Tuesday, June 15, 2021

લાગી મોહે એસી લગન

"કોઈ પણ માણસનું વાસ્તવિક ચરિત્ર જાણવું હોય તો એના હાથમાં સત્તા સોંપી દો" - અબ્રાહમ લિંકન


"કોઈ પણ માણસનું વાસ્તવિક ચરિત્ર જાણવું હોય તો એના હાથમાં સત્તા સોંપી દો" - અબ્રાહમ લિંકન


સત્તા હાથમાં આવવાથી માણસ બદલાઈ જતો નથી, પણ જેવો હોય એવો દેખાઈ આવે છે, એટલે કે ઉઘાડો પડી જાય છે !



ગઈ કાલે અમદાવાદમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્લી ના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના મુખી એવા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરીને ગયા છે. કેજરીવાલ હવે ખંધા રાજકારણી બનતા જાય છે. ગુજરાતમાં વરસોથી ભાજપ નું એકહથ્થુ શાસન છે અને આ વખતે જનતાનો થોડો રોષ ભાજપ પર છે એવું કહી શકાય કે કેજરીવાલ એન્ટી ઇન્કમબન્સી નો લાભ પૂરેપૂરો ઉઠાવી લેવા માંગે છે ! આ વખતે કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચુંટણી માં પૂરેપૂરું લડી જ લેશે એવું વર્તાય છે.


નાનપણ માં એક વાર્તા સાંભળેલી હતી, બે બિલાડીઓ રોટલાના ટુકડા માટે લડતી હોય છે અને પછી એક કપિરાજ આવીને રોટલાના ભાગ પાડી દેવા માટે ન્યાયધીશ બને છે.... આગળ શું થયું એ તમે જાણો જ છો !

 આમ ગુજરાતમાં પણ આ વખતે સતા માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે ! કેજરીવાલ પણ કપિરાજ ની જેમ ન્યાયધીશ બનીને વિધાનસભામાં પ્રવેશ કરવા ઈચ્છે છે એ એમની સત્તા કબ્જે કરવાની મહત્વાકાંક્ષા દર્શાવે છે. જોવાનું એ રહે છે કે હવે ગુજરાતની જનતા જનાર્દન એમને કેવો આવકાર આપે છે. જે રીતે સુરત મહાનગર પાલિકા ની ચુંટણી માં આપ ને સારો પ્રતિસાદ મળ્યો એવો જ પ્રતિસાદ વિધાનસભા ચુંટણી માં મળશે કે નહિ એ તો આવનારો સમય જ બતાવશે. જો સુરત મહા. પાલિકા ના આંકડાઓ જોઈને કેજરીવાલ એવું સમજતા હોય કે ગુજરાતની જનતા અમારી સાથે છે, તો એ ખાંડ ખાય છે !


પાટીદારોનો કોંગ્રેસ પ્રત્યે મોહભંગ થવાથી તેઓ આપ તરફ ઢળ્યા હતા અને એમના સંયુક્ત મતો મળવાને


લીધે સુરતમાં આપને સારી એવી સફળતા મળી હતી.
 


પણ વિધાનસભાની સોગઠાબાજી ના ચોકઠાં અલગ રીતે ઘડાતા હોય છે.... આ અલગ સમીકરણમાં કેજરીવાલના ચોકઠાં કેટલા ફીટ બેસે છે એ હવે જોવું રહ્યું. એક વાત નોંધવા જેવી છે કેજરીવાલ ગુજરાતમાં આટલા સક્રિય બન્યા છે એનું એકમાત્ર કારણ ત્રીજા મોરચાના વડા બનવાનું હોઈ શકે છે...!



ગુજરાત એ ભાજપ અને મોદીનો ગઢ રહ્યું છે. જો કેજરીવાલ ગુજરાતમાં સારું પ્રદર્શન કરે તો એ પોતાના રિપોર્ટ કાર્ડ માં A+ ગ્રેડ મળ્યો એવું બળપૂર્વક કહી શકે...! રાષ્ટ્રીય સ્તર પર અત્યારે મોદી સમક્ષ એવો કોઈ ચહેરો નથી જે તેમને ટક્કર આપી શકે. બંગાળ ચુંટણી વખતે મમતાએ જે રીતે મોદી સામે શિંગડા ભરાવ્યા હતા એ આખો ઘટનાક્રમ  આપણે જાણીએ છીએ. મોદી સામે મમતા હજુ પણ પ્રાદેશિક નેતા જ કહી શકાય.


આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા સોશ્યલ મીડિયામાં શેર કરો. અવનવું વાંચવા માટે ઇ મેઈલ દ્વારા સબસ્ક્રાઈબ કરો...!


આપના સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે !

FOLLOW ME HERE 

 https://www.facebook.com/amitgirigoswami95

https://www.instagram.com/amitgirigoswami95

https://twitter.com/AmitgiriA9

https://t.me/Amitgirigoswami95

Sunday, June 13, 2021

વાહ ગીતા બેન વાહ.... અમે લાઈન માં ને તમે ઘરે...!!!

 

એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.



ભારત જેટલો મારો દેશ છે એટલો જ તમારો પણ દેશ છે, એટલે કે ભારતના કાયદો બધા માટે સમાન જ છે પછી તે પસ્તી વેચવા વાળો મજૂર હોય કે પ્રધાનમંત્રી ખુદ પોતે હોય ! અત્યારે દેશ માં બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડવા લાગી છે ત્યારે આપણે બધા એ રસી મુકાવી જોઈએ અને બીજા લોકોને પણ રસી મૂકવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ.



એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.


રસી મુકાવવી એ વર્તમાન પરિસ્થિતિ જોતા દરેક નાગરિક નો હક બને છે. પણ આ માટે સરકારે બનાવેલી ગાઇડલાઈન નું આપણે બધાએ પાલન કરવું પડે છે. રસી લેવા માટે તમે કેટલા પ્રયત્નો કર્યા ?? કેટલી વાર લાઈન માં ઊભા રહ્યા ?? કેટલો તડકો સહન કર્યો ?? .... બધાએ ઓછા વત્તા અંશે કંઈ ને કંઈ મુશ્કેલી અનુભવેલી જ હશે... !



હવે ગીતા બેન રબારી એ આમાંથી કઇ મુશ્કેલીનો સામનો કર્યો ??? કદાચ એક પણ નહિ ! કેમ એમ ??? અરે ભાઈ કારણ કે એ તમારી અને મારી જેમ સામાન્ય માણસ નથી. ગીતા બેન એ "ખાસ" નાગરિક છે, એટલે એ ઘરે રસી લે એમ ઉહાપોહ મચાવવાની કોઈ જરૂર નથી...!


સેલિબ્રિટી દ્વારા આવા છડેચોક નિયમોના ભંગ કરવાની આ ઘટના પ્રથમ નથી અને કદાચ અંતિમ પણ નહિ જ હોય..! હજુ ઘણા એવા લોકો આવશે જે ગુપ્ત રીતે રસી લઈ લેશે ...!! 


ગીતાબેને જો ઘરે જ રસી લેવી હતી તો ભલે લે... એ એમની "વગ" કે પછી એમની "પહોંચ" દર્શાવે છે.... એમાં કોઈને વાંધો ન જ હોવો જોઈએ. પણ રસી લીધા પછી એમણે જે ફોટા વહેતા કર્યા સોશ્યલ મીડિયામાં એ જોઈને લોકોને ગુસ્સો આવ્યો છે !



ગુસ્સો આવવાનું કારણ શું ??? એક જ કારણ કે ગુજરાતની જનતા લાઈન માં ઊભા રહીને રસી મૂકવા માટે હેરાન થાય છે જ્યારે અમુક કહેવાતા ખાસ લોકો ઘરે જ રસી લઈ ને ફોટા મૂકે સોશ્યલ મીડિયામાં અને બીજા લોકો કરતા પોતે ખાસ છે એવી છાપ સામાન્ય લોકોના મનમાં ઊભી કરે.


ગીતાબેન આટલા બધા ચાહકો ધરાવે છે તો એમની ફરજ બને છે કે એ એવું ઉદાહરણ પૂરું પાડે કે લોકો પણ શિસ્તબદ્ધ રીતે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જયી ને રસી મુકાવી આવે. પણ અહીં ગીતા બેન દ્વારા જાણતા કે અજાણતા આવી ખાસ ટ્રીટમેન્ટ ના ફોટા બહાર આવ્યા છે એ ખરેખર એમની બેદરકારી નું પ્રદર્શન જ છે.


આ લેખનો ઉદ્દેશ્ય ગીતાબેન ની છબી ખરાબ કરવાનો નથી પણ ભવિષ્યમાં આવી ભૂલ ન કરે એ માટે છે !


✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )

Saturday, June 5, 2021

રસી મુકાવીને રખડતા અ-રસિકો

ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! 



પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !


 કોરોનાની બીજી લહેર પણ હવે હળવે હળવે ધીમી પડતી જાય છે અને મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં કેસો કરતા દર્દીને રજા આપવાના આંકડાઓ માં વધારો જોવા મળે છે...! આ બાબત હકારાત્મક છે અને અત્યારના નેગેટિવ માહોલમાં થોડીક પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !


ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! બધા સલાહ સૂચન ની હારમાળા લઈને જ રખડે છે, કોઈ સામે મળ્યું નથી કે ગળામાં હારમાળા પહેરાવી નથી...! અરે ભલા માણસ તારી સલાહ તારા ઘરવાળા (વાળી) પણ માનતા નથી તો બીજા શું ખાખ માનવાના....??? એના કરતાં રેહવા દો ને આવી સલાહ સૂચના આપવાનું... મૌન રહીને થોડીક ઊર્જા બચાવો તો પણ આ પૃથ્વી ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો ગણાશે !



હવે આવી જાવ હું મારા મૂળ મુદ્દા પર... અત્યારે જેટલા પણ લોકો માસ્ક વગર રખડતા જોવા મળે છે એ બે પ્રકારના લોકો છે.... ૧) જેમને રસીના બંને ડોઝ લઈ લીધા છે એવા અને ૨) જેને રસી લેવા કે ન લેવા અંગે કોઈ ફેર પડતો નથી ( આવા લોકો એમના મતે ચિરંજીવી છે ) ...!


હવે મૂળ સમસ્યા મારી હાળી એ છે કે આ માસ્ક વગરના લોકો જે દબંગ બનીને રખડતા હોય છે એ રસી મુકાવેલા છે કે વગર રસીએ દબંગ બનીને રખડે છે.... એ નક્કી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે ! આપડે કેમ નક્કી કરી શકીએ કે સામેવાળા એ રસી મુકાવી છે કે નહિ ???


મે એનો પણ રસ્તો કાઢ્યો છે, તમે પણ અજમાવી જોજો.... જે લોકો રસ્તા પર રખડતા ભટકતા ( કૂતરા નહિ હો...) જોવા મળે ખાસ તો માસ્ક વગરના... એને તમારે પેલું પાંચ કે દસ રૂપિયા વાળું દુધિયા કલર વાળું સર્જીજલ માસ્ક આપવું... જો એણે રસી લીધી હશે તો કહેશે " આવા માસ્ક ફાસ્ક ની મને જરૂર નથી... મે બેય ડોઝ લઈ લીધા છે હોં..!" અને જેને રસી માં વિશ્વાસ જ નથી એને માસ્ક માં પણ ક્યાંથી વિશ્વાસ હોવાનો ??? એ કેવો તર્ક આપશે એ પણ કહું..... એ ડોકટર સાહેબ પોતાના કોલર ઉંચા કરતા કહી દેશે કે, " જો માસ્ક થી જ કોરોના રોકાઈ જતો હોય તો રસી શું કામ આપો છો ??? અને રસી થી કોરોના રોકાઈ જતો હોય તો માસ્ક શું કામ પહેરવો છો ???


જોકે, હું આવા બુદ્ધિજીવી લોકો સાથે વાદ વિવાદ માં નથી ઉતરતો... કેમ કે મને ખબર છે આવા લોકો મારું માથું અને સમય બન્ને ખાઈ જશે... એટલે એવા લોકોથી દૂર જ રહેવું... પેલા જીગ્નેશ કવિરાજ નું કે કોઈનું ગીત છે "બેવફા તને દૂરથી સલામ" એની જેમ... !

છાપું વાંચી વાંચીને અને આંખ ને આટલી બધી કસરત કરાવીને એક વાત તો હું ખાતરીપૂર્વક કહી શકું કે રસી મુકાવી જ લેજો.... ફાયદો છે કે નુકસાન છે એ બધું જીવતા રેશો તો નક્કી કરી લેજો.... હવે તો કોવીન પોર્ટલ પર પણ સ્લોટ ખાલી જોવા મળે છે તો રસી લો અને બીજા લોકો ને પણ લેવડાવી દો અને એને પણ કહો કે તમે પણ બીજાને રસી મુકાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી દો....!!


✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )

Wednesday, May 5, 2021

પપ્પાને અંતિમ પત્ર

  નમો નારયણ

આદરણીય પપ્પા

ગોસાઇ નવિનચંદ્ર નારણગર

નિવાસ; કૈલાસવાસ

 

પપ્પા તમે તા. ૨૬/૪/૨૦૨૧ ગુરુવાર તિથિ ચૈત્ર સુદ ૧૪ વિ.સં ૨૦૭૭ ના રોજ અમને બધાને મુકીને અનંત સફરે ચાલ્યા ગયેલા છો. આપણા ઇષ્ટદેવ મહાદેવ તમને કૈલાસમા એમના ચરણોમાં સ્થાન આપે એવી અમો બધા મંગળ કામના કરીએ છીએ. આપનો સ્થુળ દેહ અમારા બધા વચ્ચે રહ્યો નથી, એ હવે સનાતન સત્ય છે ! પણ આ વાસ્તવિકતા સ્વિકારતા મને અને અમને બધાને ખુબ વાર લાગશે. ઘરની દરેક ચીજ વસ્તુઓ સાથે તમારી એટલી યાદો જોડાયેલી છે કે અમે હજુ એ વાત સ્વિકારી શકીએ એમ જ નથી કે આપ હવે કૈલાસવાસી બની ગયા છો.

 

તમે બેસતા એ ખુરશી, તમે પહેરતાં એ વસ્ત્રો, અખબાર વાંચતી વખતે તમે પહેરતા એ બેતાલા ચશ્મા, મહાદેવ મંદિરે  જલ અર્પણ કરતી વખતે જે તામ્ર કળશ વાપરતાં એ કળશમાં અને સમગ્ર ઘરના ખુણે ખુણામાં આપની ચેતના હજુ પણ વ્યાપ્ત છે, એવો મને આભાસ થયા કરે છે. આપ ચાલવા ગયા હશો અને હમણા જ પરત ફરશો એવી આશાએ અમારી દ્ર્ષ્ટિ હજુ પણ ઘરના દરવાજા પર મંડાયેલી રહે છે !

 

આપની એટલી બધી યાદો આ ઘર સાથે અને મારી સાથે જોડાયેલી છે કે, આપનો આ પુત્ર એને શબ્દોમા સમાવી શકવા માટે અસમર્થ છે. આમ છતાં આપને એક શબ્દાંજલી આપવાનો આ એક નાનકડો પ્રયાસ મારા દ્વારા થયો છે.

न जायते म्रियते वा कदाचिन्नायम् भूत्वा, भविता, वा न भूय:

 

अजोनित्य: शाश्वतोयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे………” ગીતા ૨/૨૦

 

आत्मा का जन्म नहीं होता । उसकी मृत्यु भी नहीं होती । वह पहेले न थी, या अबके बाद नहीं होगी, ऐसा नहीं है । आत्मा अजन्मा, नित्य, शाश्वत, पुरातन है । शरीर का नाश होने पर भी आत्मा का नाश नहीं होता । हे अर्जुन ! आत्मा को शस्त्रो काट नहीं सकते । अग्नि जला नहीं सकता । पानी भीगो नहीं सकता और वायु सूखा नहीं सकता । आत्मा, सर्वव्यापी, स्थिर, अचल और सनातन है । उसे अव्यक्त, अचिंत्य और विकार रहित कहेते हैं ।

                                                                                                                                                લી.

                                                                       આપનો અમિતગીરી

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...