Sunday, May 31, 2020

હા હું ગુજરાત પોલીસ છું !



ફ્રન્ટ લાઈનકોરોના વોરિયર્સ છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
પ્રજાનો પહેલો મિત્ર છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
ટાઢ તડકો વરસાદ સહન કરું છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
થાક્યા વગર ૨૪ કલાક સેવામાં છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
મજૂરોને તેમના વતન પહોંચાડું છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
"ગીરી" ગુજરાતની જનતાને વંદન કરું છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
(આ કવિતા ગુજરાતના જાણીતા લેખક એવા જય વસાવડા જી એ પોતાના ટ્વિટર પર શેર કરેલી છે)

Saturday, May 30, 2020

ડફોળ (ભાગ - ૩)

સમય દોડવા લાગ્યો, દિવસ સપ્તાહમાં, સપ્તાહ પખવાડિયામાં, પખવાડિયા મહિના માં અને મહિના વર્ષો માં બદલવા લાગ્યા. તિવારી સાહેબ તો એ ઘટનાને ક્યારના ભૂલી ગયેલા પણ અમિત કુમાર એ ઘટનાને ક્યારેય નહોતા ભૂલેલા. તિવારી એ એમના પિતાનું અપમાન કરેલું એ ઘટના તેઓ ક્યારેય નહોતા ભૂલી શકતા.

ધો. ૧૦ અને ધો. ૧૨ માં ઉચ્ચ ગુણાંક મેળવી અમિત કુમાર એક વિનયન કોલેજ માં દાખલ થઇ ગયા. સવારે કોલેજ અને બપોરે છૂટયા બાદ સરકારી પુસ્તકાલય આ બન્ને તેમના અવિભાજ્ય અંગ બની ગયા હતા. બપોરે જમવા માટે પણ તેઓ ઘેર જતા ન હતા.તેમના મનમાં એક જ ધૂન લાગી ગયેલી કે કોઈ પણ રીતે પોલીસ સેવામાં જોડાવું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ક્યારે કોલેજ ના ૩ વર્ષ પૂરા થયા એની ન અમિત કુમાર ને ખબર પડી ન તો સમયને ખબર પડી. અને એક દિવસે અમિત કુમારના પિતા પર ગાંધીનગરથી ફોન આવેલ કે અમિતકુમાર એસ.પી ની રાજ્ય જાહેર પરિક્ષા આયોગની પરિક્ષા માં પાસ થયા છે અને એમને ડી.વી ( આ શબ્દ ન સમજાય તો સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરતા લોકો ને પૂછવું ) માટે ગાંધીનગર બોલાવાયા હતા. અમિતકુમાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે પાસ થયા હતા.

બીજા દિવસે ન્યુઝપેપર અને સમાચાર જગતના તમામ ખ્યાતનામ પત્રકારો અને છબિકારો (ફોટોગ્રાફર) ની પૂરી ફોજ અમિત કુમારના ઘર બહાર તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે તલપાપડ બની રહી હતી. ૧૦ વાગ્યે અમિત કુમાર ઘરની બહાર આવ્યા અને વિનમ્રતાથી બધા પત્રકારો ને સંબોધ્યા અને તેમના તમામ સવાલો ના ખુલ્લા દિલે જવાબ આપ્યા.

અને એક દિવસ પપ્પુ તિવારી પોતાની ઓફિસમાં ફૂલ એ.સી. કૂલિંગ મોડમાં પોતાની વ્હીલચેર પર બેસીને આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે જ એસ.પી અમિત કુમાર અને તેમની ટીમે ધામાં નાખ્યાં. ઓચિંતા થયેલા આ છાપાં થી તેઓ ગભરાઈ ગયેલા, અને પૂછ્યું "કોણ છો તમે અને મારી ઑફિસમાં શું કરો છો ?" ( અમિત કુમાર સિવિલ ડ્રેસ માં હતા જેથી એમની ઓળખ છતી ન થાય.)

ત્યારે એસ.પી. અમિત કુમારે જવાબ આપ્યો, "હું પટ્ટાવાળા નો એ ડફોળ છોકરો છું જેને ૨૦ વર્ષ પહેલાં ગાલ પર લાફો મારેલ અને આ ઑફિસમાંથી હાથ પકડીને તગડી મૂક્યો હતો !" આવકથી વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચાર ના કેસમાં પપ્પુ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. અનિમેષ નયને તિવારી સાહેબ આ "એસ.પી. અમિત કુમાર" ને નિહાળતા રહ્યા.

મને ફોલો કરો 👇

https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Friday, May 29, 2020

સારા લેખક બનવા શું કરવું ???

આજે મારે મારો નિયમ તોડવો પડશે. રોજ એક જ પોસ્ટ કરૂ છું આમ તો, પણ આજે થયું કે લાવ બીજી પોસ્ટ મૂકું કારણ કે વિષય જ એવો હાથ માં આવ્યો છે. હમણાં હમણાં એક ભાઈનો હજી હમણાં જ મેસેજ આવ્યો *"સારા લેખક બનવા શું કરવું જોઈએ ?"*

મે કીધું *"મનમાંથી આ વિચાર જ કાઢી નાખવો જોઈએ !"*

( લખવાની શરૂઆત પણ કરી નથી ને સારા લેખક બનવું છે, લખશો તો ઓટોમેટિક સારા બની જ જશો ! )

આ પણ કય પૂછવાનો સવાલ છે ?? અરે ભાઈ લખવું જ છે તો બિંદાસ બે ફામ બે લગામ લખો ને ! કોના બાપની દિવાળી ?? જેને વાંચવું છે એ વાંચશે જ, ન વાંચે તો ક્યાં પરાણે બોચી પકડીને આપડે વાંચવા બોલાવા છે ?

આપડે લખતાં પહેલાં પણ સો વખત વિચારીએ કે આને ગમશે ? ઓને ગમશે ? ફલાણા ને ગમશે ? બેનપણી ને ગમશે ? બેનપણા ને ગમશે ?? અરે મારા ઉગતા લેખક બધાને ગમે તો જ તું લખીશ?? જો આમ કરવા બેસીશ તો ૧૦૦ માથી ૯૯ તને લખવા માટે ના પાડશે ! અને જે એક તને વાંચે છે એને તો તું પૂછીને લખતો નથી ! તો શું કામ આવી પીંજણ માં પડવું ??

તને મજા આવે તો લખ ને.. કલમ તારી પોતીકી છે ક્યાં કોઈ પાસે ઉછીની લેવી છે ?? તારું મગજ તારા વિચાર અને તારી નોટબુક ! ગામને ગમે કે ન ગમે એ ગામ જાણે ! તું તારા વિચારો ટપકાવી દે !

આપડે લેખક કે કવિ છીએ જજ નથી ! કોને શું ગમે ન ગમે ? એ બધું આપડે નક્કી નહિ કરવાનું આપડે વહેતા નિર્મળ અને ખળખળ જળની જેમ અસ્ખલિત વહેતા જવાનું ! જેની ઈચ્છા હોઈ એ આપડા "શબ્દોનું આચમન" લેવા આવી જશે ! જેને તરસ લાગે એ નદી કિનારે આવે એમ જેને વાંચવું હોઈ એ આપડે વાંચે ! ન વાંચે તો પરાણે પ્રેમ નો હોઈ વાલા !

એટલે એક વાત નક્કી કરવી કે ક્યારેય કોઈને ગમશે કે નહિ ગમે એ વાત ધ્યાનમાં લઈ ને લખવા ન બેસવું ! અને જો આવું બધું વિચારવું જ હોઈ તો લખવા ન બેસવું બસ ખાલી આવું વિચારવું જ !

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

નેતાગીરી વિથ અમિત ગીરી

આજનું ટાઇટલ થોડુંક રસ પડે એવું છે ! ( રસ ન પડે તો પણ એવું લખાય જેથી કોક તો વાંચે ખરું) આજે વાત કરવાની છે એક એવા મહાન વ્યક્તિત્વ વિશે જેના માટે કદાચ ચીનની દીવાલ પર જેટલા શબ્દો લખીએ તો પણ ઓછા પડે ( ચેક કરવું હોય તો જાવ ચીન ની દીવાલ પર ખાલી "ભારત માતા કી જય" લખીને બતાવો ! ).

ચાણક્ય એક એવા અદભૂત વિભૂતિ જેને કોઈ ન ઓળખતું હોઈ એવું બને જ નહિ ! વિરાટ બુદ્ધિમતા ના માલિક એવા આચાર્ય ચાણક્ય ને આજે મોર્ડન પરિપ્રેક્ષ્ય માં સમાવાની એક કોશિષ કરી છે.  નેતાગીરી ના બે સૌથી વધુ પરિચિત પ્રકાર છે ! કયા બે પ્રકાર ??? ૧) ફ્રન્ટ લાઈન નેતાગીરી ૨) બેક શીટ નેતાગીરી. ફ્રન્ટ લાઈન નેતાગીરી એટલે એવી નેતાગીરી જે સમાજ ની સામે રહીને નેતાગીરી કરે, જે લોકોની વચ્ચે રહે, જે લોકો ના (સમાજના) ગમાં અણગમા વિશે જાણતા હોય, જે સમાજ ના દરેક જાહેર પ્રસંગો માં "રિઝર્વ સીટ" ધરાવતા હોઈ એવા નેતાઓ ફ્રન્ટ લાઈન નેતાગીરી વાળા નેતા કહેવાય.

હવે આવે છે બેક શીટ નેતાગીરી વાળા નેતા. આવા નેતા ખુફિયા એજન્ટ જેવા હોય છે. એમને ફ્રન્ટ લાઈન વાળા નેતા ની જેમ પોતાના નામ ની કોઈ પડી નથી હોતી. એમને ચૂપચાપ પોતાના ભાગે આવેલું કામ પતાવવામાં રસ હોય છે. આવા નેતાઓ ટીવી ચેનલ કે અખબારોની હેડલાઇન થી પણ દૂર રહે છે.

તો હવે વાત કરી આધુનિક ચાણક્ય ની. જૂના જમાના ચાણક્ય ધોતી જભો પહેરતા હશે ( ચોક્કસ શું પહેરતા એ મને તો નથી ખબર તમને ખબર હોઈ તો કૉમેન્ટ કરો ) ! માથા પર શિખા રાખતા હશે, ગળામાં રુદ્રાક્ષ ની માળા પહેરતા હશે, અને કપાળ પર ત્રિપુંડ ખેંચતા હશે.... આ બધું એમના જમાના મુજબ હતું ! અત્યાર ના ચાણક્ય સુટ બૂટ માં હશે, મોંઘી દાટ કાંડા ઘડિયાળ હશે, સોનેરી કલરની ચશ્માં ની ફ્રેમ હશે અને હાથમાં શાસ્ત્રો ની જગ્યાએ એપલ નું લેપટોપ હશે ! આવા ચાણક્ય તમને કોઈ પણ મોટી બિઝનેસ કંપની માં જોવા મળશે.

ચાણક્ય પાસેથી એક વાત શીખવા જેવી છે જો પડદા પાછળ રહીને ખેલ પૂરો પાડી શકાતો હોઈ તો હો હલ્લો મચાવીને મેદાન માં ગરજવાની કોઈ જરૂર નથી ! જે કામ રાતે પતી જતું હોય એ કામ પછી સૂરજ ઊગવાની રાહ જોઈને જ પૂરું કરશું એમ વિચારીએ તો મૂર્ખ માં જ ગણતરી થાય.

ચાણક્ય પાસેથી બીજી એ વાત શીખવા જેવી છે કે "સત્તા આપડા હાથમાં હોવી જરૂરી નથી" પણ "સત્તામાં છે એવા લોકો આપડા હાથમાં હોવા જરૂરી છે" ! ચાણક્ય હમેશા બેક સીટ નેતા ગીરી માં જ માનતા હતા એટલે જ તો ચંદ્ર ગુપ્ત ને ડ્રાઇવર બનાવીને "અખંડ ભારત" નું સર્જન કરી નાખ્યું ! નહિ તો એ ધારત તો ગમે ત્યારે રાજા બની શકતા હતા... કોણ રોકત એમને ?? પણ એમને બેક સાઈડ માં રહેવાનું પસંદ હતું !

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Thursday, May 28, 2020

અંસારી સાહેબના અલ્ફાઝ

ઇન્તેખાબ અંસારી સાહેબ 
આસિસ્ટન્ટ પ્રોફેસર, કોલેજ ઓફ એજ્યુકેશન
ખરોડ,તા.અંકલેશ્વર, જિ. ભરૂચ....! 

ડફોળ ( ભાગ - ૨ )

(મોબાઈલમાં સારી રીતે વાંચવા માટે વેબ વર્ઝન નો ઉપયોગ કરો જો તમે નવા છો આ બ્લોગ પર તો બાજુમાં આપેલા ઇ મેઇલ બોક્સ માં તમારું ઇ મેઇલ આઇડી રજીસ્ટર કરો જેથી તમને દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા મળે)

"ડફોળ" શબ્દ સાંભળીને એસ.પી. અમિતકુમાર ૨૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા. તેમને પોતાના બાળપણની એક દુઃખદ ઘટનાનું મનમાં સ્મરણ થઈ આવ્યું જે ઘટના વિશે એ ક્યારેય નહી ભૂલી શકે, આ એ જ ઘટના હતી જેણે અમિત કુમાર ને એસ.પી. અમિત કુમાર બનાવ્યા હતા. વાત જાણે એમ હતી કે એક વખત બાળપણ માં સ્કૂલમાં સ્થાનિક રજા હોવાથી અમિત કુમાર પોતાના પિતા બ્રીજમોહન સાથે એમની કામ કરવાની જગ્યા પર ગયા હતા.

અમિત કુમારના પિતા બ્રિજ મોહન એક સરકારી કચેરીમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતા હતા. બે ત્રણ ખખડેલા ઓરડા વાળી સ્કૂલમાં ભણતા અમિત કુમાર આવડી મોટી સરકારી કચેરીની ઈમારત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને કચેરીની જુદી જુદી ઑફિસમાં આમ તમે દોડવા લાગ્યા.

ધીંગા મસ્તી કરતા કરતા અમિત કુમાર એક સાહેબ(?) ની ઑફિસમાં ચાલ્યા ગયા, ત્યાં પાછળથી  પપ્પુ તિવારી એટલે કે એ ઓફિસના સર્વેસર્વા ઑફિસમાં અંદર આવ્યા અને અમિત કુમારને જોઈને પૂછ્યું, " એય છોકરા કોણ છે તું ?? આમ મારી ઑફિસમાં પૂછ્યા વગર શું કરે છે ?? અમિતકુમાર એ નિર્દોષ ભાવે જવાબ આપ્યો સાહેબ હું અહી પટ્ટાવાળાની નોકરી કરતા બ્રીજમોહન નો દીકરો છું. આજે મારી સ્કુલમાં રજા હોવાથી હું અહી મારા પપ્પા જોડે ફરવા આવ્યો છું !

ફરવા આવ્યો છું એ શબ્દ સાંભળતા જ સાહેબના મગજનો બાટલો ફાટ્યો, ગુસ્સો સાતમા આસમાને, બન્ને મુઠ્ઠીઓ વળાઈ ગયી, ભ્રૂકુતી તંગ થઇ, લોહી આંખ માં ધસી આવ્યું, ચહેરો લાલ ચણોઠી જેવો થઇ ગયો, જાણે સાક્ષાત ભૃગુ ઋષિ એમના શરીર માં પ્રવેશ કરી ગયા હોઈ એવું લાગ્યું ! અને સાહેબે એક સણ સણતો તમાચો અમિત કુમાર ના ગાલ પર ચોડી દીધો અને ઓફિસની બહાર તગેડી મૂક્યો. અને જતા જતા બોલ્યા, " પટ્ટાવાળા ના ડફોળ છોકરાને એટલી પણ નથી ખબર કે "સાહેબ(?)" ની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય ! " અમિત કુમાર વિચારતા રહી ગયા કે ઑફિસમાં અંદર સાહેબ હતા નહિ અને બહાર દરવાજા પર પણ કોઈ કર્મચારી હતા નહિ તો પૂછવું કોને ??

પાંચમું ધોરણ ભણતા અમિત કુમારના મગજમાં આ ઘટના એટલી ઘર કરી ગઈ કે તેણે મનોમન બદલો લેવાનો દ્રઢ સંકલ્પ કર્યો ! અમિત કુમાર એ આ ઘટનાની જાણ એમના પિતાના પિતાને પણ ન્હોતી કરેલ, કારણ કે જો એ આ ઘટના વિશે એમને જણાવત તો એમના પિતાના આત્મસન્માન ને ખુબ જ મોટી ચોટ પહોંચી જાત.

હવે શું ?? એ જાણવા માટે વાંચતા રહો નિયમિત રીતે આ બ્લોગ

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

પારકી પંચાત

મિત્રો આજે ફરી એક વખત નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લોક ડાઉન ના સમયમાં તમને લોકોને હસાવવા માટે એક નાનો એવો પ્રયાસ અમે કરી રહ્યા છીએ જેમાં અમને જોઈએ છે આપનો સાથ અને સહકાર ! તમે અમને સવાલ પૂછશો એનો અમે  હાસ્યાત્મક જવાબ આપવાનો પ્રયાસ કરીશું !

સવાલો પૂછવા માટે શું કરવું પડશે ?? તમારા ફેસબુક માં જઇને સર્ચ બોકસમાં જોરદાર જામનગર લખીને સર્ચ કરવાનું ત્યાર બાદ આપડું જે પેજ ખુલે એમાં મેસેજ દ્વારા તમારો સવાલ લખીને સેન્ડ કરી આપવાનો રહેશે ! છે ને સાવ સરળ ???

તો ચાલો આ વાત તમારા તમામ મિત્રો સુધી પહોંચાડો ! ફેસબુક વોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ટ્વીટર બધી જગ્યાએ આ વાત પહોંચાડી દો !

Wednesday, May 27, 2020

ઓટોગ્રાફ: લેવા છે કે આપવા છે ???

દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો હોય છે. માત્ર બે પ્રકાર ના ૧) ઓછાં નિષ્ફળ અને ૨) વધુ નિષ્ફળ. પણ કમનસીબી છે કે ઓછી નિષ્ફળતા વાળા લોકોને પણ દુનિયા સફળ ગણે છે. પણ દુનિયામાં ખરેખર કોઈ સફળ તો હોતું જ નથી ! તમને એવું લાગશે કે આ શું હવામાં તીર મારે છે.... તો તમે ખોટું વિચારો છો ! હું તો નિશાન પર જ તીર મારું છું !

હવે હું મારી રીતે થોડુક સમજાવું ( ઝાઝું સમજાવીશ તો તમે આગળ વાંચશો પણ નહિ, મને ખબર છે તમારી પાસે સમય નથી ! ). માની લો કે કોઈ સારું લખે છે તો એ સારું ગાઈ નથી શકતો ! જે સારું ગાય છે એ પોતાના ગીત લખી શકતો નથી સાચું કે નહિ ?? ( આમાં ઓલરાઉન્ડર લોકોને સામેલ નથી કર્યા એટલે કૂદી ન પડતા કે ફલાણા ફલાણા સિંગર પોતે જ ગાય છે ને પોતે જ લખે છે.) જે નેતા સારું ભાષણ આપતો હોય બની શકે એની "સ્ક્રિપ્ટ" કોઈ બીજા લખતાં હોઈ !

આ જ વાતને આપણે મહાભારત ના ઉદાહરણ પરથી સમજીએ.. અર્જુન સારો ધનુર્ધર હતો તો સામે દુર્યોધન સારો ગદાધર હતો. હું તમને એક સવાલ પૂછું ?? માણસની સૌથી મોટી શક્તિ શું ? એની તાકાત ! અને માણસની સૌથી મોટી મર્યાદા શું ? એનો પણ  જવાબ છે તાકાત. જે વસ્તુ માણસની "તાકાત" છે એ જ વસ્તુ એની "મર્યાદા" પણ છે ! જો અર્જુન ને હાથ માં ગદા પકડાવી અને દુર્યોધન ને ધનુષ બાણ આપીએ તો ?? કેવું લાગે ?? સવાલ વગરની વાત છે નેટ વગરના મોબાઇલ જેવું લાગે ! તો અહી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જે વસ્તુ માણસ ની શક્તિ હોઈ છે એ જ એની મર્યાદા પણ હોઈ છે.. સાચું ને ??

હવે બીજી વાત અર્જુન સફળ ધનુર્ધર હતો ( પણ અંગ રાજ રાઘેય કર્ણ જેટલો નહિ ! ) પણ નિષ્ફળ ગદાધર હતો, સામે પક્ષે દુર્યોધન સફળ ગદાધર હતો પણ નિષ્ફળ ધનુર્ધર હતો ! તો હવે સમજાયું કે દુનિયા માં માત્ર બે જ પ્રકાર છે લોકોના જે મે ઉપર જણાવ્યા ઓછાં નિષ્ફળ અને વધુ નિષ્ફળ !

દુનિયા એવા લોકોને ક્યારેય યાદ નહિ રાખે જે સરળતાથી સિદ્ધિ ને પ્રાપ્ત થયા છે, દુનિયા હંમેશા એવા ક્રાંતિવીર ને યાદ રાખશે જેને પરસેવાથી નહાયો છે, જેને સમાજના ઘા તબિયત થી પચાવ્યા છે, જેણે અંધારી રાતમાં પણ રોશની ની કામના કરી છે, મુશ્કિલ માં મુશ્કિલ વકત માં પણ જેનું ઈમાન ડગ્યું નથી, જેણે હંમેશા પોતાના ઉસુલ ને કાયમ રાખ્યા છે, જેણે નેકી ના રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું છે, આવામ આવા કરિશ્માઈ સિતારાઓ ને યાદ રાખે છે !

વિરાટ કોહલી મેદાન માં રમવા માટે ડગ આઉટ માથી બહાર આવે ત્યારે એના ઓટોગ્રાફ લેવા માટે ધક્કા મુક્કી કરવી છે ( મફત માં અનાજ લેવા માટે જેમ ધક્કા મુક્કી થાય એમ ) પણ એના જેટલો પરસેવો પાડવાનું કદી વિચાર્યું ?? અક્ષય કુમાર, અજય દેવગણ ને 70 એમ એમ નાં પડદા પર સ્ટંટ કરતા જોઇને સિટી મારવી સાવ સરળ છે, પણ એના જેટલો સંઘર્ષ કરવાનું વિચાર્યું ??

સફળતા એ પુલાવી ખ્યાલ છે એટલે એની પાછળ વધુ ભાગવા કરતા નિષ્ફળ બની ને શરૂઆત કરો.. ચાલશો તો ક્યાંક પહોંચશો, ઘર બેઠા કશું નહિ વળે ! એટલે જ તો હું કહું છું કે હું "સફળ નિષ્ફળ છું !" ( I Am Successful Failure ) ! તમે જે પણ કામ કરો એમાં ૯૯% એટીત્યુડ રાખો અને ખાલી ૧% હોપ રાખો ( પણ આપણે કરીએ છીએ બિલકુલ ઉલટું ૯૯% હોપ અને ૧% એટીત્યુડ ) સફળતાનો આ જ એક મંત્ર છે ( મારો મત છે આ, આપનું મંતવ્ય અલગ હોઈ શકે એનાથી મને કોઈ વાંધો કે આપત્તિ નથી તો તમને પણ મારા મંતવ્ય સાથે કોઈ આપત્તિ ન હોવી જોઈએ )

વધુ ન લખતાં આટલે હવે અટકીએ.. !

સફળતા અંગે તમારા શું મંતવ્ય છે જણાવજો !!

સારી રીતે વાંચવા માટે વેબ વર્ઝન માં વાંચો.

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://telegram.me/jordarjamnagar
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Tuesday, May 26, 2020

ડફોળ

"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપોરના બે વાગ્યાની આસપાસ. એક ચા વાળો નાનો છોકરો હાથમાં ચાની કીટલી અને થોડાક કાચના પ્યાલા લઈને એસ.પી કચેરીમાં ચા આપવા માટે આવેલો ! પણ એ ઑફિસમાં પ્રવેશ કરે એ પહેલા જ મગન નામના હવાલદારે તેને બહાર જ રીતસરનો ખખડાવી નાખ્યો !

હવાલદાર નું આવું તોછડાઈ ભર્યું વર્તન જોઈને એસ.પી અમિત કુમાર બહાર આવ્યા અને મગન ને કહ્યું, "સરકારી નોકરી કરો છો તો પણ જનતા સાથે કેમ વર્તવું એનો જરા પણ ખ્યાલ નથી ??" આટલું કહીને એસ પી. સાહેબે પેલા ચા વાળા છોકરાને પ્રેમ ભરી નજરથી જોયો અને કહ્યું, આવ બેટા અંદર આવ !

એસ.પી. સાહેબે ચા વાળા છોકરાને અંદર બોલાવ્યો અને એકદમ મીઠાશથી કહ્યું, " ચાલ ! તારી મસાલેદાર આદુ વાળી ગરમાં ગરમ ચા અમને બધાને પીવડાવી દે !" અમે સવારથી એક કેસ માં ગૂંચવાઈ ગયા છીએ, વિચારી વિચારીને માથું દુઃખી ગયું છે, એમાં આ તારી મસાલેદાર ચા દવા જેવું કામ કરશે..!

ચા પીતા પીતા એસ.પી. અમિત કુમારે બહાર બેઠેલા હવાલદાર મગનને બોલાવ્યો અને ચા વાળા છોકરાને કીધું અમારા આ મગન માટે પણ એક ચાનો પ્યાલો ભર. ચાની ચુસ્કી લેતા લેતા એસ.પી. અમિત કુમારે હવાલદાર મગનને કહ્યું, " મગન ચા વેચવી એ આ છોકરાની મજબૂરી છે, એના માટે એના સ્વમાનને ઠેસ પહોંચાડવા ની આપણે કોને મંજૂરી આપી ??" હવાલદાર મગન પાસે કોઈ જવાબ નહોતો એ આંખ નીચી કરીને એસ.પી. સાહેબ ને સાંભળતો રહ્યો અને બોલ્યો, "સાહેબ ! હું તો ખાલી મારી ફરજ નિભાવતો હતો ! તમે કેસ માં ગૂંચવાયેલા હતા એટલે તમને કોઈ ખલેલ ન પહોંચે એટલે આ છોકરાને અટકાવ્યો હતો !"

એસ.પી. સાહેબે મગનને સાંભળ્યો અને કીધું, કોઈ વાંધો નહિ મગન ! આવું તો ચાલ્યા કરે ! પણ હવે આવું ન બનવું જોઈએ !! મગન પણ જી સાહેબ ! કહીને બહાર નીકળી ગયો. બધા ચા ના પ્યાલા ભેગા કરીને જતા જતા ચા વાળા છોકરાએ એસ.પી. અમિત કુમાર ને સવાલ કર્યો, "સાહેબ સાચું કહેજો હોં ! શું હું તમને "ડફોળ" લાગુ છું ??" ચા વાળા છોકરાની આંખો એસ.પી અમિતકુમાર ની આંખોમાં એના જવાબ ની પ્રતીક્ષા કરતી રહી !!

વિશેષ રજૂઆત આગામી સમયમાં !

આ વાર્તા આપને કેવી લાગી? કૉમેન્ટ માં જણાવો.

મારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા બાજુમાં આપેલા બોક્સ માં તમારું ઇ મેઇલ આઇડી નોધી દો અને મને ફોલો કરો જેથી નવીન પોસ્ટ તમને મળે !!

(નોંધ મોબાઇલ માં સારી રીતે વાંચવા માટે મોબાઇલ વ્યુ ને બદલે વેબ વર્ઝન પર ક્લિક કરવું)
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://telegram.me/jordarjamnagar
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Sunday, May 24, 2020

Yoga: થાય તો રોજ કરો, ના થાય તો મોજ કરો !

લોક ડાઉન ના સમયમાં ઘરે રહી રહીને અમારી શેરીમાં રહેતા મારા સૌથી કરીબી એવા જમશેદ જૂન જૂન વાલા દાદા ખૂબ ચીડિયા સ્વભાવ ના થઇ ગયેલા. રોજ બધા સાથે નાની નાની વાત માં જગડો કરવા લાગ્યા. ચા મોળી બને તો કહે ખાંડ વધુ નાખો, અને મીઠી બને તો કહે ડાયાબિટીસ કરીને મને વહેલો મારી નાખવો છે ને ! આવી રોજની કચકચથી એમનો દીકરો બમન અને વહુ રોશન કંટાળ્યા. એટલે એમણે નક્કી કર્યું કે, પપ્પા ને યોગા કરાવીએ એટલે એમના સ્વભાવ માં શાંતિ આવે !

બમન અને રોશનીએ બાજુની સોસાયટીમાં યોગા શીખવતી એક યોગા માસ્ટર જેનું નામ હતું મિસ માલિની જેણે વિદેશમાં જઈ ને પણ લોકોને યોગ તરફ વાળ્યા હતા. આવી વર્લ્ડ ક્લાસ યોગા માસ્ટર ને પોતાના પિતા વિશે વાત કરી અને રોજ સાંજે એક કલાક યોગા શીખવાડવા માટે આવવા ની વિનંતી કરી.

રાત્રે જમતી વખતે બમને હળવેકથી પોતાના પિતાને કહ્યું, "પપ્પા અમે ટમાલા માટે એક યોગા ટીટલ ગોટ્યા ચે. કાલ ટી એ લોજ ચાંજે એક ટલાક ટમને યોગા કરાવચે." દાદાએ કીધું વાંઢો નથી ડીકરા મને પન મજા આવચે.

આ બાજુ હું પણ ચડાવ પાસ નું લેબલ માથે ચોંટાડીને બેઠો હતો. રોજ ઘરમાં માથાકૂટ થાય એના કરતાં હું ઘરની બહાર જ રહેવાનું પસંદ કરતો. એટલે ઘરમાં પણ શાંતિ અને મને પણ શાંતિ ! મારા ઘરથી થોડેક જ દૂર એક પપ્પુ પાનવાળા ની દુકાન છે, ત્યાં બેસીને હું આખેઆખા અખબાર નું પોસ્ટ મોર્ટમ કરી નાખતો. હું એટલો બધો નવરી બજાર હતો કે બેસણાં અને અવસાન નોંધ પણ બબ્બે વખત વાંચી નાખતો !

હું આરામથી અખબાર વાંચતો હતો ત્યાં દાદા આવી પહોંચ્યા. ગુદ મોરનીંગ અમિત ડિકરા ચુ કરેચ ? મે કીધુ, આવો દાદા આવો, જુઓ આપડા શહેર માં ઓનલાઈન યોગા ક્લાસ શરૂ થવાના છે. આપણે ખાલી મોબાઈલમાં જોઈ જોઈ ને યોગા કરવાના. દાદા કહે અમિત ડિકરા ટને યોગા કરવામાં રચ ચે ? મે કીધું દાદા, "મફત કા ચંદન ઘીસ મેરે નંદન" જેવો લાગે હોઈ તો થોડો મુકાય.

દાદા મને કહે, અમિત ડિકરા હું ટને ઓફ લાઈન યોગા ચિકવારું ટો?? મે કીધું દાદ આમ ગોળ ગોળ વાત નો કરો સીધું સીધું બોલો. દાદાએ કીધું, આજ ચાંજ ઠી એક યોગા ટીટલ મને યોગા ચિખવારવા આવાની ચે. ટો ટું બી આજે આવી જજે મને બી કંપની મરચે.


હવે યોગા શીખવાડવા આવેલી ટીચર ની કેવી હાલત થાય છે એની વાત આપડે આગલા ભાગ માં કરશું ! ત્યાં સુધી વિચારો આગળ શું થશે ??? તમારી ધારણાઓ કૉમેન્ટ માં રજૂ કરો

મને સોશ્યલ મીડિયામાં ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Saturday, May 23, 2020

વોટ્સઅપ માં સ્ટેટ્સ જોવા વાળા લોકો ના પ્રકાર

કેમ છો મિત્રો ? મજામાં હશો ! કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ના બે ભાગ પછી ફરી પાછા આજે મળી રહ્યા છીએ એક નવા વિષય અને એક નવી વાત સાથે.વાતનો વિષય ઉપર ટાઇટલ માં જણાવેલો જ છે.તો હવે આવિએ મુદ્દા પર.

આ વોટ્સઅપ શું છે? હું મારી વાત કરું તો ખરેખર આ વોટ્સઅપ એટલે "ઓનલાઇન ઉલ્ટી" કરવાનું વોશ બેસિન છે.આખા દિવસમાં લાખો,કરોડો, અરબો,ખરબો લોકો અહીં ઉલ્ટી કરતા હશે. આ વોટ્સઅપ માં એક સુવિધા છે સ્ટેટ્સ મૂકવાની. આ સ્ટેટ્સ માં તમે શબ્દો, ફોટો, વિડિયો જેવી વસ્તુઓ મૂકી શકો છો.

જો હવે તમે ધ્યાન થી નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે આ સ્ટેટ્સ જોવા વાળા લોકોના ત્રણ પ્રકાર હોય છે. (મારા મંતવ્ય મુજબ હો !) કયા ત્રણ પ્રકાર ?? તો આવો જોઈએ દરેક વિશે.

૧) ખરેખર જોવા વાળા લોકો:- આ એવા લોકો છે જે તમારી સાથે લાગણીથી જોડાયેલા છે. તમે કોઈ પણ સ્ટેટ્સ મૂકો એટલે તરત જ એ એમનું રી એક્શન જણાવે જો ઓનલાઇન હોય તો. એટલે કે એ તરત જ જણાવે કે તમારું સ્ટેટસ ગમ્યું કે નહિ ? ગમે તો લાઈક કરી દે અને જો ના ગમે તો તરત જ કૉમેન્ટ કરીને જણાવે કે તમારું આ સ્ટેટ્સ ગમ્યું નથી. એટલે કે આ લોકો ખૂબ જ નિખાલસ સ્વભાવ વાળા લોકો હોય છે.

હવે જોઈએ આપણે બીજો પ્રકાર !

૨) તમે એમના સ્ટેટ્સ જુઓ છો એટલે એ તમારા સ્ટેટ્સ જુએ છે:- આ લોકો ખરેખર વેપારી વૃત્તિ ધરાવતા લોકો હોઈ છે. એમને તમારા કોઈ પણ સ્ટેટ્સ માં રસ નથી હોતો. એમને માત્ર એમની વાહવાહી માં જ રસ હોય છે. જો તમે એમના સ્ટેટ્સ પર કૉમેન્ટ કરો તો એ તરત જ તમારા સ્ટેટ્સ પર જયીને કૉમેન્ટ કરીને સાટું વાળી આપે છે. બાકી એ કોઈ દિવસ તમારા સ્ટેટ્સ સુંઘશે પણ નહિ. એટલે કે આ લોકો એક હાથ સે લો ઔર એક હાથ સે દો વાળા લોકો હોઈ છે.

હવે આવે છે ત્રીજો અને સૌથી ખતરનાક પ્રકાર !

૩) તમારા નંબર સેવ છે એટલે પરાણે સ્ટેટ્સ જોવા પડે છે:- આ ખરેખર ખતરનાક પ્રકાર છે. આ લોકો મહા આળસુ હોઈ છે તમે ગમે તેટલું સારું સ્ટેટ્સ મૂકો કોઈ દિવસ લાઈક નો કરે. ઉલ્ટાનું તમે એમનું સ્ટેટ્સ લાઈક કરો તો પણ તમને કોઈ જાતનો ભાવ નો આપે. આ લોકો તમારા સ્ટેટ્સ માત્ર એટલા માટે જ જુએ છે કારણ કે તમારા નંબર એમના મોબાઈલ માં સેવ છે એટલે, બાકી એમને તમારા માં કે તમારા સ્ટેટ્સ માં કોઈ પણ રસ નથી

( તા. ક. અહી ઉપર જણાવેલ ત્રણ પ્રકાર સિવાય એક અપવાદ વાળો પ્રકાર છે. એ છે જીબી વોટ્સઅપ વાળો પ્રકાર. આ એવા લોકો છે જે તમારું સ્ટેટ્સ જોઈ લેશે તોપણ તમને ખબર નહિ પડે ! આ લોકો isis ના સ્લીપર સેલ એજન્ટ જેવા હોઈ છે.)

તો મિત્રો કેવા લાગ્યા આ ત્રણ પ્રકાર ? કૉમેન્ટ કરીને જણાવજો
આ લેખને તમારા ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી શકો છો !

મને નીચે જણાવેલ સોશ્યલ મીડિયામાં ફોલો કરી શકો છો !
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/amitgirigoswami9594
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Friday, May 22, 2020

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર (ભાગ - ૨)

મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી, મારા જેવા ચડાવ પાસ માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી, બધા મને ધિક્કારે છે, આના કરતાં તો હું ઘર છોડીને ભાગી ગયો હોત તો સારું થાત ! કમસે કમ "ચડાવ પાસ" નું લેબલ તો ન લાગત. બસ હવે આ ૯ માળની બિલ્ડિંગ પરથી કૂદી જાવ એટલે વાત પૂરી. પછી બધું શાંત થઈ જશે !

મે કુદને હી ચ વાલા થા કી તભી ચ એક મચ્છર ને મેરે ગાલ પર પપ્પી કિયા બોલે તો ડંખ મારા ઔર મેરા નીંદ હરામ કર ડાલા. પછી જાગીને જોયું તો ખબર પડી કે આ તો સાલું સપનું હતું, બે મિનિટ નું સપનું હતું પણ હ્રદય ના ધબકારા વધી ગયા એવું ખતરનાક સપનું હતું. થેંક ગોડ હું જીવતો છું (અભી મે કુંવારા હૈ ગોડ, મેરે તો હાથ ભી પીલે નહિ હુએ ! ).



બીજા દિવસે હું શેરી માં ઘરની બહાર બેઠો હતો, ડાચું મારું ગબી જેવું હતું અને વિચારતો હતો કે આર્ટસ રાખવું કે કોમર્સ ?? સાયનસ  નો રખાય... બા ખીજાય ! ત્યાં અમારી શેરીમાં રહેતા એક પારસી દાદા જેનું નામ હતું જમશેદ ઝુન ઝૂન વાલા. એ દાદા પોતાની લાકડી લઈને ટિચૂક ટિચુક કરતા ચાલવા નીકળેલા. એ રોજ સાંજે અમારા ઘરની નજીક આવેલા સંગમ બાગ માં ચાલવા માટે જાય !

એ ચાલવા માટે નીકળેલા અને એમની નજર મારા ગબી જેવા ડાચા પર પડી. એટલે હળવેકથી મારી પાસે આવીને ખભે હાથ મૂક્યો અને બોલ્યા, " શું કરેચ ડીકરા ? આમ મડેલો મડેલો કેમ લાગેચ ?" મે કીધું દાદા તમે જાવ તમને નહિ ચમજાય. તો મને કહે, " ડીકરા, જમશેદ ઝુન ઝુન વાલા નામ ચે માળું, ભલ ભલાને બાટલી માં ઉટાળું " દાદા મને કહે, ચાલ માળી સાથે બાગમાં ચાલવા ટને ચમજાવું. 

ચાલતા ચાલતા અમે બાગમાં પહોંચી ગયા. પછી દાદાએ મને પૂછ્યું, બોલ ડીકરા, ટને ચું પ્રોબ્લેમ ચે ? મે કીધું દાદા હું "ચડાવ પાસ" થયો છું. તો દાદા કહે ટો એમાં છું ચે બીજા બઢા ઉટાળ પાસ ( ઉતાર પાસ ) થયાં છે ! હા હા હા હા.......મને ખરેખર હસવું આવી ગયું. મન માં તો કીધું સારું છે દાદા તમે સાઇકોલોજીસ્ટ નથી નહિ તો ભલભલા ડો- કટર ( ગરીબના ખિસ્સા કાપવા વાળા ) ની તો વાટ જ લાગી જાત. મે કીધું, દાદા તમે એક જ મને સમજો છો, બાકી મારા ઘરવાળા પણ મને સાવ નક્કામો સમજે છે. એમને એમ છે કે મે મારા કુટુંબની ઈજ્જત ધૂળ માં મેળવી દીધી.

પછી દાદા મને કહે, અમિત ડીકરા ચાલ ચામે વાળી ખુરચી પર બેચીએ. અને આલામ થી ખુરસી સોરી ખૂરચી પર બેઠા. દાદાએ પોતાની બંડી માથી રૂમાલ કાઢ્યો અને પોતાના બાટલી છાપ ચસ્માં સાફ કરવા લાગ્યા. ચસ્માં સાફ કરતા કરતા મને કહે લ, " અમિત ડીકરા મેનેજમેન્ટ આવરે તો... ભનેલા તો ભારે પન મલે ! " 

મે કીધું વાહ દાદા વાહ તમે તો મોટીવેશનલ સ્પીકર છો. તો દાદા મને કહે આ બઢા ટો હવે આવ્યા, અમાલા ઝમાના માં ટો અમે ખુદ ને જ મોટીવેટ કરતા. પછી મને કહે ચાંમે જો ઓલા જુવાનિયા ચુ કરેચ ?? મે કીધું વાંકા ચુંકા થઈ ને યોગ કરે છે. એકડમ કલેક્ટ માલા અમિત ડીકરા એકડમ કલેકટ !

આ લામદેવ બાબા એ આખા દેચ ને વાંકો ચુંકો કલાવિને કરોડો રૂપિયા બનાવ્યા ને ? મે કીધું હા ઓ દાદા સાવ સાચું કીધું. પછી કહે આ આપડા ઢિલુભાઈ પણ પેત્રોલ વેચતા કે નહિ ? મે કીધું વેચતા હો દાદા. તો મને કહે ટોય આ ઢિલુભાઈ એ લીલાયનસ ઊભી કરી ને?? "અમિત ડીકરા ક્યાલેય પોટાની જાત ને નીચી નહિ માનવાની, ઉપળવાલો બઢું સારું જ કરે ચ" 

ઘરે પાછા ફરતા રસ્તામાં દાદા એ મને કીધું અમિત ડીકરા, ટે ઓલી કહેવટ ચાંભલી ચે કે, હિંમટે મરડા તો મડડ એ , હું વચ્ચે જ બોલી ઉઠ્યો ખુદા ! તો દાદા મને કહે ના ડીકરા હિંમટે મરડા તો મડડ એ દાટા (ડેટા) હવે ઈન્તર નેત નો જમાનો આવી ગયો ચ. હવે ટો ડેટા એ જ ખુદા ચ !


તો અહી કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ભાગ ૨ સમાપ્ત થાય છે. આ બન્ને ભાગ તમને કેવા લાગ્યાં એ કૉમેન્ટ કરીને જણાવજો. જો તમે કહેશો તો હજુ ત્રીજો ભાગ પણ લખીશ. નહિ તો હવે મળીશું નવા મુદ્દા અને નવી વાત સાથે... ત્યાં સુધી રામ રામ સલામ કરતા રહો પોતાનું કામ. શક્ય હોય તો આ લેખ પોતાના ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવા વિનંતી છે ! અને ઈચ્છા હોઈ તો મને નીચે જણાવેલ સોશ્યલ મિડીયા પર ફોલો કરી શકો છો !

Wednesday, May 20, 2020

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર (ભાગ-૧)

ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ 10 માં આવ્યું હોઈ, કે પછી તમારું વાંચન નબળું હોઈ, હ્રદય નબળું હોઈ, મગજની કોઈ બીમારી હોઈ, તો આગળ વાંચવું નહિ. વાંચશો તો મજા આવશે !

જોયું... ના પાડી હતી ને કે વાંચશો નહિ તોય આવી ગયા ને વાંચવા ? તો હાલો હવે વાંચી જ નાખો આખી વાત.. ના વાંચો તો ટિક ટોક ના હમ હો !

અંગ્રેજી કેલેન્ડર નો પાંચમો મહિનો એટલે કે મે મહિનો. આ "મે" મહિનો "બે" વાત માટે ગુજરાત માં પ્રખ્યાત છે. કઇ બે વાત ? સોચો સોચો કૂછ તો સોચો યાર... યસ બિલકુલ સહી પકડે હૈ ! એ બે વાત એટલે કે એક તો ગરમી અને બીજું એટલે ગુણ પત્રક બોલે તો અપુંન કા ક્રાઇમ રેકોર્ડ ! ગરમી એની ચરમસીમા પર હોઈ અને એમાંય આ રિઝલ્ટ ની માથા કુટ. આવી ગયા પછી કહી ખુશી... કહી ગમ જેવો માહોલ છવાઇ જાય છે !!

જે દિવસે બોર્ડની વેબ સાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવે એ દિવસની સાંજથી લઈને હવેના ૧૦ થી ૧૫ દિવસ કોઈ પણ અખબાર ખોલો એટલે શું દેખાય ??? દરેક શાળાઓ પોતાના સિતારાને ચમકાવવા માટે અખબાર માં જાહેર(બે)ખબરો નો રીતસરનો ધોધ વરસાવે... ! હું માંડ બચ્યો એ ધોધ માથી નહિ તો તણાઈ જાત ! દરેક શાળા પોતાને નંબર ૧ ગણાવે છે. હવે સાલું હું છે ને થોડોક કન ફયુઝ (જુઓ મે સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કર્યું છે આ શબ્દ પૂરતું) છું કે બધા નંબર ૧ છે તો નંબર ૨ અને ૩ પર કોણ છે ???

દરેક શાળા પોતાના ટોપ ૧૦ ને એ રીતે રજૂ કરે છે જાણે જે વિદ્યાર્થી સામાન્ય ગુણ થી પાસ થયાં છે અથવા તો જે થોડાક જ ગુણ ના અંતર થી પાસ થવાથી ચૂકી ગયા છે એમનો તો હવે ગરાસ જ લૂંટાઈ જવાનો, એમના માટે તો હવે આ દુનિયાના તમામ દરવાજા બંધ ! એમનો હવે બોલે તો ખેલ ખલાસ !

બોર્ડ માં હોઈ એવા દરેક વિદ્યાર્થિની ૩ કેટેગરી હોઈ બોલે તો ડી વિજન ( ફિર સે સો. ડી. કા પાલન કિયા હેંઇ ) હોઈ. ૧) પાસ ૨) નાપાસ અને ૩) કૃપા ગુણ વાળા ક્રાંતિવીર કે જેના પર આજનો લેખ છે એવા ચડાવ પાસ ( ભાઈ લોગ ટેન્શન ના કુ લો અપુન ભી તુમ લોગો કીચ માફિક હૈ બોલે તો ચડાવ પાસ). પ્રથમ બે કેટેગરી માં સ્થાન પ્રાપ્ત કરવું એ સનમાન ની વાત છે, પણ એથી પણ મહા સનમાન ની વાત (સલમાન નહિ હો) છે. પૂછો ક્યું ?? અરે પૂછો તો સહી યાર.... !

કેમ કે આ કેટેગરી ના વિદ્યાર્થીને સૌથી વધુ સવાલો નો સામનો કરવો પડે છે ( સચ કા સામના યાદ છે ને ઓલો આપડો રાજુ ખંડેલવાલ) . મમ્મી પૂછે આવું કેમ થયું ? પપ્પા પૂછે આવું કેમ થયું ? ભાઈ બહેન પૂછે આવું કેમ થયું ? દાદા દાદી કાકા કાકી ( બાકીના બધા આવી ગયા એવું સમજો ભીડુ ) પણ એ જ પૂછે આવું કેમ થયું ?? સાલું વેફર લેવા કરિયાણા ની દુકાન પર જાય તો એ પણ એ જ પૂછે આવું કેમ થયું ?? ( સાલું કોણ વિભીષણ ત્યાં માહિતી આપી આવ્યું હોઈ ખબર નો પડે ) વેફર લઈ ને પાછા આવતા હોઈ તો પાડોશી બાકી રહી ગયા હોઈ એ પણ હમામ મે સબ નંગે ની જેમ પૂછે... શું પૂછે સમજી ગયા ને ?? અને આ સવાલ ની સાથે તમે કશું પણ ન પૂછો તો પણ મફત માં સલાહ પણ આપે "થોડીક મહેનત કરી હોત તો સારા માર્ક થી પાસ થઈ જાત !"

માદર( હવે અહી કોઈ ગાળ છે એવું ધારી લો તમારી ફેવરિટ ગાળ છે એમ સમજી જાવ ) આ સારા માર્ક્સ માપવાનું મીટર કોણે બનાવ્યું એ જ નથી સમજાતું. પાછું બધાના મીટર અલગ અલગ જવાબ બતાવે કોઈનું મીટર ૬૦% એટલે સારા માર્ક્સ એમ કહે તો વળી કોઈનું મીટર ૭૦% કોઈનું વળી ૭૫% કોઈ ૮૦% અને સૌથી છેલ્લે આઇન સ્ટેઇન નું મીટર આવે એના મત મુજબ સારા માર્ક્સ એટલે ૯૫% ( હું બેહોશ થતાં થતાં બચી ગયો હો ) ! આમાંથી કેટલા ટકા વાળું મીટર સાચું ??? જવાબ તમે વિચારી રાખો શેષ વાત બીજા ભાગ માં કરીશું !

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી શકો છો !

લેખ અંગે તમારા સૂચનો પ્રતિભાવ વખાણ ટીકા બધું જ આવકાર્ય છે ! ઈચ્છા હોઈ તો મને નીચે જણાવેલ સોશ્યલ મીડિયા પર ફોલો કરી શકો છો ! અહી સુધી આવીને આખો લેખ વાંચ્યો એ બદલ આભાર !
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/amitgirigoswami9594

Tuesday, May 19, 2020

જીવતો વાયર

દરેક લોકો ની અંદર એક ભૂખ્યો વરું હોઈ છે, જેમ શિકાર કર્યા વગર વરું ને શાંતિ નો મળે એમ લોકોને પણ જ્યાં સુધી પોતાની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી એમને શાંતિ નો મળે !

મારી અંદર પણ આવો એક "ભૂખ્યો વરું" છે અને એ વરું ને શિકાર કરવો નથી ગમતો ! પણ લખવું ગમે છે... સારું ખરાબ નબળું ગામ શું કહેશે, સમાજ શું કહેશે, મિત્રો શું કહેશે આ બધું વિચાર્યા વગર લખવું ગમે છે !

તમે જેવા ઘરની બહાર નીકળો છો ત્યારથી તમારી સામે આવતા દરેક લોકો જજ (અમાન્યતા પ્રાપ્ત) છે... તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવા વાળ ઓળી ને નીકળો છો, કેવા પગરખાં પહેરો છો, કેવી ઘડિયાળ પહેરો છો વગેરે વગેરે આવી બધી બાબતો એ જજ(!) તમને પૂછ્યા વગર નક્કી કરી નાખે છે !

તો આ બધાંથી બચવા શું કરવું ?? સો સિમ્પલ આવા લોકો ને અવોઇડ કરો (તમને બીજા રસ્તા ખબર હોઈ તો કહેજો હોં)

આવા બધા મુદ્દા ને ધ્યાનમાં રાખીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું "જીવતો વાયર" ની ! આમાં કોઈ ની શેહ શરમ રાખ્યા વગર કલમ ની જગ્યાએ કરવત વાપરવામાં આવશે !

જો તમારી ઈચ્છા હોઈ તો વાંચજો ! ના ઈચ્છા હોઈ તો ન વાંચતા !
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

Monday, May 18, 2020

બધી જવાબદારી સરકાર ની તો તમારું શું?? ખાલી જલસા જ કરવા છે ???

એક બહેને મેસેજ કર્યો કે સાધુ વખતે તમે ટ્રેન્ડ ચલાવ્યો હતો તો આ મજૂરો વિશે કેમ કશું લખતા નથી ?? તો લો હવે હું જણાવી આપું મારું મંતવ્ય !!

આપણા દેશ માં ખરેખર અજીબો ગરીબ લોકો (મૂર્ખ) રહે છે (માથે ઓઢી નો લેતા !) જ્યારે સરકાર મજૂરો ને તેમના વતન જવાની કોઈ સગવડ પૂરી નહોતી પાડતી ત્યારે સરકાર ના છાજીયા લેતા હતા અને હવે સરકાર પરત મોકલવાની તૈયારી કરે છે તો કહે છે પાછા કેમ લાવશો ??

આ લોકો એવા છે આગ લગાવે તો કહે કેમ લાગી અને સરકાર બુઝાવી નાખે તો કહે કેમ બુઝાવી?? સળગવા દેવું હતું ને ! એટલે કે કોઈ પણ રીતે સરકાર ને જ જવાબદાર ગણવાની ! પોતાના ઘર ની બહાર કચરો પડ્યો હોઈ તો કહે મોદી જવાબદાર, થોડા સમય માટે લાઈટ જાય તો કહે મોદી જવાબદાર, બટેકા ટામેટા ડુંગળી ના ભાવ વધે તો મોદી જવાબદાર, ( પાછા ઘટે તો પણ મોદી જ જવાબદાર હો !) આ લોકો એટલા આળસુ હોઈ કે મોઢા ઉપર માખી પણ બેસી જાય તો મોદી જવાબદાર !

હવે મૂળ વાત મજૂરો ના મૃત્યુ પર... વીતેલા બે દિવસો માં લગભગ લગભગ બે જેટલી દુર્ઘટના માં ૮૧ જેટલા મજૂરો અકુદરતી રીતે મૃત્યુ પામ્યા આ ઘટના મારા માટે એટલી જ દુઃખદ છે જેટલી તમારા જેવા (અ)સંવેદનશીલ લોકો માટે ! તો હવે મારા કેટલાક સવાલ છે જેના જવાબ તમે નહિ જ આપી શકો મને ખબર છે.. કારણ કે તમારા માટે તો મોદી જ જવાબદાર છે ! મોદી પહેલા તો કોઈ આ દેશ માં પ્રધાનમંત્રી બન્યું જ નથી.. ! બધું હવે જ થાય છે... શીખો નો હત્યાકાંડ ભુલાઈ ગયો છે... ભોપાલ ગેસ કાંડ ભુલાઈ ગયો છે .. ૨૬/૧૧ પણ ભૂલી જવાની હાલત માં જ છે !!

તો હવે આ રહ્યા અમુક સવાલ જે કોઈ પણ સામાન્ય બુદ્ધિ વાળા માણસ ને થાય...

૧) આ મજૂરો ટ્રેન પર સૂઈ ગયા ત્યારે એમને એ ખબર નહોતી કે દેશ માં માલ વાહક ટ્રેન ચાલુ જ છે એ બંધ નથી થઈ ?
૨) ટ્રેન ૫ થી ૧૦ કિમી દૂર હોઈ ત્યારથી જ તેના હોર્ન નો અવાજ સ્પષ્ટ સંભળાય જાય તો આ મજૂરો ને કોઈ અવાજ નો સંભળાયો ??
૩) ટ્રેન ચાલવાને લીધે પાટા પર રીતસર ધ્રુજારી અનુભવાય છે... તો શું આ લોકો ની નીંદર એટલી મજબૂત કે ટ્રેન ના પાટા પર કોઈ ધ્રુજારી જ ના અનુભવાઈ ??
૪) તેમને સુવા માટે કોઈ ખાલી જગ્યા નો મળી ?? કોઈ જગ્યા નહિ ને માત્ર ટ્રેન ના પાટા જ મળ્યા ??

હવે ચાલીને જતાં મજૂરો વિશે થોડાક સવાલ..

૧) આટલી બધી સામાજિક સંસ્થાઓ તમને મફત માં રાશન અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે છતાં વતન માં જવાની જીદ કેમ??
૨) વતન માથી અહી આવ્યા ત્યારે સરકાર ને મોદી ને પૂછીને આવ્યા હતા ?? ( જો ના, તો હવે સરકાર અને મોદી કેમ જવાબદાર ?)
૩) સરકાર મજૂરો માટે બસ ની સુવિધા પૂરી પાડે છે તો પણ ચાલી ને જ જવાની જીદ શું કામ ??

આ સીવાય ઘણા એવા સવાલો છે જે શંકા ઉત્પન્ન કરે છે પણ હું કોઈ વિવાદ ઉભો કરવા નથી માંગતો !

તો આ છે મારું મંતવ્ય બની શકે તમારો તર્ક મારાથી જુદો હોઈ શકે પણ એનો અર્થ એ નથી કે તમે તમારી વાહિયાત વાતો મારા ઉપર ઠોકી બેસાડો !

વિરોધ ત્યારે જ કરવો જ્યારે સહન કરવાની પણ શક્તિ હોઈ... નહિ તો ચૂપચાપ જોયા કરવું ! ખોટી પાયા વિહોણી વાત કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન નહિ કરવાનું !

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...