Tuesday, July 14, 2020

ખંત, ખમીર અને ખુમારી જેના લોહીમાં હોય ને આશરા ધર્મ જીવંત રાખવા હિટલર જેવા રાક્ષસની દુશ્મની વહોરનાર હાલારના રાજાની એક વિસરાયેલી શૌર્ય ગાથા

વ્યક્તિ વિશેષ ના પહેલા અંક માં આપણે ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ સાહેબ ને મળ્યા ! આજના આ વિશેષ અંક માં આપણે મળીશું જામનગર ના એક એવા રાજાને જેણે બીજા વિશ્વ યુધ્ધ ના સમય માં પોલેન્ડ ના બાળકોને "બાપ" બનીને સાચવ્યા હતા ! અને આ વાતની સાબિતી આજે જામનગર નજીક  બાલા ચડીમાં આવેલી સૈનિક સ્કુલ આપે છે !! વ્યક્તિ વિશેષ માં એવા વ્યક્તિ ને રજૂ કરવાનો પ્રયાસ છે કે જેના પરાક્રમો ઇતિહાસ માં ક્યાંક છુપાઈ ગયા છે જેને મારે ઉજાગર કરવા છે !!

તો વાત છે ૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ની જ્યારે જર્મન સેનાએ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું, આ બીજા વિશ્વ યુધ્ધ ની શરૂઆત હતી ! ૧૭ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ પોલેન્ડ ના બચેલા હિસ્સા પર સોવિયત સંઘ ( હાલનું રશિયા ) એ હુમલો કરી દીધો ! આક્રમણકારો નો ઈરાદો એ હતો કે પોલેન્ડ નું નામ વિશ્વ ના નકશા માથી હંમેશા હંમેશા માટે ગાયબ થઈ જાય !

જર્મન અને સોવિયત સંઘ ના સૈનિકોએ પોલેન્ડ ના નાગરિકો પર દમન શરૂ કરી દીધું ! નિશસ્ત્ર નાગરિકો ને પરાણે આંતકવાદી ઘોષિત કરવામાં આવ્યા તેમના પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો, મજૂરો ની જેમ ગુલામી કરાવવામાં આવી, અને અહીંના નાગરિકો ને સોવિયત સંઘ ના દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરવા માટે મજબૂરી થી મોકલવામાં આવ્યા !

જે લોકો કેદમાંથી છૂટયા એમની પાસે પણ વસવાટ કરવા માટે કોઈ ઘર ન્હોતું, તેમની સંપત્તિ પણ ન બચી હતી ! વિચારો કેવી ભયાનક પીડા હશે પોલેન્ડ ના લોકોની ! હું આ લખું છું તો પણ મને એક ક્ષણ માટે ધ્રુજારી આવી જાય છે ! ભયનું એક લખલખું શરીર માથી પસાર થઈ જાય છે ! આંખ બંધ કરીને આ દ્રશ્ય ને મહેસૂસ કરવાની કલ્પના કરી જુઓ, તમારી આંખ ખુલી જશે !!

પણ આવા આ ક્રૂર અને ખોફનાક સમયમાં પણ અમુક એવા દેશો હતા જે દરિયાદિલી દેખાડવામાં પાછા પડે એવા નહોતા ! પોલેન્ડના લોકોને વસવાટ કરવા માટે ઘણા દેશોએ પોતાના સરહદી રસ્તાઓ ખોલી નાખ્યાં હતાં ! એમાંનું એક હતું "નવાનગર સ્ટેટ" જે હાલ જામનગર તરીકે ઓળખાય છે ! અને જેને હું મારું "જોરદાર જામનગર" કહું છું !

અને આવી દરિયાદિલી દાખવનાર હતા જામ દિગ્વિજયસિંહ જી ! જેમણે પોલેન્ડ ના લગભગ લગભગ ૧૦૦૦ લોકો ને "બાપ" બનીને સાચવ્યા હતા ! આ લોકોને એક છતર પૂરું પાડ્યું હતું, એમણે આ બાળકોની અને એમના ભવિષ્ય ની ચિંતા કરી હતી ! આવી દરિયાદિલી છે મારા "જામનગરના જામસાહેબ ની !"



ક્ષત્રિય ધર્મ શું છે ??? એ જાણવું હોઈ તો તમારે આ ઘટના ફરજીયાત પણે જાણવી જ પડે ! આ ઘટના વિશે ભારત અને ગુજરાત માં પણ બહુ લખાયું કે ચર્ચાયું નથી ! મારો નાનકડો પ્રયાસ છે કે આ વાત ને દરેક ગુજરાતી અને ભારતવાસી સુધી પહોંચાડી જેથી લોકોને ખ્યાલ આવે કે ખરેખર ક્ષત્રિય ધર્મ શું છે ???



 જામ રણજીતસિંહ ના પુત્ર ( જામ રણજીતસિંહ કોઈની ઓળખાણ ના મોહતાજ નથી આજે પણ ભારતમાં જેના નામ પર રણજી ટ્રોફી રમાય છે એ મારા જામનગર ના રાજા ) એવા જામ દિગ્વિજયસિંહ નો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૮૯૫ માં થયો હતો અને ૭૦ વર્ષની વયે બોમ્બે માં ૨ માર્ચ ૧૯૬૬ ના રોજ અવસાન થયું હતું !

આજે જામનગર માં જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી આવેલી છે એ શાળા નું નામ પણ "શ્રી દિગ્વિજયસિંહ જી ન્યુ સરકારી હાઇસ્કુલ" છે ! અને મને ગર્વ છે કે મે મારા શાળાકીય જીવનના ૩ મહામૂલા વર્ષ (ધોરણ ૮/૯/૧૦) આ શાળા માં ભણીને વિતાવ્યા છે એટલે આ શાળા સાથે દિલથી લગાવ છે !

વર્ષ ૨૦૧૬ માં આ ઘટનાને ૫૦ વર્ષ પૂરા થયા હતા. પોલેન્ડ ના લોકો આજે પણ ગર્વથી કોઈ ભારતીય વ્યક્તિ ને યાદ કરતા હોઈ તો એ છે મારા જામનગરના "જામ દિગ્વિજસિંહ" !

જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન અને સોવિયત સંઘના સૈનિકો એ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું ત્યારે પોલેન્ડની  ૫૦૦ મહિલા અને ૨૦૦ બાળકો ભરેલું એક જહાજ દરિયામાં ભાગવા લાગ્યું પોતાના નાગરિકો નો જીવ બચાવવા માટે ! આ જહાજ ના કેપ્ટન ને આદેશ આપવામાં આવ્યો કે જહાજ ને કોઈ પણ દેશ માં લઇ જાવ જ્યાં આ સ્ત્રી અને બાળકોને શરણ મળે !


૭૦૦ નાગરિકો વાળું જહાજ ઘણા બધા દેશોના બંદર પહોંચ્યું જેમાંથી એક હતું ઈરાન નું શિરફ બંદર, આ બંદર એ નાગરિકોને શરણ તો શું નાગરિકોને ઉતરવાની પણ મનાઈ ફરમાવી દીધી ! કેટલી નિષ્ઠુરતા ??? પછી આ જહાજ  સેષ્લસ અને યમન ના બંદર પર પહોંચ્યું, ત્યાં પણ આ લોકોને ધુત્કારવામાં આવ્યા !!

ઘણા દિવસો સુધી દરિયામાં રજળપાટ કર્યાં બાદ આ જહાજ પહોંચે છે ગુજરાત ના એક મહત્વના એવા જામનગર ના બંદર પર ! એ સમયમાં જામનગર ના રાજા હતા "જામ દિગવિજયસિંહ" તેમને આ લોકોની વ્યથા ખબર પડી એટલે એમણે તરત જ આ લોકોને બધી સુવિધાઓ પૂરી પાડી અને કીધું ! "હું આ જગ્યાનો "બાપ" છું એટલે આજથી હું તમારો પણ બાપ છું !"

બાપુએ મહિલાનો વસવાટ પોતાના હવામહેલ તરીકે ઓળખાતા મહેલમાં કરાવ્યો અને એમના બાળકોને અભ્યાસ ની સુવિધા પૂરી પાડવા બાલચડી ખાતે આવેલી શાળા માં મોકલી આપ્યા !



આ શરણાર્થીઓ જામનગર માં કુલ ૯ વર્ષ રહ્યા ! અને આ બાળકોમાંથી એક બાળક આગળ જતાં પોલેન્ડ નો પ્રધાનમંત્રી પણ બન્યો !

આજે પણ આ શરણાર્થીઓ ના બાળકો જામનગર આવે છે અને આ ઘટનાને યાદ કરતા રડી પડે છે ! પોલેન્ડની રાજધાની એવા વોર્શો શહેર માં ઘણા રાજમાર્ગો નું નામકરણ જામનગર ના આ નેકદિલ નામદાર એવા "જામ દિગવિજયસિંહ" ના નામ પર કરવામાં આવ્યું છે !! વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના નું સાચું ઉદાહરણ આ ઘટનાને કહી શકાય !

આ એક એવી ઘટના છે જેને ગુજરાત અને ભારતના તમામ રાજ્યોના પાઠ્યપુસ્તકો માં સ્થાન મળવું જોઈએ પણ કમનસીબી છે કે આ અમૂલ્ય ઇતિહાસ આજે ક્યાંક કાલના ગર્ત માં છુપાઈ ગયો છે ! એને ઉજાગર કરવા જ આજનો આ લેખ લખ્યો છે !

બાપુની આ અસાધારણ સેવા અને વીરતા બદલ પોલેન્ડ ની સરકાર દ્વારા તેમને " Commander’s Cross of the merit " સનમાન આપવામાં આવ્યું હતું જે પોલેન્ડ નું સૌથી સર્વોચ્ય સનમાન છે !!
( લેખ નું શીર્ષક અને સંકલન: અજયગીરી ગોસ્વામી તરફથી)

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો !

5 comments:

  1. જામનગર ના મહારાજા શ્રી જામ રણજીતસિંહ ને કોટી કોટી વંદન !

    ReplyDelete
  2. જામનગર ના મહારાજા શ્રી જામ દિગ્વિજયસિંહ નો જય હો !

    ReplyDelete

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...