Tuesday, June 30, 2020

બે-ઢબ ~ ફિલ્મ રિવ્યૂ ( અમિત ગીરી ગોસ્વામી )

બહુ ઓછાં લોકો જાણતા હશે કે આ નામની પણ કોઈ ફિલ્મ આવી છે. પણ જે લોકો ફિલ્મ રસિક છે એમની નજર બહાર આ ફિલ્મ નહિ જ હોઈ એવું મારું માનવું છે !

ફિલ્મ ની લંબાઈ માત્ર ૩૭ મિનિટ જેટલી જ છે એટલે આને શોર્ટ ફિલ્મ કહીએ તો પણ ચાલે...!! ફિલ્મ નો કોન્સેપ્ટ નવો કહી શકાય એવો છે, પણ મૂળ પ્લોટ નવી બોટલ અને જૂના દારૂ જેવો છે ! સાવ નવરા બેઠા હો અને કશું જ ઇમ્પોરટન્ટ કામ ન હોઈ તો અડધો કલાક આ ફિલ્મ પાછળ ખર્ચવા જેવો છે !!

ફિલ્મ માં કોઈ જ ગીત નથી એ મને ગમ્યું, કારણ કે ગીતો ફિલ્મની લંબાઈ વધારે અને ફિલ્મ ને સાઈડ ટ્રેક પર લઈ જતા હોઈ છે ! ફિલ્મ માં કોઈ એવા ચોટદાર કે અસરદાર ડાયલોગ પણ નથી કે જેને તમે કહી શકો કે અહા ! શું મસ્ત ડાયલોગ છે !! અને એક પણ એવી પંચ લાઇન નથી જેને તમે વોટ્સએપ પર સ્ટેટ્સ માં શેર કરી શકો !

ફિલ્મ માં એક માત્ર જાણીતું પાત્ર એટલે સંજય કપૂર ! સંજય કપૂર ની એક્ટિંગ માટે એકવાર આ ફિલ્મ જોઈ શકાય, બાકી ના બધા પાત્રો નવા જ છે એટલે તમે એમને જજ ન કરી શકો !

ફિલ્મ માત્ર ત્રણ પાત્રો ની આજુ બાજુ જ ચાલતી રહે છે, ક્યારેક ક્યારેક વાર્તા ધીમી થઈ જાય એવું લાગે છે !

બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પણ એક જ વાયોલિન વાળી થીમ છે, બહુ સારું મ્યુઝિક તો ન કહી શકાય પણ સાવ નબળું પણ નથી !

ફિલ્મ કદાચ ઓછાં બજેટ માં બનાવી હશે એવું પ્રાથમિક તારણ કાઢી શકાય. ફિલ્મ માં કોઈ નવા સ્થાન કે જગ્યા નથી દર્શાવવામાં આવી, માત્ર એક સારા એવા ફાર્મ હાઉસ ની અંદર આ ફિલ્મ નું ૯૦% દ્વષ્યાંકન કરવામાં આવ્યું છે !

ફિલ્મ ની શરૂઆત થાય છે એક રૃષ્ટ પુષ્ટ કાયા ધરાવતો યુવાન દરિયાની અંદર સ્થિર રહેલી એક યોટ માં ચોરી ચૂપકે પ્રવેશી જાય છે !

આ યુવાન એટલે ફિલ્મ નું મુખ્ય પાત્ર અયાન, જે કદાચ અમીર બાપ કી અમીર ઓલાદ કહી શકાય ! આ ભાઈ નું બસ એક જ કામ છે, દારૂ પીવો, ફૂલ વોલ્યુમ માં મ્યુઝિક સાંભળવું અને ચિલ  મારવું !!

ફિલ્મ નું બીજું મહત્વનું પાત્ર એટલે આન્યા જે આ ભાઈ ની ગર્લ ફ્રેન્ડ છે ( એના ધારી લીધા મુજબ ) કૌંસ માં આપેલી સ્પષ્ટતા ને તમે આ ફિલ્મ જોશો ત્યારે લાઇટ થશે !

બન્ને કોઈ એક જગ્યા એ મળ્યા હોઈ છે અને પછી જેમ બધી ફિલ્મ માં ચાલે એમ, બંન્ને વચ્ચે પ્રેમાલાપ શરૂ થાય છે !
શરૂઆત માં આન્યા ને ખ્યાલ નથી હોતો કે આ ભાઈ આખો દિવસ પોતાના ઘરમાં બેસીને રૂમમાં રહેલા મચ્છરો ભગાડવા માટે સિગારેટ નો ધુમાડો કાઢ્યા રાખે છે !


આન્યા જ્યારે આ વાત જાણે છે ત્યારે એને ટોકે છે અને પોતાની આ ખરાબ આદત બદલવા કહે છે ત્યારે આ મહાશય સાચું સાંભળવાને બદલે તેને ગુસ્સાથી ઘર છોડીને ચાલ્યા જવાનું કહે છે !!!

પોતાની ગર્લ ફ્રેન્ડ પોતાને છોડીને ચાલી ગઈ છે એના ગમમાં આ ભાઈ ચિક્કાર દારૂ ઢીંચીને ઘરે આવે છે, અને સૂઈ જાય છે !

હવે જ આવે છે ફિલ્મ નું મુખ્ય રહસ્ય અથવા તો ટવીસ્ટ અથવા તો વણાંક !! ભાઈ જ્યારે સૂતા હોઈ છે ત્યારે એના દરવાજે કોઈ ટકોરા મારે છે ! વિચારો કોણ હશે ??? વિચાર્યું ??? અચ્છા નથી વિચારવું ને ! કોઈ વાંધો નહિ હું જ કહું કોણ ટકોરા મારે છે !


એના દરવાજે ટકોરા મારનાર વ્યક્તિ હોઈ છે સાક્ષાત મૃત્યુ ના દેવતા એવા "યમરાજ" ! યમરાજ એટલે આ ફિલ્મ નું ત્રીજું મહત્વ એવું પાત્ર ( યમરાજ નો રોલ સંજય કપૂર એ નિભાવ્યો છે )


યમરાજ આ ભાઈના બારણે ટકોરા મારે છે એટલે, આળસ ખંખેરીને જોવા જાય છે કે આ મધરાતે કોણ હેરાન કરવા આવ્યું મને ??? જેવો દરવાજો ખોલે છે એટલે ચિત્ર વિચિત્ર વેશભૂષા ધારણ કરેલ એક વ્યક્તિ કહે છે, હું યમરાજ છું અને તને લેવા આવ્યો છું !

અયાન ના તો પગ ગરબા કરવા લાગે છે અને પછી પરસેવે રેબ ઝેબ થઈ જાય છે અને હડપ થી દરવાજો બંધ કરી દે છે ! અને વળી સુવા ચાલ્યો જાય છે !
પણ યમરાજ જેનું નામ, એ આટલી આસાનીથી થોડા જાય ???

અયાન સૂતો હોઈ છે એની સામે એક ઊંચક નીચક થતી હોય એવી આરામ ખુરશી પડેલી હોઈ છે ! એમાં આ યમરાજ આસન જમાવી દે છે !

અને આ ભાઈને એક સિગાર પીવા આપે છે, પહેલા તો આ ભાઈ સિગાર પીવાની ના પાડે છે એટલે યમરાજ કહે છે જો તું આ સિગાર નહિ પીવે તો હું તારી સો કોલ્ડ આન્યા ને ખતમ કરી નાખીશ ! એટલે આ આવારા આશિક પોતાની મજનું ને સુરક્ષિત રાખવા સિગાર પીવે છે એટલે બે કશ માં જ બેહોશ બની જાય છે !

બીજે દિવસે સવારે ફરી એક વખત ડોરબેલ રણકે છે અને આ ભાઈ જાય છે તો એક કુરિયર સર્વિસ વાળો માણસ એના માટે એક પાર્સલ લાવ્યો હોઈ છે ! પાર્સલ ખોલતા અંદર થી એક લાકડાની પેટી નીકળે છે જેમાં પાંચ સિગાર રહી શકે એટલી જગ્યા હોઈ છે !


પણ પાંચ ને બદલે ચાર જ સિગાર જોવા મળે છે ! કેમ કે એક સિગાર તો યમરાજ એ કાલે પીવા આપી દીધેલી ! રાત પડયે ફરી એક વખત યમરાજ પ્રગટ થાય છે અને આ ભાઈ ને કહે છે કે જેવી આ પાંચ સિગારેટ પૂરી થશે એટલે એનું મૃત્યુ થશે !!

ફિલ્મ ને ચાર થી પાંચ દિવસો માં વહેચવામાં આવી છે ! દરેક દિવસે યમરાજ આ મહાશય નું બીપી વધારવા માટે આવે છે અને એક એક સિગારેટ પૂરી કરાવે છે !!!

ફિલ્મ કહેવાની એક અલગ રીત છે જે મને ગમી ! બાકી ફિલ્મ માં ખાસ કશું નવું નથી !! ક્યારેક ફિલ્મ હોરર હોઈ એવું પણ લાગે છે પણ હોરર નથી !

વધુ રહસ્યો ફિલ્મ ની છેલ્લી પાંચ થી સાત મિનિટ માં ખુલશે ! એ રહસ્યો જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જ રહી !!


મારા મત મુજબ હું આ ફિલ્મ ને 1.5⭐/5 સ્ટાર આપુ છું !!

તમારી પસંદ ની ફિલ્મ પણ જણાવો જેથી મને નવી ફિલ્મ જોવા મળે અને રિવ્યૂ કરવા મળે ! જો તમે આ ફિલ્મ જોઈ નાખી છે તો તમારો પ્રતિભાવ જણાવો !!

Sunday, June 28, 2020

બાઝાર ~ ફિલ્મ રિવ્યૂ ( અમિત ગીરી ગોસ્વામી )

   ફિલ્મ ની શરૂઆત ગુસ્સામાં લિફ્ટ માં 14 માં માળે બહાર નીકળીને આત્મહત્યાની કોશિષ કરતા એક યુવાન થી થાય છે જેના હાથમાં એક દારૂની બોટલ છે.... જેમાંથી મોટા ભાગનો દારૂ પીવાય ચૂક્યો છે અને આ યુવાન બિલ્ડિંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરે છે....! આ કહાની એક એવા યુવક ની છે જે 6 મહિના પહેલા અલાહાબાદ જેવા નાનકડા શહેર માથી મોહમયી નગરી મુંબઈ માં પોતાનું નસીબ અજમાવાના ઈરાદાથી આવે છે... અને એવા કાંડ માં ફસાઈ જાય છે જ્યાં તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ બીજો માર્ગ નથી રહેતો. આ યુવાન એટલે રિઝવાન અહેમદ. જે જાણે છે કે આ અલાહબાદ ના "નાના લોકો એને મોટો માણસ" નહિ બનાવી શકે ! જેથી પોતાની પાંખો ફેલાવવા માટે એ મુંબઇ જેવા મહાનગર ની વાટ પકડે છે...!

પણ એના આ સપનાની વચ્ચે આવે છે એના એક આદર્શવાદી પિતા... એટલે કે ઝુલ્ફી કાર અહેમદ જે ઓછાં પગાર માં વધુ ખુશી મેળવવાનો ઈરાદો રાખે છે, એટલે જ એ પોતાના દીકરા ને મુંબઈ જતા રોકે છે... અને જે મળે એમાં જ ખુશ રહેવું એવો પાઠ ભણાવે છે.... પણ રિઝવાન પોતાના આદર્શવાદી પિતાના આદર્શ સિદ્ધાંતો માં જરા પણ વિશ્વાસ નથી ધરાવતો.. એને તો મુંબઈ જયી ને શેરબજાર માં પોતાના નામના ઝંડા ગાડવા છે... !!

અને એના સપના ને સાકાર કરવા એને સપોર્ટ કરે છે એની નાની બહેન આમના, જે પે ટી એમ પર એની વિમાનની ટિકિટ બુક કરાવી આપે છે અને મુંબઇ જવા ફોર્સ કરે છે...!

દરેક નાનો માણસ એક મોટા માણસ ને પોતાનો આદર્શ પોતાનો ખુદા પોતાનો ભગવાન માનતો હોઈ છે, રિઝવાન પણ પોતાના એક ખુદા જેવો બનવા ઈચ્છે છે.. એ ખુદા એટલે મુંબઈ શેર બજારની દુનિયામાં જેનું નામ અદબ થી લેવાય છે એવો શકુન કોઠારી...! જેણે બહુ નાની ઉંમર માં બહુ મોટું સામ્રાજ્ય ખડું કરી નાખ્યું છે... જે શામ દામ દંડ ભેદ દરેક નો ઉપયોગ બખૂબી રીતે જાણે છે... જેના માટે એક જ વસ્તુ મહત્વ રાખે છે.... "₹" રૂપિયો રૂપિયો રૂપિયો...!

શકુન થી શકુન શેઠ બનવા પાછળ જવાબદાર છે એનું ધારદાર મગજ.. જે કોઈ પણ સામાન્ય માણસ કરતાં બે ગણું વધારે ચાલે છે, જે એ જોઈ શકે છે એ સામાન્ય માણસ નથી જોઈ શકતા. આમ બહુ નાની ઉમરથી એ જોખમ વાળા કામ કરતા શીખી જાય છે અને આજે બહુ મોટા ઉધોગપતિના લીસ્ટ માં ટોપ પર એનું નામ આવે છે !!

10 વર્ષ ની કાચી ઉમર માં મુંબઇ થી સુરત વચ્ચે આંગડિયા નું કામ કરતા શકુને જીવનનું ગણિત ખૂબ નજીક થી જોયું હતું, એ જાણતો હતો કે મોટા માણસ બનવું હશે તો જોખમ પણ મોટા લેવા પડશે, નાના નાના કામ એને મોટો શેઠ નહિ બનાવી શકે..!!

જેમ જેમ ઉમર સાથે પાટલૂન ની લંબાઈ વધતી જતી હતી એમ એમ શકુન ની પૈસાની ભૂખ પણ એટલી જ બ્લકી એનાથી વધુ વધતી જતી હતી. શેઠના પૈસા સંભાળતા સંભાળતા એને શેઠની દીકરી ને પણ સંભાળી લીધી... જોકે અહી પણ શકુન નું શૈતાની દિમાગ કામ કરતું હતું, એના માટે તો આ પણ એક "ઇન્વેસ્ટમેન્ટ" હતું..!!

રિઝવાન મુંબઈ તો આવી ગયો, પણ શકુન કોઠારી સુધી કેમ પહોંચવું ?? તો એનો પણ એક જુગાડ એને બેસાડી દીધો, કેપિટલ માર્કેટિંગ નામની એક કંપની માં બનાવટી ઉમેદવાર તરીકે રૂબરૂ સમાલાપ ( ઇન્ટરવ્યૂ ) માટે પહોંચી જાય છે, જ્યાં તેને ધક્કા મારી બહાર કાઢી મૂકવામાં આવે છે..!!

તો આ હતી ફિલ્મ ની બેઝિક વાત કે મૂળ પ્લોટ કે પછી ફિલ્મ નું હાર્દ. ફિલ્મ ખૂબ સ્લો ચાલે છે, અને વાર્તા પરથી ક્યાંક ક્યાંક પકડ છૂટી જાય એવું લાગે છે, રાધિકા આપ્ટે અને સૈફ અલીખાન આ બન્ને માટે ફિલ્મ એક વાર જોઈ શકાય. ફિલ્મ માં ખાસ ચોટદાર એવા કોઈ સંવાદ નથી જે તમારા દિલ પર અસર કરી જાય. બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખાસ નહિ એવું મધ્યમ કહી શકાય. ગુરુ અને ચેલા પર આધારિત આ ફિલ્મ ના અંતે ગુરુ જીતશે કે ચેલો એ તો તમારે ફિલ્મ જોઈને જ નક્કી કરવું પડશે....!

મારા મત મુજબ હું આ ફિલ્મ ને 2.5⭐/5 આપુ છું... !!

જો તમે આ ફિલ્મ જોઈ લીધી છે તો તમારો અભિપ્રાય કૉમેન્ટ માં જણાવો.

ફરી મળીશું એક નવા ફિલ્મ ના રિવ્યૂ સાથે... તમને ગમતી ફિલ્મ ના નામ પણ જણાવો જેથી હું એ ફિલ્મ જોઈને રિવ્યૂ કરી શકું...!!

Saturday, June 27, 2020

""ભારતીય સંસ્કૃતિ, માનવજીવન અને પ્રાણી સૃષ્ટિ" ~ અજય ગીરી ગોસ્વામી

 
  "ભારતીય સંસ્કૃતિ, માનવજીવન અને પ્રાણીસૃષ્ટિ"

આજનો આ લેખ સર્વ પર્યાવરણપ્રેમી અને પ્રાણીપ્રેમી લોકોને સમર્પિત છે.

सिंहादेकं बकादेकं शक्षेच्चत्वारि कुक्कुटात् ।
वायसात्पञ्च्चशिक्षेच्च षड् शुनस्त्रीणि गर्द्दभात् ।।

તમે આ શ્લોક સંપૂર્ણ નહિ જ વાચ્યો હોય અને જેને સમજાયો નથી એ ગૂગલ ટ્રાંસ્લેટરમાં ભાષાંતર કરવા મથશે, પરંતુ ગૂગલ ટ્રાંસ્લેટરમાં પણ સંસ્કૃત ભાષા ઉપલબ્ધ ન હોવાથી અહી નીચે મુજબ શ્લોકનું અર્થઘટન આપવામાં આવ્યું છે.

"કોઈ પણ રીતે સારસ અને સિંહથી એક પ્રકારની, પાળેલા પક્ષીથી ચાર પ્રકારની,કાગડાથી છ જાતની, કુતરાથી છ પ્રકારની અને ગધેડાથી ત્રણ પ્રકારની શિક્ષા લેવી બહુજ જરુરી છે."

આમ સિંહ, સારસ, કાગડા, શ્વાન-કૂતરો, ગદર્ભ-ગધેડો વગેરે જેવા પશુ-પક્ષીઓ ની ખાસીયતો પરથી માનવને અનેકાનેક બાબતો શીખવા મળે છે.

પ્રાગઐતિહાસિક કાળથી માંડીને આધુનિક યુગમાં પ્રાણી વર્ગનું માનવજીવનમાં માં મહત્વ અને તેની અસરો અંગે માનવશાસ્ત્ર (Anthropology), પ્રાણીશાસ્ત્ર (Zoology) અને મનોવિજ્ઞાન (Psychology) ના સંયોજનના સથવારે સમજીશું.

આજે તો શ્વાન-ડોગ્ગી-કૂતરો માનવનું સૌથી વફાદાર મિત્ર ગણાય છે. પરંતુ તેના મૂળ પ્રાગઐતિહાસીક યુગમાં જ રોપાયેલા જોવા મળે છે. તો ચાલો જાણીએ આ મૂળ ને.

પ્રાગઐતિહાસિક યુગમાં આદિમાનવ શિકારી જીવન જીવતો. તે ઝાડ-પાન, ફળ-ફુલ ઉપરાંત પ્રાણીનો પણ શિકાર કરી ભોજનમાં આરોગતો. આજના સમયમાં પાલતુ પ્રાણી તરીકે ખુબજ પ્રખ્યાત ડોગ્ગી (શ્વાન)નો માનવ સાથેનો સંબંધ પણ આ જ કાળથી પ્રચલિત બન્યો. જંગલોમાં વરું(Wolf) નામનું પ્રાણી આદિમાનવે ફેંકેલા પ્રાણીજન્ય અવશેષો પર થોડા ઘણા અંશે નિર્ભર રહેતું. આમ વરુઓનો આદિમાનવો સાથે ઘરોબો વધતા તથા એકબીજાથી હુમલાનો ભય દૂર થતાં મિત્રતાનો ગાઢ સંબંધ બંધાયો. વરું આદીમાનવોની ગુફા બહાર જ ડેરા તંબુ તાણીને અડ્ડો જમાવતા થયા. ત્યાર બાદ તેઓ શિકાર સમયે પણ આદિમાનવની સાથે જવા લાગ્યા અને શિકારી પશુને મારવામાં સાથ આપવા લાગ્યા.

ચાર્લ્સ ડાર્વિનના સિધ્ધાંત મુજબ જેમ આદિ વાનર માંથી આદિ માનવ બન્યો તેજ રીતે વરુઓમાં પણ કાળ ક્રમે પરિવર્તન આવતા આજના ડોગ્ગી ઉર્ફે શ્વાન(Dog) જેવું પ્રાણી અસ્તિત્વમાં આવ્યું.આવી જ રીતે પાલતુ પ્રાણીઓમાં અનેકાનેક પ્રાણીઓનો સમાવેશ થાય છે તેના મૂળ પણ આવીજ ઘટનાઓ સાથે સંકળાયેલ છે.આતો થઈ પ્રાગઐતિહાસિક યુગની વાત. હવે પ્રાચીન કાળની વાત કરી એ.

આજથી 5,000 વર્ષ પૂર્વે પ્રાચીન કાળમાં વિશ્વમાં અનેક સંસ્કૃતિ અને સભ્યતાઅો અસ્તિત્વ ધરાવતી હતી. ભારતીય ઉપખંડમાં પણ સિંધુ ખીણ (હડપ્પા/મોહે જો દરો) અતિ વિકસિત નગર સંસ્કૃતિ રૂપે પ્રખ્યાત હતી. આ સંસ્કૃતિમાં પણ એક શિંગી પશુ, ગાય, સિંહ, હરણ, ઘેટાં-બકરાં, ઊંટ, પક્ષીઓ, અન્ય પાલતુ પ્રાણીઓ વગેરેના અસ્તિત્વનો ખ્યાલ અવશેષો પરથી મળી આવે છે. પ્રાણીઓના સંરક્ષક એવા ભગવાન પશુપતિનાથ ( શિવ ) ના ધ્યાન મુદ્રામાં સ્થિત હોય તેવા અવશેષો પ્રાપ્ત છે. આમ આ કાળ ખંડમાં માનવ અને પ્રાણી વર્ગ એકબીજા સાથે ખુબજ હળી મળી ગયા હોય તેવું પ્રતીત થાય છે. ભારતના સમ્રાટ અશોક ના શાસન કાળમાં સિંહ તેમજ ગુપ્ત સામ્રાજ્યમાં ગરુડ પક્ષી રાજ્યના પ્રતીક રૂપે પ્રખ્યાત હતા. જેના પરથી સાબિત થાય છે કે માનવીએ વિશાળ સામ્રાજ્યના ચિન્હ રૂપે કોઈ વ્યક્તિ ને બદલે પ્રાણી કે પક્ષીને વધુ મહત્વ આપ્યું હતું.

હવે વાત કરીએ આધુનિક યુગની, આ યુગમાં શહેરી વસવાટ વધતા મનુષ્ય નો જંગલી પ્રાણીઓ સાથેનો નાતો ઘટયો જ્યારે પાલતુ પ્રાણીઓ સાથેનો સંબંધ વધુ નિકટ બન્યો. દા.ત. વરું, શિયાળ કે ઝરખ જેવા પ્રાણીઓ અને માનવ મૈત્રી પૂર્વક વર્તન કરતા હતા પરંતુ આજે આવા રાની પશુઓ સાથેનો નાતો બદલાઈ ગયો છે. જ્યારે શ્વાન, બિલાડી વગેરે પાલતુ પ્રાણીઓ માનવ વસાહત સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે અને એક પણ ગલી કે શેરી ની કલ્પના શ્વાન & બિલાડી વિના અધૂરી છે.

ધાર્મિક તથ્યો તપાસતા જણાય છે કે રામાયણમાં ભારત-શ્રીલંકા વચ્ચે રામસેતુ નિર્માણ દરમ્યાન વાનર સેના અને લીમડાના ઝાડ પર રહેતી ખિસકોલી નું યોગદાન મુખ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે હતા અને આ રથની પતાકા (ધ્વજ-ધજા) માં વાનરરૂપે બજરંગબલી ટોચના સ્થાને બિરાજમાન હતા. દેવી-દેવતા સાથે પણ પ્રાણી વર્ગનો પરિચય થાય છે જેમકે, મહાદેવ સાથે સાપ, વાઘ, નંદી (બળદ), કાચબો, હાથી અને ગણેશ સાથે હાથી - ઉંદર અને કાર્તિક(મુરુગન) સાથે મોર તથા વિષ્ણુ સાથે શેષનાગ અને રાજા રણછોડરાય એવા શ્રીકૃષ્ણ તો ગો-ધન વિના કેમ વિસરાઈ જાય. દેવીઓમાં દુર્ગા માતા નું વાહન વાઘ (જે આજે ભારત નું રાષ્ટ્રીય પ્રાણી છે) ઉપરાંત ખોડીયાર માતાજી સાથે મગર, સરસ્વતી માતા સાથે રાજહંસ, લક્ષ્મી માતા સાથે ઘુવડ જોવા મળે છે

::::::: હવે જાણીએ પ્રાણી જગતની માનવ મન અને જીવન પરની  અસરો :::::::

૦ પ્રાચીન કાળથી આજ સુધી યુદ્ધ અને જાસૂસી જેવી બાબતો માટે પણ પશુ પક્ષીઓનો ઉપયોગ થતો આવ્યો છે. દા.ત. પ્રાચીન સમયમાં કબૂતર વડે સંદેશા વ્યવહાર થતો તેમજ હાલમાં પાકિસ્તાન ચિપ લગાવેલા કબૂતરો ને સરહદી વિસ્તારમાં જાસૂસી માટે મોકલે છે તેવા સમાચાર મળતા હોય છે. શ્વાન પણ ગુન્હા શોધક શાખામાં ફરજ બજાવી ગુનેગારોને પકડવામાં સહાય કરે છે.

૦ "The Emotional Intelligence Of Animals" નામની બુક મુજબ પ્રાણીઓ 5 પ્રકારે માનવ પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરી શકે છે.

૦ હમણાંજ કોરોના અને લોક ડાઉનના સમયમાં બોલીવુડ સિતારાના આપઘાતના સમાચારે દેશની જનતાના ધડકતા દિલમાં લાગણીનો ભૂકંપ લાવી દીધો. માનવીના મનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવામાં પણ પ્રાણી મદદરૂપ થાય છે. અાથી જ લોક ડાઉનના સમયમાં પ્રાણીઓ રાખતી શોપમાં પાલતુ પ્રાણી લેવા માટે લોકોની ભીડ જામતી જોવા મળે છે.

૦ પ્રાણી માનવીના મિજાજ(Mood) ને બદલી શકે છે જેમકે નોકરીમાંથી થાકીને આવેલ કર્મચારી કે શાળાએથી આવેલ બાળકો ઘરના પાલતુ ડોગ્ગી (શ્વાન) કે કિટ્ટી (બિલાડી) ને મળતા જ ખુશ થઈ જાય છે.

૦ પ્રાણીઓ મનુષ્યના દુઃખને પારખી તેને ઘટાડવા પ્રયત્ન કરે છે. દા.ત. રોતા બાળકને છાનુ રાખવાના બિલાડીના પ્રયત્નોના વિડીઓ તમે  YouTube મા જોયા જ હશે.

૦ તમે અખબારોમાં ગાય કે ભેંસ દ્વારા તેના માલિકને સિંહના હુમલાથી બચાવવાના સમાચારો તો વાચ્યા જ હશે આ ઘટનાઓ માનવ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડીઓ છે.

૦ પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો ( મંદિર, ગુફા, મહેલ, વાવ, શિલાલેખ વગેરે) કે કળા (ચિત્ર, ભરતકામ, મીનાકારી વગેરે) માં પણ મનુષ્ય સાથે પ્રાણી સંસ્કૃતિને વિશેષ સ્થાન પ્રાપ્ત છે.

૦ પ્રાણીઓ માં કુદરત સાથે "અનુકૂલન (Amplexus) સાધવાની કળા" જન્મજાત હોય છે જે માનવી ગુમાવી બેઠો છે. કુદરતી આપદાઓ બાદ પ્રાણીઓ માનવ કરતા પહેલા "સ્થિતિસ્થાપક" (Resilient) થઇ જાય છે.

૦ શ્વાન મોટા ભાગે કોઈ ઘરનો પાલતુ ન હોય તો પણ તે શેરી મહોલ્લામાં આવનાર અજાણ્યા વ્યક્તિ કે અન્ય શ્વાન સામે ભસીને પોતાના સ્થાનિક સ્વરાજ(ગલી-મહોલ્લો) પ્રત્યેની વફાદારી દર્શાવે છે.

૦ તમારા ખિસ્સામાં રહેલ RBI અધિકૃત ચલણી નોટમાં પણ "સિંહ અને વાઘ" ના દર્શન થાય છે.

૦ હમણાંજ એક માદા ગર્ભવતી હાથી ને ફટાકડા વાળુ નકલી અનાનસ આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આવી ઘટનાઓ ન બને તે માટે જ અનેક કાયદાઓ ઘડાયા છે અને પ્રાણી પ્રેમી (પર્યાવરણ પ્રેમી) લોકો સ્વયંસેવક રીતે પ્રાણી સંસ્કૃતિ નું જતન કરી રહ્યા છે.

મારો આ નાનકડો પ્રયાસ એવા પ્રાણીપ્રેમી લોકો જે પતંગના દોરાથી ઘાયલ થયેલ કે અન્ય આકસ્મિક સંજોગોમાં કોઈ એક પશુ કે પક્ષી ને નહિ પરંતુ અખિલ પ્રાણી સંસ્કૃતિ ને બચાવી તેમનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે ઉપરાંત માનવજગત અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે અનુકૂલન સાધવાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે એ દરેક વ્યક્તિને અર્પણ.

***** અજયગીરી ગોસ્વામી *****

Tuesday, June 23, 2020

જન્મદિવસ

આજે મે મહિનાની ૮ મી તારીખ વર્ષ ૨૦૦૯ આવતીકાલે ૯ મી તારીખ એટલે કે ભારતવર્ષ ના બે મહાન ક્રાંતિકારી શ્રી મહારાણા પ્રતાપ અને બાળ ગંગાધર તિલક નો જન્મદિવસ આવશે. આ યાદીમાં બીજા ઘણા સામાન્ય માણસોને પણ જોડી શકાય જે ભલે મહાન નથી પણ આ જ તારીખે જનમ્યા છે. હું અમિતકુમાર પણ આમાનો જ એક સામાન્ય માણસ છું.

જન્મદિવસ - આમ તો આ દિવસ પણ કેલેન્ડર ની એક તારીખ થી વિશેષ કશું નથી. પણ દરેક વ્યક્તિ માટે એનો જન્મદિવસ એક યાદગાર દિવસ હોઈ. દરેક વ્યક્તિ વર્ષમાં આ દિવસની રાહ જોઈને બેસે છે કે ક્યારે એનો જન્મદિવસ આવે અને પરિવારના સભ્યો અને મિત્રો સાથે એ દિવસની યાદગાર ઉજવણી કરે. પણ શું ક્યારેય એવું બને કે તમારા પરિવારના લોકો તમારો જન્મદિવસ જ ભૂલી જાય ??? જવાબ છે હા અને ના બન્ને. એટલે કે એવું બની પણ શકે અને ન પણ બન્ને ! પણ હું એ વ્યક્તિ છું જેની સાથે આવું બન્યું છે.

તારીખ હતી ૮ મી મે વર્ષ ૨૦૦૯ નું રાતના બાર વાગે હું ખૂબ ઉત્સાહમાં હતો કે આવતીકાલે સવારે તો મારો જન્મદિવસ છે. મજા આવશે ! નવા કપડાં પહેરીશ, ફરવા જવાનું, મિત્રો સાથે ઉજવણી કરવાની, ઘરમાં પણ મારા માટે સારું સારું જમવાનું બનશે ! પણ અફસોસ કે આવું કશું જ ન બન્યું.  કારણ શું ??? કારણ એક જ કે કોઈને મારા જન્મદિવસ વિશે ખ્યાલ જ નહોતો. સ્વાભાવિક છે ખ્યાલ જ ન હોઈ તો ઉજવણીની વાત જ ન આવે !

સવારે રોજના ક્રમ મુજબ હું આઠ વાગ્યે ઊઠી ગયો. નાહી ને મારા આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરે પાણી પણ ચઢાવી આવ્યો. સાથે સાથે મારા જીવનમાં જેનું સૌથી વધુ મહત્વ છે એવા સૂર્ય નારાયણ ને પણ જલ ની અંજલી અર્પણ કરી. ઘરે પાછા ફરતા ફરતા રસ્તામાં વિચારતો હતો કે આજે તો મમ્મી મને પૂછશે કે અમિતકુમાર જમવામાં શું બનાવશું ??? આજે તો તારો જન્મદિવસ છે એટલે તને જે પસંદ છે એ બનાવીશું ! દર વર્ષની જેમ મારો એક જ ગોખેલો જવાબ હોઈ શિખંડ પૂરી ! આમ પણ મે મહિનો હોઈ એટલે સ્કુલમાં પણ વેકેશન ચાલતું હોઈ એટલે આખો દિવસ ઘરે જ રહેવાનું અને સતત ટીવી જોઈ ને સમય પસાર કરવાનો. કંટાળો આવે તો આજુ બાજુના સાથીદારોને ભેગા કરીને કેરમ રમવાનું. ફેસબુક નું હજુ આગમન જોઈએ એટલા પ્રમાણ માં થયું ન્હોતું એટલે લોકોને પણ ખબર ન હોઈ કે આજે મારો જન્મદિવસ છે ! હવે ક્યાં દિવસે કોનો જન્મદિવસ છે એ યાદ અપાવવાનો ઠેકો ફેસબુક એ લઈ લીધો છે !

હું આવું વિચારતો વિચારતો પાછો આવ્યો એટલે તરત જ મમ્મી એ કીધું, "અમિતકુમાર આજે બાજરાનો લોટ ખલાસ થઈ ગયો છે, આજે તારા નાના ભાઈ ને રોટલો અને ગુવાર નું શાક ખાવાની ઈચ્છા છે તો તું કરિયાણા ની દુકાન પર જાઇ ને અડધો કિલો બાજરાનો લોટ લઈ આવ !"

હું વિચારમાં પડી ગયો, જન્મદિવસ મારો અને જમવાનું મારી પસંદ ને બદલે નાના ભાઈની પસંદ નું ??? કયક તો લોચો છે, મને એમ કે હું પાછો આવીશ એટલે મમ્મી અને મારા ભાઈ બહેન અને પપ્પા મને કોઈ સરપ્રાઈઝ આપશે !

હું ઘરની બાજુ માં આવેલી દુકાન માથી લોટ લઈને પણ આવી ગયો ! પણ આશ્ચર્ય કોઈ કશું બોલતું નથી ! બધા પોત પોતાના કામ માં મશગુલ જાણે કોઈને ખબર જ નથી કે આજે મારો જન્મદિવસ છે ! મને એમ કે હશે જમવાનો સમય થશે ત્યારે કોઈ સરપ્રાઈઝ મળશે !

બપોરે ૨ વાગી ગયા, મારા પપ્પા પણ નોકરીએથી આવી ચૂક્યા હતા. અમારો રોજનો ક્રમ આ જ હતો વર્ષોથી કે પપ્પા નોકરીએથી પાછા આવે એટલે બધાએ જમવા સાથે બેસવાનું ! મમ્મી એ તો નાના ભાઈની પસંદ મુજબ જમવાનું બનાવી જ નાખ્યું હતું.

જમતી વખતે પણ વિચારતો હતો કે જમતા જમતા કોક તો મને કહેશે કે જન્મદિવસ ની શુભકામનાઓ ! પણ આ શું ??? રોજ ની જેમ બધા જમીને ઉભા થઇ ગયા તો પણ કોઈએ કશું ન કીધું ! મને એમ કે હશે સાંજે કોઈ પાર્ટી નો ચૂપચાપ પ્લાન ગોઠવ્યો હશે ! હું તો જમીને મારા મિત્રો સાથે કેરમ રમવા ચાલ્યો ગયો !

કેરમ રમવામાં ક્યારે સાંજ પડી ગઈ ખબર પણ ન પડી, મે કીધું મમ્મી આજે જમવામાં કય સ્પેશ્યલ બનાવવાનું છે કે શું ??? મારી મમ્મી કહે શું સ્પેશ્યલ બનાવીએ, કાલે જ પાવ ભાજી બનાવેલી આજે તો ખાલી ખીચડી અને બટાકા નું શાક જ બનાવવાનું છે !

હું પાછો વિચાર માં પડી ગયો કે મમ્મી મારી મસ્તી કરે છે, જરૂર આઇસ્ક્રીમ તો લાવી જ હશે પણ અત્યારે નહિ કહે જમવાના સમયે કહેશે ! હું પાછો ચા પીને રમવા ચાલ્યો ગયો. રાતના આઠ વાગ્યે ઘરે આવ્યો. ઘરે આવીને જોયું તો વળી પાછા બધા કામ માં મશગુલ ! પપ્પા સાંજનું અખબાર વાંચતા હતા, ભાઈ બહેન ટીવી પર પૃથ્વીરાજ ચૌહાણ ની સિરિયલ જોતા હતા અને મમ્મી રસોડામાં ખીચડી અને બટાકાનું શાક બનાવતા હતા. હું વિચારું કે આ શું ગોલમાલ છે આજે મારો જન્મદિવસ છે અને કોઈને કશી પડી જ નથી. આટલા વર્ષોમાં તો ક્યારેય એવું નથી બન્યું કે મારો જન્મદિવસ હોઈ અને મારા પરિવાર ને જ ખબર ન હોઈ !

૯:૩૦ વાગ્યે અમે જમવા બેઠા ! જમતા જમતા પણ કોઈએ મને હેપ્પી બર્થડે ન લીધું. હું પણ અજાણ્યો બનીને જમતો ગયો. જમવાનું પૂરું થયું એટલે મેં મમ્મીને કીધુ મમ્મી આજે શું છે યાદ છે ?? મમ્મી કહે શું છે ?? કય તો નથી. મે કીધું આજે કઈ તિથિ છે ?? મારી મમ્મી કહે આજે ચૈત્ર સુદ પાંચમ છે બીજું શું છે ! મે કીધું એમ નહિ આજે તારીખ શું છે ?? મારી મમ્મી કહે આજે તો ૯ મી મે છે ! પછી મે કીધું હવે કશું યાદ આવ્યું કે હજી પણ આગળ કહું શું છે આજે ???


મારી મમ્મી નો કોળિયો હાથ માં જ રહી ગયો અને બોલ્યા, " અરે અમિત આજે તો તારો જન્મદિવસ હતો ! ભુલાઈ જ ગયું ! " આ સાંભળીને મારા ભાઈ બહેન અને પપ્પા પણ મારી સામે આશ્ચર્યચકિત થઇને જોવા લાગ્યા, કે અરે આજે અમિતનો જન્મદિવસ છે અને આપણે કોઈએ એને હેપ્પી બર્થડે પણ ન કીધું ! બહુ મોટી ભૂલ કરી નાખી !

મારી બહેન કહે, " તને ખબર હતી કે આજે તારો જન્મદિવસ છે તો તારે અમને કહેવાય નહિ ! "

મે ખાલી એટલું જ કીધું, " મારો જન્મદિવસ પણ હું તમને યાદ કરાવું તો એ જન્મદિવસ શું કામનો ! "

ત્યારની ઘડી અને આજનો દિવસ હું હવે જન્મદિવસ જ નથી મનાવતો !

Monday, June 22, 2020

પ્યારા પપ્પા !



નાનો હતો ત્યારે આંગળી પકડીને,
દુનિયા બતાવી તે પપ્પા !
જીવનના દરેક સમયે મારી સાથે રહીને,
માર્ગદર્શન આપ્યું તે પપ્પા !
હું મોટો થયો તો પણ જીવનના દરેક ક્ષણે,
મારી સાથે રહ્યા તે પપ્પા !
મારા જીવનમાં જ્યારે કોઈ ચિંતા આવી,
ત્યારે માર્ગદર્શક બન્યા તે પપ્પા !
 જીવનમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે,
તો પણ હર ખુશી દેતા પપ્પા !
કોણ જાણે ! ભગવાનને કયીક અલગ મંજૂર હતું,
મારા પપ્પાથી મને વિખૂટો પાડી,
ઘણા દૂર મોકલી દીધા પપ્પાને !
જેના વગર મારી જિંદગી સુની લાગી રહી,
તે મારા પ્યારા પપ્પા !!

~મહેશ ગણેશભાઈ ડાભી

Sunday, June 21, 2020

યાદ આવતા પપ્પા !



નાનો હતો ત્યારે સ્કૂલે સાઈકલ પર,
મુકવા આવતા પપ્પા !
નોકરી પડતી મૂકીને મને પાછા
તેડવા આવતા પપ્પા !
રિઝલ્ટ સ્કુલનું  જોઈને મારું,
ખુશ થતા પપ્પા !
રમતા રમતા પડી ને રડતો ત્યારે,
ખભે હાથ મૂકીને હસાવતા પપ્પા !
ઘરથી આજે બહુ દૂર છું ત્યારે,
"ગીરી"  રોજ મને યાદ આવતા પપ્પા !

Tuesday, June 9, 2020

આત્મીયતા



          ઘરના ફળિયામાં ચી...ચી...કરતું પક્ષી જોઈને નિર્મળ તેની મમ્મી ધરાને રસોડામાં જઈને પૂછે છે.હે મમ્મી આ ચી...ચી...કરતું પક્ષી ક્યું છે?.ધરા હજુ જવાબ આપવા જાય ત્યાં જ પાવન રસોડામાં આવે છે.પેલા તો નિર્મળ બીજા પપ્પાને જોઈ ડરી જાય છે ત્યાં જ પાવન તેના આશ્ચર્ય વચ્ચે કહે છે,એ ચકલી છે નિર્મળ.પર્યાવરણના વિનાશ પછી કેટલા સમયે આજે પાછી દેખાઈ છે.કોરોનાનો હાહાકાર માનવજીવન પર તો
કાળની જેમ ત્રાટક્યો છે પણ પ્રકૃતિ માટે વરદાનરૂપ સાબિત થયો છે.હવે નિર્મળ પપ્પા પાસે જવા માટે પણ ડરતો હતો તે આજે પપ્પાના ખોળામાં બેસી રમી રહ્યો હતો.રસોડામાંથી ધરા પણ આ બંને ની આત્મીયતા વિશે વિચારતી રહી કે જો દરેક સંબંધને થોડો સમય આપવામાં આવે તો તે પણ ફૂલ ની માફક ખીલી ઊઠે.

લેખિકા - મયુરી ગોસ્વામી. 

Monday, June 8, 2020

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી શકીએ કે આ કોણ હશે ??? રાજકુમાર સાહેબ જ હોઈ.....ઓ હો હો હો હો આ સાંભળીને કોણ યાદ આવે ??? એક જ ગુજરાતી હાસ્ય અભિનેતા સ્વર્ગસ્થ શ્રી રમેશ મહેતા યાદ આવે ખરું ને ?? નામ માં શું રાખ્યું છે ??? આવું કહીને નીચે શેક્સપિયર એ પોતાની સહી કરી નાખી ! દરેક નામની એક પોતાની અલગ ઓળખ હોઈ છે એ ઓળખની પોતાની એક અલગ અને આગવી પ્રતિભા હોઈ છે ! સમાજના બહોળા જનમાનસ પર દરેક નામની એક ચોક્કસ અને અમિટ છાપ હોઈ છે. આ આટલી બધી પૂર્વ ભૂમિકા બાંધવાનું કોઈ કારણ ?? હા બહુ અગત્યનું એક કારણ છે ! શું કારણ છે ચાલો જાણીએ... આ મારો અંગત પ્રતિભાવ છે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એટલે આગળ પૂર્વગ્રહ મુક્ત વિચારો ધરાવતા હોઈ એવા લોકોએ જ વાંચવું એવી મારી નમ્ર વિનંતી છે !

હમણાં હમણાં સુપ્રીમ કોર્ટ માં એક યાચિકા દાખલ કરવામાં આવી કે પ્રજાસત્તાક ભારત નું નામ  ઈંડિયા ને બદલે ભારત કરવામાં આવે. હવે આ બાબત માં ઘણા બધા લોકોને મરચાં લાગી ગયા છે, કે ઈંડિયા નામ માં વાંધો શું છે ??? અરે વાંધો એક નહિ હજાર છે મહાશય !

પહેલી વાત કે ઈંડિયા નામ આપડી શોધ તો છે નહિ... આ નામ આપડા પર પરાણે ઠોકી બેસાડવામાં આવ્યું છે. જે અંગ્રેજોએ ભારતને સોનેરી ચીડિયા માથી... ભુખડી બારસ બનાવી નાખ્યું એવા લોકોએ આપડે આ નામ આપ્યું ( જોકે આપડે લીધું નથી ) છે ! વિશ્વમાં કદાચ આપડો એક જ એવો દેશ છે જેના ત્રણ ત્રણ નામો પ્રચલિત છે... હિન્દુસ્તાન ( સેક્યુલર લોકો ને ન ગમે પણ આ જ મૂળ ઓળખ છે આપડી ) ભારત અને ત્રીજું ઈંડિયા. એમાંથી આ ત્રીજા નામ ને રદબાતલ કરવાની એક યાચિકા સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી છે... ! જો કે નામદાર સુપ્રિમ કોર્ટે આ બાબત માં નિર્ણય કરવાને બદલે સંસદ તરફ આ બાબત મોકલી આપી છે એટલે હવે આ બાબત અંગે લોકસભા અને રાજ્યસભા બન્ને ભેગા મળીને નિર્ણય કરી શકે કે આ બાબતમાં માથું મારવું જોઈએ કે નહિ ??? પણ મારું એવું માનવું છે કે આમાં પણ એક દાવ ખેલી લેવા જેવો ખરો !

હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારી એવી કઈ વસ્તુ છે જેનો સૌથી ઉપયોગ બીજા લોકો કરે છે ??? વિચારો વિચારો ! વિચારી લીધું ??? શું વિચાર્યું ??? જવાબ છે "નામ" બરાબર ને ! તમારા નામનો સૌથી ઉપયોગ બીજા લોકો કરે છે તમને બોલાવવા માટે. આ નામ રાખવાની પ્રથા ખરેખર આપડા માટે નહિ પણ બીજા આપડે સરળતાથી બોલાવી શકે એટલા માટે કરવામાં આવી છે. બાકી આપડા આ દેહ નું કોઈ નામ જ ન હોઈ તો ??? કલ્પના કરી જુઓ કેવી સ્થિતિ સર્જાય ??? એના ઉપર ફરી ક્યારેક અલગથી લખવાનો પ્રયત્ન કરીશ ! અત્યારે મૂળ વાત ઈંડિયા વિરુદ્ધ ભારત ની છે.


આપડા વેદો માં પણ ભારત નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આપડા દેશ નું સૌથી જૂનું નામ આર્યવર્ત છે. અત્યારની ઇંગ્લિશ મીડિયમ વાળી પેઢીને તો આ નામ બોલવામાં પણ લોચા પડી જાય બોસ ! શરત મારવી ??? આજુબાજુમાં રહેતા કોક ઇંગ્લિશ મિડિયમ વાળા ની પરિક્ષા લઈ જુઓ ! જવાબ મને નો આપતા બસ !

આપડી સુપ્રીમ કોર્ટ પણ અજીબ છે, મહાકાલ માં શિવલિંગ પર પાણી કેટલું ચઢી શકે એ નક્કી કરી શકે, શબરી માલા માં મહિલા પ્રવેશ કરી શકે કે નહિ એ નક્કી કરી શકે, પણ ઈંડિયા નામ રદબાતલ કરવું કે નહિ એ નક્કી ન કરી શકે... એ મારા માટે થોડું અજીબ છે !

જે બંધારણ વારે વારે ખતરામાં આવી જાય છે ( મને તો ક્યારેય નથી લાગ્યું કે બંધારણ ખતરામાં આવી ગયું એવું શું તમને ક્યારેય લાગ્યું ???) એના અનુચ્છેદ ૧ માં જ કહેવામાં આવ્યું છે કે ઈંડિયા ધેટ ઈઝ ભારત ( ફરી વાંચો ભારત ) ! હવે જ્યારે બંધારણ માં જ આવું કહેવામાં સોરી લખવામાં આવ્યું છે તો પછી રાહ જોવાની કોઈ વાત ખરી ??? કરી નાખીએ એક વખત પછી જે થશે જોયું જશે !


ભારત એ કોઈ ચોક્કસ દેશ નથી. પણ જુદા જુદા રાજ્યોનો બનેલો ઘટક સમૂહ છે એ ભારત તરીકે ઓળખાય છે આવું હું નથી કહેતો હો ! આપડું બંધારણ જ આવું કહે છે. ભારત એ જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે ખાલી એક ભૂમિનો ટૂકડો માત્ર નથી ! સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી ની કવિતાઓ ધ્યાન થી સાંભળજો તમને આ વાત વધુ સારી રીતે જાણવા મળશે ! નામ બદલવામાં આપડા સૌથી હોશિયાર એવા યોગી આદિત્યનાથ ના ધ્યાને આ વાત હજુ આવી નથી નહિ તો એ ક્યારના આ બાબતે સમગ્ર દેશમાં એક માહોલ સર્જી નાખત.

ભારત વિશે વિષ્ણુ પુરાણ માં એક શ્લોક છે જે આ મુજબ છે,
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।
 આ શ્લોક એવું કહે છે કે ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણ માં સમુદ્ર સુધી જે પણ ભૂમિ છે એ ભારત છે અને એ ભૂમિ પર વસતા તમામ લોકો ભારતવાસી છે

હવે આટઆટલી સાબિતી પછી હજુ કોઈ સાબિતી આપવી જોઈએ કે ઈંડિયા નામ રદ્દ કરીને ભારત કરી દેવું જોઈએ??? હું તો કહું છું આ કામ જેટલી જલદી થાય એટલું સારું કેમ કે નહિ તો વળી પાછી લોકસભાની ચુંટણી આવશે અને આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી દેવામાં આવશે.

આમ પણ આપડા દેશમાં ચુંટણી લડવા માટે કોઈ પણ પાર્ટી પાસે મુદ્દાઓ ઓછાં અને ભ્રામક માન્યતાઓ અને એજન્ડા વધારે હોઈ છે એટલે આ કામ તાત્કાલિક પાર પાડી દેવું જોઈએ.

 પ્રજાની યાદ શક્તિ બહુ ઓછી છે એટલે ખાસ કોઈ ફેર પડવાની વાત નથી. પાંચ દસ પંદર દિવસ સુધી આ વાત ગાજશે મીડિયામાં પ્રાઈમ ટાઈમ માં ડીબેટો યોજવામાં આવશે અને એમાં નકરું જાહેર માં ઝહેર ઓકવામાં આવશે. જોકે હવે આપડી જનતાને પણ આવી બધી બાબતો માં રસ ઓછો છે એટલે એમને આ બાબત અંગે કોઈ ફેર ન પડે કે આપડા દેશનું નામ ભારત હોઈ હિન્દુસ્તાન હોઈ કે પછી ઈંડિયા હોઈ.

એક સામાન્ય માણસ તરીકે હું વિચારું તો મને શેની પડી છે ?? મારી નોકરી મારો ધંધો મારો રોજગાર મારો પરિવાર.... બસ આનાથી વિશેષ કોઈ વિચારતું નથી !  એક સારા અને સામાન્ય વ્યક્તિ તરીકે કોઈ આવી બધી ઝંઝટ માં કોઈ પડવા પણ ન ઈચ્છે. આવું બધું કામ અમારા જેવા લોકો ઉપાડે ! મને પણ ખ્યાલ છે કે આ બધું કહેવાથી કે કરવાથી કોઈને પણ ફેર નહિ જ પડે, પણ કદાચ એક બે લોકો પણ આ વાંચે અને સમજે તો મારો આ લખવાનો ઢસરડો લેખે લાગશે. હું જે આ બધું લખું છું એમાંથી કાણી પાઇ ની આવક પણ નથી, તોય લખાણ પટ્ટી નો શોખ છે એટલે લખતો રહું છું.

Sunday, June 7, 2020

હૈયા વરાળ



WHO એ CoVID-19 ને મહામારી ઘોષિત કર્યા બાદ લોકડાઉન થવાને લીધે શેઠે રોજમદાર પરેશને કારખાનામાંથી છૂટો કર્યો. નિરાશા સાથે પોતાના ભવિષ્ય અંગે વિચારતો તે ઘરે ગયો. અશક્ત અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોના મૃત્યુ થયા બાદ કોરોના નો કેર ઘટતા લોકડાઉન હટયું અને ન્યુઝ ચેનલો ગાજવા લાગી,  વાહનોના ઘોંઘાટના બદલે પંખીઓનો કલરવ ગુંજ્યો, વાયુ પ્રદુષણ અને PM 2.5 & PM 10 ઘટતા ઓઝોન સ્તરમાં સુધારો થયો. નદી-નાળા-તળાવો શુદ્ધ થયા. સ્વચ્છતા અભિયાન આપોઆપ થયું. આ જોઈને નવા રોજગારની તલાશમાં પરેશ મનમાં બબડ્યો આમાં મને શું ફાયદો ??


લેખક:- અજયગીરી ગોસ્વામી

Friday, June 5, 2020

પિંજરું


કોરોનાની વધતી જતી દહેશતને ધ્યાનમાં લેતા વડાપ્રધાને રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન માં સમગ્ર દેશમાં લોકડાઉન ની જાહેરાત કરી. ૮ વર્ષના સ્પર્શે એની મમ્મી રુચિને પૂછ્યું લોકડાઉન એટલે શું ??? રુચિ એ કહ્યું બેટા કાલે સવારે તને સમજાવીશ ! સવારે નાસ્તાના ટેબલ પર ફરી સ્પર્શે એ જ સવાલ કર્યો એટલે રુચિ એ કહ્યું બેટા લોકડાઉન એટલે ઘરમાં પુરાઈને રહેવાનું, એટલે તરત જ સ્પર્શે કહ્યું, બહાર બાલ્કની માં પેલી ચકલી જેમ પિંજરામાં પુરાઇને રહે છે એમ જ ને ?? આ શબ્દો રુચિના દિલમાં લાગી આવ્યા એણે તરત જ બાલ્કની માં જઇને પિંજરાનો
 નાનો દરવાજો ખોલી નાખ્યો !!!

કેરલ : ભણતર માં "પાસ" માનવતામાં "ફેલ" !!!

ખરેખર આજે લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ મને ખબર નથી. મગજમાં અત્યારે જેટલો ગુસ્સો છે એને શબ્દ સ્વરૂપ આપીશ તો આપણા સામાજિક કહેવાતા ઘણા લોકોના નાકના ટેરવા ચડી જશે !! વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હું અલગ મુદ્દા પર લખવા માંગતો હતો પણ આ ઘટનાએ મને અંદરથી હચમચાવી મૂક્યો છે !

એક ગર્ભવતી માદા હાથી જ્યારે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતી હતી ત્યારે કેરલ ના અમુક ભણેલા(?) ટીખલી ખોર લોકોએ અનાનસ માં ટેટા ભરાવીને અનાનસ એ માદા ને ખાવા માટે આપી દીધું ! રસ્તામાં પડેલા એ અનાનસ માં રહેલા આવા બોમ્બ વિશે જો એ માદા હાથી ને ખબર હોત તો એ બિચારી કદી એમાં મો ન મારત. પણ ભૂખ ભલભલા માણસ ને લાચાર બનાવી દે છે... તો પછી આ તો અબોલ જીવ !! એ ચીસ પાડીને કોઈને કહી પણ ન શકે કે મને ભૂખ લાગી છે ભોજન આપી દો..!!

હું પણ જ્યારે ૧૦ માં ધોરણ માં હતો ત્યારે સામાજીક વિજ્ઞાનના એક પાઠમાં આવતું કે ભારત નું સૌથી શિક્ષિત રાજ્ય કેરલ છે જ્યાં સાક્ષરતા દર લગભગ ૯૩% જેટલો છે. આ પ્રશ્ન એક માર્ક માટે ઘણી વાર પરિક્ષા માં પણ પૂછાતો અને મને મનોમન એમ થતું કે આપડું ગુજરાત કેમ નંબર ૧ પર નથી ! આજે હું ખુશ છું કે સારું થયું આપડે નંબર ૧ પર નથી !

જોઈ લીધી નંબર ૧ વાળા લોકોની માનસિકતા, જોઈ લીધા એમના પ્રપંચો, જોઈ લીધી એમની પ્રાણીઓ પ્રત્યેની કરુણતા, જોઈ લીધું એમનું ભણતર !! હવે જ્યારે જ્યારે કોઈ કેરલ ને અભ્યાસ માં નંબર ૧ ગણાવે ત્યારે ત્યારે આ ઘટના એમના મો પર મારજો અને કહેજો કે હવે બંધ કરો આવા ધતિંગો ! અરે થોડીક તો શરમ કરવી હતી ને થોડીક ! એ માદા હાથી ક્યાં તમારા ઘરે ભોજન ની ભીખ માંગવા આવી હતી?? તમને ક્યાં એણે કહ્યું હતું કે મને ખાવાનું આપો ! અને છતાં પણ આવી ક્રૂર અને નિર્દયી મજાક ?? આને મજાક નહિ "સાપરાધ મનુષ્યવધ" ગણવો જોઈએ. વારે ઘડીયે જાત જાતના ફતવાઓ બહાર પાડતી આપડી સુપ્રીમ કોર્ટ એ આના પર "સુઓ મોટો" દાખલ કરીને ગુનેગારો ને આજીવન કારાવાસ ની સજા આપવી જોઈએ ! મહાકાલની શિવલિંગ પર પાણી કેટલું ચઢે? મટકી ફોડ વખતે હાંડી ની લંબાઈ કેટલી રાખવી ?? દિવાળી માં ફટાકડા ન ફોડવા, ઉતરાયણ માં પતંગ ન ચગાવી, ફલાણા ઢીમકાના મેસેજ ફોરવર્ડ કરનારાઓ થોડીક નજર આ ઘટના ઉપર પણ ફેરવી જુઓ !!

આવી એકાદ ઘટના સામે આવી છે, પણ એવી હજારો ઘટનાઓ કેરલ માં બને છે પણ બહાર નથી આવતી. આ ઘટના અંગે મેનકા ગાંધી એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે એ સિવાય કોઈએ નકલી આંસુ પણ નથી સાર્યાં !

અને આપડું મીડિયા જગત પણ શું કરે છે ?? તૈમુર સુ સુ કરે તો પણ બ્રેકિંગ ન્યુઝ બનાવી બનાવીને પીરસે છે... પણ આ ઘટના ને કેટલું ફૂટેજ આપ્યું ?? ખાલી નીચેની પટ્ટી માં સ્ક્રોલ કરીને બતાવી દીધું બસ વાત ખતમ !

મને તો સાલું ખબર નથી પડતી કે આપડી અંદરનો માણસ જીવે છે કે પછી જીવતે જીવ મરી ગયો છે ??? અરે થોડોક તો અવાજ ઉઠાવો.... અવાજ ઉઠાવી ન શકો તો થોડુક લખો.... લખી ન શકો તો બોલો.... બોલી ન શકો તો જે બોલે છે એને સાથ આપો... એ પણ ન થાય તો કમસે કમ અમારા જેવા લોકોના ઇરાદા ને તોડવાના કારસા તો ન કરો !

સમાજ રાતો રાત નથી બદલી જવાનો.. પણ તમે અને હું પ્રયત્ન તો કરી શકીએ ને ?? તમારે બંદૂક લઈ ને લડવા નથી જવાનું... બસ ખાલી અમારા જેવા લોકોનો સાથ આપો કે જે કશું બોલવા માંગે છે, જે કશું લખવા માંગે છે ! આ કલમ માં આગ હોતી નથી પણ એક મગજ ફરેલો માણસ નક્કી કરીને લખવા બેસે ને તો ખરેખર આ કલમ "જ્વાળામુખી" બનીને બહાર આવી શકે છે !

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Thursday, June 4, 2020

શ્રેષ્ઠ ચર્ચા કઈ રીતે કરી શકાય ???

"પૂછ્યું છે શ્રેષ્ઠ ચર્ચા કઈ રીતે કરી શકાય??"

પ્રશ્ન જ મૂળ માથી ખોટો પૂછ્યો છે. હું એમ પૂછું કે વિશ્વનું સર્વ શ્રેષ્ઠ યુદ્ધ કયું ?? તમે જણાવશો ફલાણું ફલાણું યુદ્ધ. બધા જ જવાબો ખોટા પડશે. કારણ કે એક પણ યુદ્ધ એવું નહિ હોઈ જેમાં કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામ્યો હોય. જો એક પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એ સર્વશ્રેષ્ઠ યુદ્ધ કઈ રીતે હોઈ શકે ???

વિશ્વ નું સર્વશ્રેષ્ઠ યુદ્ધ છે છે જે ક્યારેય લડવામાં જ ન આવે, જેવી લડાઈ શરૂ થઈ કે, મારો કાપો ભાગો ચાલુ..... પછી માનવતાના તમામ નિયમો હણાઇ જાય છે !

હવે આવી મૂળ પ્રશ્ન પર... ચર્ચા પણ એક જાતનું યુદ્ધ જ છે, હા ભલે અહી તલવાર ભાલા બંધુક કે તોપ ગોળા નથી ! અહી છે વિચારો વિચારધારા માન્યતા તર્ક વિતર્ક કુતર્ક ! જે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર પરાણે ઠોકી બેસાડવાની તર્કબદ્ધ યોજના કરે છે !

ચર્ચાનો અંત ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી બંને માથી કોઈ એક મૌન ન બને ! પણ અહી મૌન નો અર્થ હારવું એવો સમજવામાં આવે છે, એટલે બન્ને માથી કોઈ એક પક્ષ હારવાનું લેબલ પોતાના માથા પર લાગે એવું નથી ઈચ્છતો એટલે જ એક પછી એક તર્ક અને વિચારો રજૂ કર્યા જ કરશે.... વાદ પ્રતિવાદ તર્ક વિતર્ક....... આ શ્રુંખલા ચાલ્યા જ કરવાની છે !

એમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે સમર્પણ... તમે સમર્પણ કરી દો, તમે મૌન સ્વીકારો પછી જુઓ કમાલ ! તમારા મૌન ને તોડવાની તાકાત કોઈ પણ વ્યક્તિના તર્ક માં નહિ મલે !!


તો સર્વશ્રેષ્ઠ ચર્ચા એ માત્ર કાલ્પનિક ખ્યાલ છે એથી વિશેષ કશું નહિ !


આપના પ્રતિભાવો સ્વીકાર્ય છે !

ફુગ્ગા વાળો

રોજ સવારમાં ૬ વાગ્યે હું મારા ઘર પાસે આવેલા સંગમ બાગ માં દોડવા માટે જાઉં ! આરામ થી ૨ કલાક જેટલો સમય હું આ બાગ માં કસરત કરતા કરતા વિતાવું ક્યારે ૮ વાગી જાય એની ખબર પણ ન પડે.

રોજ હું ઘરે જવા માટે બાગ માથી પાછો નીકળતો હોવ એવા સમયે એક ૩૫ વર્ષની આજુબાજુ હોઈ એવો દેખાવ ધરાવતો એક યુવક અને એની સાથે એની ૧૦ કે ૧૨ વર્ષની દીકરી રોજ એ સમયે ચાલવા માટે આવતા.

આમ તો મારે એમની જોડે કોઈ ખાસ સબંધ ન હતો પણ રોજ અમે બાગ ના ગેટ પર ભેગા થઈએ એટલે થોડીક જાન પહેચાન... થોડુક હાય હેલો બસ એનાથી વધુ કોઈ પરિચય નહિ !


પણ છેલ્લા ૩ દિવસથી ગેટ પર ઉભેલો ફુગ્ગા વાળો મને થોડો અજીબ લાગ્યો. મારું ધ્યાન પણ આ ફુગ્ગા વાળા પર ન્હોતું ગયું ! પણ આ યુવક ની દીકરી છેલ્લા ૨ દિવસથી રોજ ફુગ્ગો લેવાની જીદ કરતી ત્યારે મારી નજર આ ફુગ્ગા વાળા પર પડી. લાંબા વધેલા વાળ, વધેલી દાઢી, મહિનાઓ થી ધોયા ન હોઈ એવા કપડાં અને શરીર માથી આવતી એક વિચિત્ર પ્રકારની વાસ એને ફુગ્ગા વાળો ઓછો અને ફૂલન દેવો વધારે બનાવતી હતી !

ઘરે આવીને મે રોજ મારા નિત્યક્રમ મુજબ અખબાર ખોલ્યું એમાં પ્રથમ પેજ પર વાંચ્યું, "સાવધાન આપણા શહેરમાં ખૂંખાર ખુની મંગલ નું આગમન થઈ ચૂકયું છે" બે દિવસ પહેલા જ મંગલ જેલમાંથી ભાગી ચૂકેલો હતો. જેવી મે મંગલ ના ફોટા પર નજર કરી તો આ એ જ ફુગ્ગા વાળો હતો જે ત્રણ દિવસ થી બાગ ના ગેટ પર ફુગ્ગા વેચતો હતો..!

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Wednesday, June 3, 2020

કોરોના : કુદરતની સજા કે કૃપા ???

લગભગ લગભગ ૩ માસ થી આપડે બધા લોક ડાઉન નું પાલન કરીને આપડા ઘર માં જ પૂરાઈને રહ્યા છીએ. જેમાં આપડી જ સલામતી છે. સરકારે પુરે પૂરી કટિબદ્ધતા સાથે જે કદમો લેવા જોઈએ એ લીધા જ છે. ગઈકાલે જ ગુજરાત હાઇકોર્ટ એ પણ રાજ્યસરકાર ના વખાણ કર્યા છે ( સ્ત્રોત: દિવ્યભાસ્કર ફ્રન્ટ પેજ તા.૧/૬/૨૦૨૦) કોરોના એ જેટલા ઉધામા ભારત માં મચાવ્યા છે એટલા જ ઉધામા પૂરા વિશ્વમાં મચાવ્યા છે. પણ આપડે નસીબદાર છીએ કે આપડે નરેન્દ્રમોદી જેવા વડાપ્રધાન મળ્યા છે. જેના એક આહ્વાન પર દેશ આખો તેમની પડખે  ઊભો રહ્યો અને "જનતા કરફ્યુ" નું પાલન કર્યું. ત્યાર બાદ જ લોક ડાઉન ના જુદા જુદા તબ્બકા આવ્યા. જનતા કરફ્યુ ખરેખર લોકોની "સહનશક્તિ" જાણવાનો એક રસ્તો હતો... જેના દ્વારા કેન્દ્ર સરકાર એ જાણવા ઈચ્છતી હતી કે લોકોનો મૂડ કઈ દિશામાં છે... જનતાનું આવું પ્રચંડ સમર્થન જોયા બાદ કેન્દ્ર સરકારે લોક ડાઉન જેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. (આ મારું અંગત મંતવ્ય છે)  કેન્દ્ર સરકારે અર્થતંત્ર કરતા પણ વધુ મહત્વ જનતાની સુરક્ષા ને આપ્યું. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અર્થતંત્ર ને મહત્વને આપીને લાખો લોકોના જીવ લીધા... અખબાર વાંચતા હશો તો ખ્યાલ આવશે કે કેટલા લોકોના મૃત્યુ થાય છે રોજ ! ન્યુયોર્ક એ તો પહેલા પેજ પર લોકોના નામ છાપ્યા.

હવે વાત કરું કોરોના ના કહેરની જેને અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હશે એને ખ્યાલ હશે કે વિશ્વ ના ત્રણ ભાગો પાડવામાં આવ્યા છે, અભ્યાસની દ્રષ્ટિએ ! પ્રથમ બીજા અને ત્રીજા વિશ્વના દેશો ! હવે કોરોના છે "અભણ" અને "સેક્યુલર" એ કોઈ ધર્મ પંથ જાતિ જ્ઞાતિ કે વિકસિત ગરીબ એવું નક્કી કરીને નથી આવતો. વળી એ એટલો બધો નમ્ર છે કે જ્યાં સુધી તમે હાથ પકડીને લેવા ન જાવ ત્યાં સુધી એ તમારી પાસે નથી આવતો !! તો આ કોરોના ના કહેર એ અર્થશાસ્ત્ર ની પાયાની બુનિયાદી હકીકત જ ફેરવી નાખી... દરેક દેશને એક જ હરોળ માં ઊભા કરી દીધા અને એ પણ "લાચાર" બનાવીને ! અમેરિકા ચીન ફ્રાંસ ઇંગ્લેન્ડ ઈટલી કોઈ પણ દેશનું નામ લય લો કોરોના ની કૃપા બધા દેશો પર સરખી વરસી છે !

કુદરતે ફરી એક વખત બતાવી દીધું છે કે માણસ ખાલી માણસ જ છે અને ઉપરવાળો "બાપ" ખરેખર "બાપ" છે ! માણસ જાતને જેટલો ઘમંડ હતો એ ઘમંડ આ કોરોના સામે ઉતરી ગયો છે. ઉપરવાળા એ એ વાત સાબિત કરી દીધી છે કે આપડે માત્ર આ પૃથ્વી પર "ભાડૂત / ભાડુઆત" છીએ માલિક નહિ ! કુદરતી સંસાધનો નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે નહિ કે બેફામ !

સરકાર સ્વચ્છતાના નિયમો પર લોકોને સમજાવી સમજાવી ને થાકી પણ કોણ માન્યું?? આ કોરોના ના કહેરે બધાને મોઢે માસ્ક અને વારંવાર હાથ ધોતા કરી દીધા.. જ્યાં કીડિયારું ઉભરાય એમ માણસો ઉભરાતા હતા ત્યાં આજે સુનો ભેંકાર સાંભળે છે... લોકો દો ગજ દુરી નું પાલન કરતા થયા છે, પોતાના શરીર ની સાર સંભાળ લેતા થયા છે,  જાહેર જગ્યા પર ભીડ કરતા બંધ થયા છે. કારણ વગર પપા ની પરીઓ અને મમી ના લાડલાઓ ઘરની બહાર નીકળતા બંધ થયા છે ! પ્રદૂષણ રેકોર્ડ સ્તર પર ઘટયું છે, નદીઓના પાણી શુદ્ધ થયા છે, ફરી એક વખત ચકલીઓ મારા ઘરના આંગણામાં આવતી થઈ છે, કારખાનાઓ ના ભૂંગળા હવે ઝહેર ઓકતા બંધ થયાં છે, કારણ વગરની બેફામ દોડતી રિક્ષાઓ બંધ થઈ છે, ધૂમ સ્ટાઈલ માં બાઈક ચલાવનારી ગેંગ પણ ઘરમાં પૂરાઇ ને વટાણા ફોલે છે ! કાન ના ( ફરી કહું છું કાનના ) પડદા ફાડી નાખતા ચિત્ર વિચિત્ર પ્રકારના હોર્ન નો અવાજ પણ હવે ઓછો થયો છે ! આ સિવાય પણ અઢળક ફાયદાઓ કોરોના ના લીધે થયાં છે !

તો કોરોના એ કુદરતની કૃપા પણ છે અને સજા પણ છે... ! પણ મણ એક નો સવાલ છે કે આમાંથી આપડે આવનારા સમય માં શું બોધપાઠ લઈશું ??

આપના સૂચનો સ્વીકાર્ય છે !
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Tuesday, June 2, 2020

#વિદ્યાર્થીનું_ભાડું_માફ

કેમ છો મિત્રો ? મજામાં હશો. આજે લખવાની કોઈ ઈચ્છા કે પ્રયોજન ન હતું. પણ અત્યારે એક સમાચાર આવ્યા જે જોઈને એવું મને લાગ્યું કે આના પર મારે મારો વિચાર પ્રગટ કરવો જોઈએ. અત્યારે કોવિડ - ૧૯ જેને સારી ભાષામાં કહું તો કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. જેના પરિણામે બજારો બંધ છે, પરિવહન બંધ છે, ધંધા રોજગાર બંધ છે, સીનેમાગૃહો બંધ છે, હોટેલ બંધ છે, ધાર્મિક સ્થળો બંધ છે, પુસ્તકાલયો બંધ છે, બાગ બગીચા બંધ છે, ટુંકમાં આપણા ઘરના દરવાજા સિવાય બધું જ બંધ છે.

આ કપરા કાળ માં સૌથી વધુ ખરાબ હાલત થઈ હોઈ તો એ છે મજૂર વર્ગ જે રહેતા હોઈ છે આપડા શહેર માં પણ તેમનું મૂળ વતન કોઈ બીજું છે, અને બીજા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મારા યુવા મિત્રો. આ બે વર્ગ ને સૌથી વધુ અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર નું મેગા સિટી રાજકોટ અને બાજુમાં આવેલ રાજસ્થાન માં કોટા આ બે શહેરો એવા છે જેનું અર્થતંત્ર ચાલે છે "વિદ્યાર્થી જગત" થી. આ બે એવા શહેરો છે જ્યાં સ્થાનિક કરતા બહારના વિદ્યાર્થીઓ વધુ નિવાસ કરે છે.

હવે સ્વાભાવિક છે જે વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડવા માટે બીજા શહેરમાં ગયો છે તો સૌથી પહેલી જરૂર એને ઘર ની પડવાની. પેઇંગ ગેસ્ટ કલ્ચર વિશે આપણે બધા જાણીએ જ છીએ. પછી તેના જમવાની સગવડ જો વિદ્યાર્થીના
માતા પિતાની આર્થિક સ્થિતિ સારી હોઈ તો કપડાં ધોવડાવા ની પણ સગવડ ( મોટે ભાગે અમે હાથે જ લૂગડાં ધોઈ કાઢીએ જેથી એ પૈસા અમે બીજે કશે વાપરી શકીએ ) એ લોકો લેતા હોઈ છે.

હવે હું આવું છું મારા મૂળ મુદ્દા ઉપર એ છે "ભાડા" નો પ્રશ્ન ! લોક ડાઉન લાગુ થયું ત્યારથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે ચાલ્યા ગયા છે અંદાજે ત્રણ માસ જેટલો સમય થયો છે. હવે આ ત્રણ માસ દરમ્યાન વિદ્યાર્થી જે ઘરમાં રહ્યો જ નથી એનું ભાડું "ફરજીયાત ઉઘરવાવવું" પ્રથમ દ્રષ્ટિએ ન્યાયોચિત મને નથી લાગતું ! બની શકે તમે મારાથી અલગ મત ધરાવતા હો...! પણ અહી પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થી પોતાનું શહેર કે ગામડું મૂકીને રાજકોટ કે કોટા કે દિલ્હી જેવા શહેરો માં જતો હોય છે એની આર્થિક સ્થિતિ નબળી જ હોઈ છે એમાં શંકા ને સ્થાન નથી !

અમે એવા લોકો છીએ જે ટૂથપેસ્ટ પતી જાય તો પણ વેલણ થી મારી મચકોડી છેટ સુધી એનો કસ કાઢી લય છીએ..! અમે એક અઠવાડિયા સુધી રોજ એક ની એક જોડી શરમાયા વગર પહેરી શકીએ છીએ..! બે વખત જમવાનું પોષાય નહિ એટલે એક વખત જમીએ અને એક વખત સોસ સાથે બ્રેડ કે પછી મેગી નો સહારો લઇ લઈયે છીએ ! અમારો ફોન જોશો તો ખ્યાલ આવશે કે કોર્પોરેશન ની બનાવેલી નવી સડક કરતા વધુ સ્ક્રેચ અમારા ફોન માં હોઈ છે. સામાન્ય માણસ જે શેમ્પૂ નું પાઉચ એક વખત ચલાવે એમાં અમે ત્રણ વખત માથું ધોઈ નાખી.

સામાન્ય લોકોના ઘર માં પીવા માટે પાણીના ગ્લાસ હોઈ છે જ્યારે અમારે તો થમ્બસપ કે કીનલી સોડાની બોટલો ગ્લાસ તરીકે વપરાતી હોઈ છે.

અમારો રૂમ તમે જુઓ તો લાયબ્રેરી છે કે બેડરૂમ ખબર ન પડે કેમ કે કપડાં અને ચોપડા બેય રખડતા સોરી ઉડતા હોઈ છે !

આ બધી વાતો ખાલી એને સમજાય જે આ કલ્ચર માથી પસાર થયા છે !

તો મારી નાની એવી વિનંતી છે આ મોટા શહેરો ના મકાન માલિકો ને કે પ્લીઝ આ બે ત્રણ મહિનાનું મકાન ભાડું તમે આ વિદ્યાર્થીઓ પાસે થી ન વસુલો તો સારું !!

મિત્રો તમે પણ મારા આ અભિયાન માં જોડાઓ એવી વિનંતી !!

આ લેખ તમે તમારા ફેસબુક ટવીટર ટેલીગ્રામ ઈન્સ્ટાગ્રામ બધી જગ્યાએ કોપી પેસ્ટ કરો ! અને આ હૅશટૅગ વાપરો #વિદ્યાર્થીનું_ભાડું_માફ !

આ હેશ ટેગ તમારા બધા સોશ્યલ પ્લેટફોર્મ પર વાપરો અને વિદ્યાર્થી જગતની એકતા બતાવો !!!

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Monday, June 1, 2020

વ્યક્તિ વિશેષ

લખવા માટે વિશેષ જ્ઞાન કે બુદ્ધિમતા ની જરૂર નથી. જરૂર છે માત્ર ને માત્ર "ઈચ્છા" ની. બ્લોગ માં કોઈ એક ચોક્કસ વિષય ને પકડી ન રાખતા અવનવા વિષયો ને આવરી લેવાનો એક નાનો એવો પ્રયાસ કરવાની મારી ઈચ્છા છે. ફિલ્મ રિવ્યૂ, વાર્તા, કવિતા, વ્યંગ, કટાક્ષ, માઇક્રો ફિક્શન આ બધું ટ્રાય કર્યું છે. હવે એમાં વધુ એક વિભાગ ઉમેરવાની શરૂઆત કરવી છે. એ વિભાગ હશે " વ્યક્તિ વિશેષ"
આ વિભાગ માં દેશના જાણ્યા અજાણ્યા લોકો વિશે લખવામાં આવશે. વ્યક્તિ કોઈ પણ ક્ષેત્ર ની હશે. તો હવે મળીશું એક નવા અંક માં નવા વિષય સાથે ! ત્યાં સુધી બ્લોગ માં મુકવામાં આવેલ દરેક લેખ ને વાંચો અને વંચાવો !! આપનો આભાર... !

બ્લોગ વિષે આપના પ્રતિભાવો ફરિયાદ સૂચન પણ જરૂર થી જણાવી શકો છો !

જો તમે સૂચન નહિ કરો તો મને સુધારા વધારા કરવાનો ખ્યાલ નહિ આવે !!

જરૂરી છે ???

કેમ છો મિત્રો ? મજામાં હશો ! લોક ડાઉન ને કારણે એક ફાયદો એ થયો છે કે જે લોકો "ટાઈમ નથી મળતો" એવી ફરિયાદ કરતા હતા એ જ લોકો હવે "ટાઈમ નથી જતો" એવી ફરિયાદ કરે છે. પહેલા નહોતો મળતો તો તકલીફ, હવે જતો નથી તો તકલીફ ?? ઉપરવાળો પણ વિચારે છે આ કેવા નંગ વિહરે છે પૃથ્વી લોક માં ???

તો હવે સીધો જ આવી જાવ મુદ્દા પર જેનું નામ છે "જરૂરી છે...???"

↪️આ ગુમનામ સંસ્થાઓએ આપેલા પ્રમાણપત્રો રોજ સ્ટેટ્સ માં મૂકીને  (બતાવીને) ત્રાસ આપવો જરૂરી છે ?

↪️ઢોસા ખાતી વખતે ફેસબુકમાં ફિલિંગ હંગ્રી લખીને પચા (હું ભણેલો અભણ છું એટલે પચાસ ને પચા કહું છું ) જણાને ટેગ કરવા જરૂરી છે ?

↪️મોબાઈલ નો ફ્રન્ટ કેમેરા ઓપન  કરીને સેલ્ફી લેતી વખતે બરફ ગોળો ચુંસ્તા હોઈ એવું ડાચું કરવું જરૂરી છે ?

↪️તમારી/તમારો જી એફ/બી એફ બ્રેક અપ કરીને ભાગી ગયા હોઈ તો દિવસમાં ૧૦ વખત રફીના ગીત મૂકીને અમને ઉદાસી ના માહોલ માં ધકેલવા જરૂરી છે ?

↪️વોટ્સઅપ માં ચોક્કસ લોકોને સ્ટેટ્સ દેખાય અથવા ન દેખાય એવું સેટિંગ કરવું જરૂરી છે ?

↪️OK ની જગ્યાએ K લખીને ૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧ સેકંડ બચાવવી જરૂરી છે ?

↪️રૂમી ઓશો કૃષ્ણ ચાણક્ય ( મોટે ભાગે આ ચાર લોકો સરખું જ કહી ગયા લાગે છે એવું આ શેર કરવા વાળા માને છે. હકીકત માં આ ચારેય ના વિચારો અલગ છે પણ એમના ફોટો સાથે એ લોકો એ કીધું નથી એવું પણ ફરે છે ઇન્ટરનેટ પર ) ના વિચારો સવાર સવાર માં મોકલવા જરૂરી છે ?

↪️મોબાઈલ નું શટર ડાઉન કરી મેસેજ વાંચી લોકોને અવોઇડ કરવા જરૂરી છે ?

↪️રોજ સવારમાં ચા બિસ્કીટ વાળો એક નો એક ફોટો ગુડ મોર્નિંગ કહીને મોકલવો જરૂરી છે ?

આ બધું વાંચ્યા પછી પણ મજા આવવી જરૂરી થોડી છે ???

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...