Tuesday, December 15, 2020

" ઘર : મારી નજરે ! "


"ધરતી નો છેડો ઘર" આ કહેવત બાળપણ માં ખુબ સાંભળેલી. પણ આ શબ્દોનું મહત્વ એ લોકો જ સમજી શકે જે પોતાના ઘરથી દૂર રહેતા હોય. ઘરથી દૂર રહેવું એ ઘણા લોકો માટે મજબૂરી હોય છે તો ઘણા માટે આનંદ પણ હોય શકે !


આનંદ એવા લોકો માટે હોય શકે, જેમણે આ દુનિયાનો સંસાર નો અને ઘર પરિવાર નો ત્યાગ કરી દિધો હોય. જેમને આંતરિક આનંદ ની પ્રાપ્તિ માટે બધા જ સંબંધો નો ત્યાગ કરીને સાધુનો ભેખ ધારણ કર્યો છે એવા લોકો માટે ઘરથી દૂર રહેવું એ આનંદ ની વાત છે. સાધુઓ માટે તો સમગ્ર વસુધા એમનું ઘર જ છે. એમના માટે ઘર એ કોઈ સ્થૂળ વસ્તુ નથી એ લોકો સમસ્ત ભૂમિ ને પોતાનું આસન અને આકાશ ને પોતાની ચાદર સમજીને જીવતા હોય છે.


આ વાત તો સાધુ માટે છે. પણ જે લોકો એ આવા સંસાર નો ત્યાગ નથી કર્યો એમના માટે ઘર એટલે શું ???

ઘર એટલે દિવસ ભર તનતોડ, લમણા જીક, માથપાચ્ચી વાળા કામ કર્યા પછી આરામ કરવાની જગ્યા ! ઘર એટલે જ્યાં તમારો પડ્યો બોલ ઝીલી લેતી  એવી ભગવાન ની અદભૂત રચના "મા" ! ઘર એટલે તમારી સઘળી સમસ્યા પોતાના માથા પર લઈ લે અને એમ કહે " ચિંતા ન કર હું બેઠો છું" એવા પપ્પા ! ઘર એટલે જેની સાથે તમે બાળપણ થી યુવાની સુધી રમીને લડીને ક્યારેક અબોલા રાખીને મોટા થયા છો એવા ભાઈ બહેન. આમ ઘર એટલે ખરેખર સ્વર્ગ !!!


જ્યાં સુધી ઘરમાં હોઈએ ત્યાં સુધી ઘરનું મૂલ્ય ન સમજાય પણ નોકરી ઘર થી દુર કરતા હો અને અમુક અમુક પ્રસંગોએ ઘરે જવાનું મળે ત્યારે ખબર પડે કે ઘર કોને કહેવાય. નસીબ જેને પોતાના ઘરથી દૂર લઈ ગયું છે એવા લોકો તો કેલેન્ડર માં હંમેશા રજા શોધતા હોય છે કે ક્યારે રજા આવે ને મને મારા ઘરે જવા મળે ! ખરું કે નહિ ??


પાંચ સાત કે પંદર દિવસ ના પ્રવાસ પર ગયા હો તો પણ યાદ તો ઘર જ આવે ને ઘરે આવ્યા પછી પહેલા શબ્દો મોં માથી એ જ નીકળે કે "હાશ ! પાછા ઘરે આવી ગયા !"


तुम परिंदों से ज़ियादा तो नहीं हो आज़ाद ।

शाम होने को है अब घर की तरफ़ लौट चलो ।। इरफ़ान सिद्दीक़ी 


આ એક શેર માં ઘર શું છે એનો સમગ્ર ચિતાર કહી દેવામાં આવ્યો છે, તમે પક્ષી જેટલા આઝાદ નથી, સાંજ થવા આવી છે હવે ઘર તરફ વળો પાછા ! જે લોકો પોતાના જ ગામ કે શહેર ની આજુબાજુ માં જ કે જ્યાં રહેતા હોય ત્યાં જ નોકરી ધંધો કે વ્યવસાય કરતા હોય એવા લોકો સાંજ પડ્યે પોતાના ઘરે જઈ શકે, પણ જે પોતાના ઘરથી જોજનો કિલોમીટર દૂર નોકરી કરતા હોય એ આ સાંજ પડ્યે ઘરે જવાની મજા લઇ શકતા નથી !

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...