Sunday, June 13, 2021

વાહ ગીતા બેન વાહ.... અમે લાઈન માં ને તમે ઘરે...!!!

 

એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.



ભારત જેટલો મારો દેશ છે એટલો જ તમારો પણ દેશ છે, એટલે કે ભારતના કાયદો બધા માટે સમાન જ છે પછી તે પસ્તી વેચવા વાળો મજૂર હોય કે પ્રધાનમંત્રી ખુદ પોતે હોય ! અત્યારે દેશ માં બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડવા લાગી છે ત્યારે આપણે બધા એ રસી મુકાવી જોઈએ અને બીજા લોકોને પણ રસી મૂકવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ.



એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.


રસી મુકાવવી એ વર્તમાન પરિસ્થિતિ જોતા દરેક નાગરિક નો હક બને છે. પણ આ માટે સરકારે બનાવેલી ગાઇડલાઈન નું આપણે બધાએ પાલન કરવું પડે છે. રસી લેવા માટે તમે કેટલા પ્રયત્નો કર્યા ?? કેટલી વાર લાઈન માં ઊભા રહ્યા ?? કેટલો તડકો સહન કર્યો ?? .... બધાએ ઓછા વત્તા અંશે કંઈ ને કંઈ મુશ્કેલી અનુભવેલી જ હશે... !



હવે ગીતા બેન રબારી એ આમાંથી કઇ મુશ્કેલીનો સામનો કર્યો ??? કદાચ એક પણ નહિ ! કેમ એમ ??? અરે ભાઈ કારણ કે એ તમારી અને મારી જેમ સામાન્ય માણસ નથી. ગીતા બેન એ "ખાસ" નાગરિક છે, એટલે એ ઘરે રસી લે એમ ઉહાપોહ મચાવવાની કોઈ જરૂર નથી...!


સેલિબ્રિટી દ્વારા આવા છડેચોક નિયમોના ભંગ કરવાની આ ઘટના પ્રથમ નથી અને કદાચ અંતિમ પણ નહિ જ હોય..! હજુ ઘણા એવા લોકો આવશે જે ગુપ્ત રીતે રસી લઈ લેશે ...!! 


ગીતાબેને જો ઘરે જ રસી લેવી હતી તો ભલે લે... એ એમની "વગ" કે પછી એમની "પહોંચ" દર્શાવે છે.... એમાં કોઈને વાંધો ન જ હોવો જોઈએ. પણ રસી લીધા પછી એમણે જે ફોટા વહેતા કર્યા સોશ્યલ મીડિયામાં એ જોઈને લોકોને ગુસ્સો આવ્યો છે !



ગુસ્સો આવવાનું કારણ શું ??? એક જ કારણ કે ગુજરાતની જનતા લાઈન માં ઊભા રહીને રસી મૂકવા માટે હેરાન થાય છે જ્યારે અમુક કહેવાતા ખાસ લોકો ઘરે જ રસી લઈ ને ફોટા મૂકે સોશ્યલ મીડિયામાં અને બીજા લોકો કરતા પોતે ખાસ છે એવી છાપ સામાન્ય લોકોના મનમાં ઊભી કરે.


ગીતાબેન આટલા બધા ચાહકો ધરાવે છે તો એમની ફરજ બને છે કે એ એવું ઉદાહરણ પૂરું પાડે કે લોકો પણ શિસ્તબદ્ધ રીતે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જયી ને રસી મુકાવી આવે. પણ અહીં ગીતા બેન દ્વારા જાણતા કે અજાણતા આવી ખાસ ટ્રીટમેન્ટ ના ફોટા બહાર આવ્યા છે એ ખરેખર એમની બેદરકારી નું પ્રદર્શન જ છે.


આ લેખનો ઉદ્દેશ્ય ગીતાબેન ની છબી ખરાબ કરવાનો નથી પણ ભવિષ્યમાં આવી ભૂલ ન કરે એ માટે છે !


✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )

2 comments:

  1. विकुल सही बात अमित भाई पर भारत में सब कानून एक समान नहीं है मुस्लिम लोग को तो उनका पर्सनल सरिया कानून मिला है हिंदू का क्या टैक्स भरे हिंदू खाए उनके 1 - 1 बेगम से किए 24 बच्चे हिंदू आबादी बड़ी होने के लिए बावजुद आज भी घुट घुट के जीते है।कृपा एक बार इस पर भी लिखिएगा।।

    ReplyDelete
  2. मैने बंधारण के परिप्रेक्ष्य में यह बात कही है । धार्मिक कानून सब धर्म के अपने अपने है । वह हटाने के लिए कॉमन सिविल कोड की आवश्यकता है बंधु ।

    ReplyDelete

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...