Saturday, July 4, 2020

સંબંધ ~ માણસ ની જરૂરિયાત કે મજબૂરી ???

"સંબધ એમની જરૂરિયાત છે, જે એકલા રહી નથી શકતા ! - ઓશો"

માણસ એક સામાજિક પ્રાણી છે ! એટલે એને સમાજ માં રહેવું ગમે છે, માણસોની વચ્ચે સતત રહેવું એ એની આદત છે ! માણસ સામાજિક પ્રાણી છે પણ જંગલ માં વસતા અન્ય પ્રાણી જેવું નથી ! જંગલી પ્રાણીઓ એકલા રહી શકે છે, મોજથી જીવી શકે છે ! પણ આ ચોપગુ સામાજિક પ્રાણી એકલું રહી શકતું નથી !

એકાંત એ વિચારવા માટે સારી જગ્યા છે, રહેવા માટે નહિ !!!

જે લોકો ખરેખર એકલા રહી શકતા નથી, એ લોકો જીવનનો માણવા જેવો "નિજાનંદ" નો લહાવો ગુમાવે છે ! સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે દિવસમાં એક વખત માણસે પોતાની સાથે વાત કરવી જોઈએ ! આનો મતલબ એવો નથી કે અરીસામાં જોઈને પોતાની સાથે વાતો કરવી ! આનો સીધો અને સરળ અર્થ એવો છે કે દિવસમાં અડધો કલાક એવો હોવો જોઈએ જે માત્ર ને માત્ર તમારો હોવો જોઈએ ! આ સમય માં કોઈ પણ કામ નહિ કરવાનું બસ ખાલી મૌન ધારણ કરીને કોઈ એક જગ્યાએ બેસી જવાનું અને પોતાના અંતરાત્મા સાથે સંવાદ કરવાનો !

"સમાધિ લાગી તો એકલતામાં પણ મેળો, ન લાગી તો મેળામાં પણ એકલો !"

માણસ જ્યારથી જન્મ ધારણ કરે ત્યારથી જ વિવિધ સંબધ થી ઘેરાય જાય છે ! માતા,પિતા,ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી, મોટા બાપુ, મોટી માં, ફૂઈ, ફુવા, નાના, નાની, મામા અને મામી ! આ સિવાય પણ અઢળક સંબધો વચ્ચે આપણે જીવતા હોઈએ છીએ !


અને આ બધા સંબંધો ની ઉપર આવે છે "મિત્રતા" નો સંબંધ ! ઈશ્વર જે લોકોને આપડી સાથે લોહીના સંબંધો થી જોડવાનું ભૂલી ગયા છે એમને મિત્રો ના સ્વરૂપે આપડી પાસે મોકલે છે ! મિત્રોની વાત કરી તો દુશ્મનો ને કેમ ભૂલી શકાય ??? દુશ્મની પણ એક સંબંધ જ છે, ચાણક્ય દુશ્મનો વિશે એવું કહેતા કે સફળ થવું હોય તો મિત્રો હોવા જોઈએ અને વધુ સફળ થવું હોઈ તો તમારી આજુ બાજુ દુશ્મનોની સંખ્યા વધુ હોવી જોઈએ !!

આ આપડી એક પૂર્વધારણા જ છે કે આપડે એકલા ન રહી શકીએ ! પણ હકીકતે એવું નથી, તમે સમાજ માં નજર ઘૂમાવશો તો તમને ઘણા એવા લોકો જોવા મળશે કે એ એકલા જ હશે, અને તાજ્જુબ ની વાત તો એ છે કે આ લોકો અન્ય કરતા વધુ ખુશાલી વાળું જીવન જીવતા જોવા મળશે !

કોલેજ, યુનિવર્સિટી ના પ્રોફેસર મોટે ભાગે સિંગલ હોઈ છે ( આવું મારા મંતવ્ય મુજબ કહું છું ! બની શકે તમારો પ્રતિભાવ અલગ હોઈ શકે ) આનું કારણ એ હોઈ છે કે એ લોકો વાંચન કરતા કરતા એટલા બધા આગળ વધી ગયા હોઈ છે કે પછી એમને કોઈ એની લાઈફ કંટ્રોલ કરે એ એમને પસંદ નથી હોતું ! પરિણામે એ લોકો હંમેશા પોતાના નિજાનંદ માં જ મસ્ત રહેતા જોવા મળતા હોઈ છે !

કોઈ પણ માણસ સતત એકલો નથી રહી શકતો આવું હું નથી કહેતો મનો વિજ્ઞાન કહે છે ! એટલે જ તો આપડા ભારત માં કોઈને હવે એકાંત કેદ ની સજા કરવામાં નથી આવતી ! પહેલા પણ જ્યારે એકાંત કેદ ની સજા કરવામાં આવતી તો એનો સમય મહત્તમ સમય ૯૦ દિવસ નો હતો ! આ ૯૦ દિવસનો સમયગાળો પણ સળંગ ન હતો એને પણ જુદા જુદા ભાગ માં વહેચી દેવામાં આવતો હતો !


તો આપણે એવો સવાલ થાય કે આ બધા સાધુ અને સન્યાસી એકલા કેમ રહી શકતા હશે ??? અરે ભાઈ લોકોના આવા અલગ અલગ ચહેરા વાળા સમાજ માં રહીને તો એ કંટાળી ગયા અને સન્યાસ ધારણ કર્યો ! મજાક કરી છે !!! હકીકતે એવું નથી !

કોઈ પણ માણસ ભલે એ સન્યાસી ન પણ હોઈ, જ્યારે એક હદથી વાંચન અને લેખન માં સામાન્ય માણસથી આગળ વધી જાય છે પછી એ લોકોનો બુદ્ધિ આંક એટલો વધી જાય છે કે એ લોકોને પોતાના જીવનમાં બીજા લોકોનું ડિસ્ટર્બન્સ પસંદ નથી હોતું ! તમે એવા ઘણા કલાકાર જોયા હશે જ જે એકલા જ હોઈ છે ઘણી વાર તો મૃત્યુ સુધી એકલા જ હોઈ છે !!


એકલું રહેવું જોઈએ કે નહિ ?? આ સવાલ પર દરેક નો વિચાર અલગ અલગ જ હોવાનો ! પણ હું બુદ્ધ ભગવાન ના મધ્યમ માર્ગ માં માનું છું બહુ એકલા પણ નહિ અને બહુ સામાજિક પણ નહિ બન્નેની વચ્ચેનો રસ્તો કાઢવાનો ! આખા દિવસમાં હું એક થી દોઢ કલાક એવો કાઢું જેમાં મને ડિસ્ટર્બ કરવા વાળું ન હોઈ ! મોબાઈલ પણ સ્વીચ ઓફ કરીને મૂકી દેવાનો એટલે કોઈ ફોન પણ ન કરે ! અહી ઘણાને એવો પ્રશ્ન આવે કે ઇમરજન્સી કામ હોઈ તો ??? ભાઈ દુનિયામાં ઇમરજન્સી જેવું કશું હોતું જ નથી, જો બહુ ઇમરજન્સી જેવું હોઈ તો એ લોકો પાસે તમારી સાથે કે આજુ બાજુ માં રહેતા હોઈ એવા લોકોના પણ નંબર હશે જ, તમારો ફોન સ્વીચ ઓફ હશે તો એ લોકો તમારી આજુબાજુ વાળા ને ફોન કરી દેશે એટલે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી !

હું ઘણી વખત મારા ઘરની અગાસી માં એકલો એકલો બેઠો હોવ ! તો મારા મિત્રો ઘરે આવીને પૂછે અમિત ગીરી ક્યાં છે ??? એટલે મારા મમ્મી કહે ઉપર અગાસી માં "એકલો" બેઠો છે ! એટલે મિત્ર ઉપર આવીને કહે એલા અહી એકલો એકલો શું બેઠો છો ?? હાલ કેરમ રમવા ! એ પૂછે એકલો કેમ બેઠો છો એટલે હું જવાબ આપુ ભાઈ એકલો ક્યાં બેઠો છું ??? હું તો એકાંત માં બેઠો છું !! આવો જવાબ આપુ એટલે એ પણ બે ઘડી માથું ખંજવાળે અને પછી કયે તારી વાત સમજાય એવી નથી ! એટલે હું હસતાં હસતાં કહું ભાઈ રેવા દે, બધા સમજી જશે તો  મારી કોઈ કિમંત નહિ રહે ! માહિતી બધા પ્રાપ્ત કરી શકે, જ્ઞાન કોઈ કોઈ વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે ! અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા "પાત્રતા" કેળવવી પડે ! જેમ ખાલી પડેલા પાત્ર માં જ તમે કોઈ ચીજ વસ્તુ ભરી શકો એમ ખાલી મગજ માં જ નવા વિચારો ઉત્પન્ન થઈ શકે ! આ મગજ ખાલી કરવાની કળા દરેક લોકો માં નથી હોતી !

મોબાઈલ માં ડેટા વધુ થઈ જાય તો "ડિલીટ" કરીને જગ્યા વધારી શકાય !! પણ મગજ માં ભરાયેલા કચરાને ડિલીટ કરવા માટે ઉપરવાળાએ કોઈ સુવિધા નથી આપી ! આ મગજ ના કચરાને ડિલીટ કરવા માટે ચિંતન અને મનન ની પ્રક્રિયા કરવી પડે ! વિચારો પર કાબૂ કરવો પડે !!

2 comments:

  1. જબરદસ્ત લેખ....ગીરીબાપુ.....ખૂબ જ સુંદર

    ReplyDelete

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...