Wednesday, July 8, 2020

"ભારતના જેમ્સ બોન્ડ : અજિત કુમાર ડોભાલ"

પાંચ હાથ પૂરા એવું કદ, વિશાળ લલાટ, માથા પર આછા વાળ, મોટી મોટી આંખો, ચહેરા પર રીમ લેસ ફ્રેમ વાળા ચશ્માં, સિંહ જેવી ચાલ, મુખ પર અનેરું તેજ ! આટલી પૂર્વ ભૂમિકા બસ છે !
આજે વ્યક્તિ વિશેષ વિભાગની શુભ  શરૂઆત આપણે ભારતની આ મહાન હસ્તી સાથે કરીશું...! આમ તો આ મહાનુભાવ કોઈ ઓળખાણ ના મોહતાજ નથી પણ અહી આજે આપણે એના વિશે જાણવાનો પ્રયાસ કરીશું ! આશા છે તમને આ લેખ ગમશે !!

નામ: અજિત કુમાર ડોભાલ ( અજિત ડોભાલ ના પિતા પણ આર્મીમાં હતા. આથી જ રાષ્ટ્રવાદ તેમની નસોમાં - લોહીના કણ કણમાં વહેતો જોવા મળે છે )
વર્તમાન પદ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG)
જન્મતારીખ : ૨૦ જાન્યુઆરી ૧૯૪૫
જન્મસ્થાન : પૌડી ગઢવાલ (ઊતરા ખંડ)
હાલની ઉંમર : ૭૩ વર્ષ
પ્રારંભિક શિક્ષણ : અજમેર ની મીલીટરી સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું
અનુસ્નાતક : આગ્રા વિશ્વવિદ્યાલય માથી અર્થશાસ્ત્ર માં એમ.એ કર્યું છે, ત્યાર બાદ આઇપીએસ ની તૈયારી માં લાગી ગયા, ૧૯૬૮ માં કેરલ કેડર માથી આઇપીએસ તરીકે પસંદ થયા. ત્યારબાદ ૧૯૭૨ IB માં જોડાઈ ગયા હતા.

જ્યાં સુધી તેઓ ભારતના પાચમાં NSA નહોતા બન્યા ત્યાં સુધી ભારતની સામાન્ય જનતાને NSA એટલે શું એ ખબર જ ન હતી. ત્યાં સુધી કે સાચું કહું તો મને પણ ખબર નહોતી. વાસ્તવમાં તેમણે જ આ પદ ની ગરીમામાં વધારો કર્યો છે.

સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ કે ભારતમાં 2001 માં લોકતંત્રની જનની એવી સંસદ પર ચાલુ સત્ર વખતે આતંકવાદી હુમલો થયો ત્યાર બાદ 2008 માં મુંબઇ હુમલો થયો પરંતુ ભારતે ક્યારેય "ઇઝરાયલ જેવી વળતો જવાબ" આપવાની કાર્યવાહી ક્યારેય નહોતી કરી તે "વળતો જવાબ પ્રણાલી" ની શરૂઆત કરી.

૨૦૦૫ માં તેઓ IB ઇન્ટેલિજન્સ બ્યુરો ના ચીફ પદેથી રિટાયર થયા હતા.

બહુ ઓછાં લોકો જાણતા હશે કે તેઓ પાકિસ્તાનમાં ૭ વર્ષ સુધી ધર્મ બદલાવીને ભારત માટે ગુપ્તચર નું કામ કરતા હતા, આના વિશે તેઓ પોતાના એક પ્રવચન માં વાત કરે છે, જે વીડિયોની લીંક નીચે આપેલી છે 👇
https://youtu.be/vZ0npduQfQA

અજિત કુમાર સારા એવા લેખક પણ છે, તેઓ અવાર નવાર ભારતના જુદા જુદા અખબારો માં લખતાં રહે છે ! વર્ષ ૧૯૮૯ માં જ્યારે અમુક ખાલિસ્તનીઓ પંજાબ ના સ્વર્ણ મંદિર માં કબ્જો જમાવી ચૂક્યા હોઈ છે ત્યારે, એમને ખદેડી મુકવા માટે જે "ઓપરેશન બ્લેક ઠંદર" હાથ ધરવામાં આવેલું જેની આગેવાની અજિત ડોભાલ એ કરેલી હતી.

 1975 માં સિક્કિમ રાજ્યને ભારતમાં ભેળવવાના કાર્યનો યશ પણ તેમને ફાળે જ જાય છે.1971 થી 1999 સુધીમાં તેમની સતર્કતાને લીધે લગભગ 15 જેટલા હવાઈ જહાજને હાઇજેક થતાં પહેલાં જ અટકાવી શકાયા છે.

ભારત ના સૌપ્રથમ ક્રોસ બોર્ડર ઓપરેશન તરીકે 2015 માં ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ક્રોસ કરીને મ્યાનમારમાં કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન વખતે શ્રી ડોભાલ સરે વ્યુહાત્મક કામગીરી બજાવી હતી.

ઉત્તર પૂર્વના મિઝોરમ રાજ્યમાંથી ચીન સમર્થક બળવાખોર જૂથોને નેસ્તનાબૂદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.


ઉરી ફિલ્મમાં પરેશ રાવલે જે ભૂમિકા ભજવી  છે તે વાસ્તવમાં અજિત ડોભાલ સર જ છે.


૩૦ મે ૨૦૧૪ ના રોજ ભારતની કેન્દ્ર સરકારે અજિત ડોભાલ ને ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા જ આજ સુધી કાર્યરત છે !

2017 માં ચીનના દોકલામ વિવાદને નિવારવા માટે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી.

દેશના લોકોનું સૌથી વિશેષ ધ્યાન તેમની તરફ ત્યારે ખેંચાયું જ્યારે પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક  કરવામાં આવી !

આ સિવાય પી.ઓ.કે માં કરેલી એર સ્ટ્રાઈક માં પણ તેમની ખૂબ મોટી ભૂમિકા રહેલી હતી.

વર્ષ ૧૯૯૯ માં જ્યારે આંતકવાદીઓ દ્વારા ભારતનું વિમાન IC-814 નું અપહરણ કર્યું હતું ત્યારે ભારત તરફથી જે પ્રતિનિધિ મંડળ કંધાર માં વાટાઘાટ માટે ગયું હતું તેમાં એક અજિત ડોભાલ પણ હતા.

આ સિવાય ૨૦૧૪ માં ભારતની ૪૬ નર્સ જે ઈરાક માં ફસાયેલી હતી એને ભારત પરત લાવવામાં માં પણ એમની મુખ્ય ભૂમિકા રહેલી છે ! ( અક્ષય કુમારની ફિલ્મ એરલીફટ આના પર જ આધારિત છે ).

પોતાની ઉમદા સેવાઓ બદલ તેઓ પોલીસ મેડલ પ્રાપ્ત કરવા વાળા સૌથી નાની ઉંમર ના વ્યક્તિ હતા. આ સીવાય તેમને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ દ્વારા નવજાયા છે જે સામાન્ય રીતે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ ના રોજ એનાયત કરવામાં આવે છે ! વર્ષ ૧૯૮૮ માં તેમને સૈન્ય નું સૌથી બીજું સર્વોચ્ય એવું કીર્તિ ચક્ર મેડલ પણ આપવામાં આવ્યું છે !

આજે ૭૩ વર્ષની ઉંમરે પણ અજિત કુમાર ડોભાલ કોઈ યુવાન ને શરમાવે એવી સ્ફૂર્તિથી દેશ માટે વર્ષના ૧૨ મહિના સપ્તાહ ના ૭ દિવસ અને દિવસના ૨૪ કલાક સતત કામ કરે છે !

તો આ હતી ભારતના જેમ્સ બોન્ડની કહાની ! આગામી સમયમાં ભારતની બીજા કોઈ વ્યક્તિ વિશેષ વાત કરીશું !!
( આ લેખને સફળ બનાવવા માટે પૂરક માહિતી અજય ગીરી ગોસ્વામી તરફથી પૂરી પાડવામાં આવી છે ).

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો

2 comments:

  1. Are wah.....avu lkhta rho...n janavta rho....રજૂઆત શૈલી ખૂબ સુંદર...માહિતી સભર લેખ...વ્યક્તિ વિશેષમાં હજુ આવા રીયલ હિરો વિશે વાંચવાની રાહ રેહશે....

    ReplyDelete

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...