Saturday, September 10, 2022

"આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ વિકલ્પ ન હોય શકે !"

"આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ વિકલ્પ ન હોય શકે !"

 

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો અંતિમ વિકલ્પ નથી. જેમ જીવન કુદરતી છે એમ મૃત્યુ પણ કુદરતી હોવું જોઈએ. સમગ્ર વિશ્વમાં 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકો દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આજે આપણી આજુબાજુમાં પ્રત્યેક વ્યક્તિ આપણને તણાવગ્રસ્ત નજર આવશે. દરેક લોકો એક અદૃશ્ય દોડમાં દોડી રહ્યા છે, પણ એમને ઊભા રાખીને પૂછીએ કે તમારી મંજિલ શું છે ??? તો જવાબ મળશે, "ખબર નથી !" આ ખબર નથી એની જ બધી માથાકૂટ છે. જે દિવસે આપણે પોતાના જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ખબર પડી જશે એ દિવસે આપડે જીવનની વ્યર્થ દોડમાંથી બહાર નીકળી જશું. આત્મહત્યા એ એક દિવસમાં બનતી ઘટના નથી. એની પાછળ વિચરબદ્ધ યોજના ઘડવામાં આવેલી હોય છે. શરીરમાંથી જીવ કાઢવો એ સરળ કામ નથી. વ્યક્તિને જ્યારે લાગે કે એની આજુબાજુની દુનિયા હવે તેને સમજી શકે એવી નથી રહી અને હવે આ દુનિયામાં વધુ જીવવું એ અશક્ય બની રહ્યું છે, એવા સમયે વ્યક્તિ આત્મહત્યા જેવા પગલાં તરફ આગળ વધે છે ! શરીરને આગ લગાડવી, ઘરના પંખે લટકી જવું, ટ્રેન નીચે કપાઈ જવું, ઝેરી દવા પી લેવી, ઊંઘની ગોળીઓ ગળી જવી, તળાવ કે નદીમાં ડૂબી જવું, ઊંચી ઈમારત પરથી કૂદકો મારવો આવા અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ આત્મહત્યા કરનાર વ્યક્તિ પસંદ કરે છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરવાના વિચારો કરતા હોય એની શરૂઆતના જ 10 મિનિટમાં કોઈ એને સમજાવવા વાળું મળી જાય તો એ વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકાય છે !


નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...