યારથી ચીન એ જગ્યા પર આર્ટિલરી સપોર્ટ વધારી દીધો છે, એના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતે પણ વધારાના ૨૦,૦૦૦ જવાનો તહેનાત કર્યા છે, પણ ચીન ક્યારેય ભારત સાથે યુદ્ધ કરશે નહિ આ વાત હું જાણું છું !



ચીન દ્વારા ભારતની સરહદ પર આર્મી ની ટ્રકો અને આર્મીના જવાનો ને રહેવા માટે ટેન્ટ બાંધ્યા હોઈ એવા ફોટાઓ જે ઉપગ્રહ તસવીરો ના માધ્યમ થી આપડે વિવિધ સોશ્યલ મીડિયામાં જોયા જ હશે !

જે લોકો થોડું પણ "વોર ફેર" ના નિયમો જાણે છે અથવા તો જેને કહી શકાય કે ડિફેન્સ એક્સપર્ટ છે એવા લોકો ને તમે પૂછશો તો એ પણ આ જ જવાબ આપશે કે ચીન ક્યારેય યુદ્ધ નહિ કરે ! ચીન માત્ર "છમકલા" કરવામાં માને છે "આરપાર ની લડાઈ" માં નહિ !

પૂર્વી એશીયાઇ દેશોમાં માં ભારતના વધતા કદ અને વિશ્વ આખામાં ભારતની જે પ્રકારે વૈશ્વિક છબી હકારાત્મક બની રહી છે એ બાબતે ચીન ના પેટ માં તેલ રેડાયું છે ! ચીન જાણે છે કે ભારત પાસે એવા સેટેલાઇટ છે જે તેના પર નજર રાખે છે એટલા માટે જ તેણે પોતાના ટ્રકો અને જવાનોના ટેંટ બાંધ્યા છે, એ જાણે છે કે ભારત આ તસવીરો જોશે અને યુદ્ધ કરવા માટે શરૂઆત કરશે !

પણ ભારત ની હંમેશા ખાસિયત રહી છે કે ભારત તરફથી ક્યારેય યુદ્ધ અંગે પહેલ કરવામાં આવશે નહિ, ચીન ની ચાલ એ છે કે ભારત ની સરહદ પર તણાવ વધારીને વૈશ્વિક મીડિયામાં ચીન વિશે ચાલતા કોરોના ના સમાચારોથી વિશ્વને આ બાબત માં ગુમરાહ કરવાનું એક ષડયંત્ર છે ! ભારત અને ચીન વચ્ચે આવો ઉગ્ર તણાવ વધે એટલે કોરોના ની વાતો થવાની બંધ થઈ જાય ! આ છે ચીન નો અસલી મનસૂબો !

જે સૈનિકો લડવા માટે આવ્યા છે એ સૈનિકો તંબુ માં નિવાસ કરે ?? જવાબ છે ક્યારેય નહી ! કેમ કે જ્યારે પણ સૈનિકો તંબુ માં નિવાસ કરતા હોઈ અને દુશ્મનો દ્વારા આર્ટિલરી ફાયરિંગ કરવામાં આવે કે હોવિતઝર તોપ દ્વારા બોંમ્બિંગ કરવામાં આવે તો એક પણ સૈનિક જીવતો બચવાની શક્યતા શૂન્ય બરાબર છે ! કેમકે જેવા આર્ટિલરી શેલ તંબુ પર ફાટે એટલે થોડી જ વાર મા બધા તંબુઓ આગની લપક માં આવી જાય ! તો શું ચીન ના સૈનિકો આ વાત નથી જાણતા ??? એ લોકો ખાલી ભારતને ઉશ્કેરવા માટે વારે ઘડીએ આવા હથકંડાઓ અપનાવે છે !!

પણ આપડા સૈનિકોના સંયમ ને પણ દાદ આપવી જોઈએ કે આટલી ઠંડી માં પણ પોતાની ફરજ પ્રત્યે જરા પણ ચૂક કરતા નથી !

આ બધા તણાવો વચ્ચે આપડે જોયું કે મોદીજીએ આપડા પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) એવા બિપીન રાવત સાથે આ વિવાદ વાળા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી અને સૈન્ય નું મનોબળ વધાર્યું !!



આ મુલાકાત ના શું પરિણામો આવશે ???

➡️ ભારતના સૈનિકો નું મનોબળ દ્રઢ થશે ! એમને થશે કે ભારત ની ૧૩૦ કરોડ ની જનતા અમારી સાથે છે ?

➡️ ચીનની વિસ્તારવાદી નીતિઓ વૈશ્વિક મીડિયામાં ઉઘાડી પડશે !

➡️ ભારતની કૂટનીતિક વ્યૂરચનાઓ સફળ થશે !

➡️ ગલવાન વેલી પર ભારતનો જ કબ્જો છે એ વાત વિશ્વ પણ સ્વીકારશે.

➡️ ચીન ની આર્મી પી.એલ.એ ( આના વિશે વધુ સ્પષ્ટતા માટે મારી આગળ ની ચીન વાળી પોસ્ટ વાંચવી ) પર મનોવૈજ્ઞાનિક દબાવ ઊભો થશે !

➡️ ચીનના લોકોનો પોતાની સરકાર પ્રત્યે અસંતોષ વધશે !

➡️ ભારતનું વૈશ્વિક કદ હજુ મોટું થશે

➡️ વિશ્વના દેશો ભારત પ્રત્યે હકારાત્મક વલણ દાખવશે

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...