Wednesday, June 3, 2020

કોરોના : કુદરતની સજા કે કૃપા ???

લગભગ લગભગ ૩ માસ થી આપડે બધા લોક ડાઉન નું પાલન કરીને આપડા ઘર માં જ પૂરાઈને રહ્યા છીએ. જેમાં આપડી જ સલામતી છે. સરકારે પુરે પૂરી કટિબદ્ધતા સાથે જે કદમો લેવા જોઈએ એ લીધા જ છે. ગઈકાલે જ ગુજરાત હાઇકોર્ટ એ પણ રાજ્યસરકાર ના વખાણ કર્યા છે ( સ્ત્રોત: દિવ્યભાસ્કર ફ્રન્ટ પેજ તા.૧/૬/૨૦૨૦) કોરોના એ જેટલા ઉધામા ભારત માં મચાવ્યા છે એટલા જ ઉધામા પૂરા વિશ્વમાં મચાવ્યા છે. પણ આપડે નસીબદાર છીએ કે આપડે નરેન્દ્રમોદી જેવા વડાપ્રધાન મળ્યા છે. જેના એક આહ્વાન પર દેશ આખો તેમની પડખે  ઊભો રહ્યો અને "જનતા કરફ્યુ" નું પાલન કર્યું. ત્યાર બાદ જ લોક ડાઉન ના જુદા જુદા તબ્બકા આવ્યા. જનતા કરફ્યુ ખરેખર લોકોની "સહનશક્તિ" જાણવાનો એક રસ્તો હતો... જેના દ્વારા કેન્દ્ર સરકાર એ જાણવા ઈચ્છતી હતી કે લોકોનો મૂડ કઈ દિશામાં છે... જનતાનું આવું પ્રચંડ સમર્થન જોયા બાદ કેન્દ્ર સરકારે લોક ડાઉન જેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. (આ મારું અંગત મંતવ્ય છે)  કેન્દ્ર સરકારે અર્થતંત્ર કરતા પણ વધુ મહત્વ જનતાની સુરક્ષા ને આપ્યું. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અર્થતંત્ર ને મહત્વને આપીને લાખો લોકોના જીવ લીધા... અખબાર વાંચતા હશો તો ખ્યાલ આવશે કે કેટલા લોકોના મૃત્યુ થાય છે રોજ ! ન્યુયોર્ક એ તો પહેલા પેજ પર લોકોના નામ છાપ્યા.

હવે વાત કરું કોરોના ના કહેરની જેને અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હશે એને ખ્યાલ હશે કે વિશ્વ ના ત્રણ ભાગો પાડવામાં આવ્યા છે, અભ્યાસની દ્રષ્ટિએ ! પ્રથમ બીજા અને ત્રીજા વિશ્વના દેશો ! હવે કોરોના છે "અભણ" અને "સેક્યુલર" એ કોઈ ધર્મ પંથ જાતિ જ્ઞાતિ કે વિકસિત ગરીબ એવું નક્કી કરીને નથી આવતો. વળી એ એટલો બધો નમ્ર છે કે જ્યાં સુધી તમે હાથ પકડીને લેવા ન જાવ ત્યાં સુધી એ તમારી પાસે નથી આવતો !! તો આ કોરોના ના કહેર એ અર્થશાસ્ત્ર ની પાયાની બુનિયાદી હકીકત જ ફેરવી નાખી... દરેક દેશને એક જ હરોળ માં ઊભા કરી દીધા અને એ પણ "લાચાર" બનાવીને ! અમેરિકા ચીન ફ્રાંસ ઇંગ્લેન્ડ ઈટલી કોઈ પણ દેશનું નામ લય લો કોરોના ની કૃપા બધા દેશો પર સરખી વરસી છે !

કુદરતે ફરી એક વખત બતાવી દીધું છે કે માણસ ખાલી માણસ જ છે અને ઉપરવાળો "બાપ" ખરેખર "બાપ" છે ! માણસ જાતને જેટલો ઘમંડ હતો એ ઘમંડ આ કોરોના સામે ઉતરી ગયો છે. ઉપરવાળા એ એ વાત સાબિત કરી દીધી છે કે આપડે માત્ર આ પૃથ્વી પર "ભાડૂત / ભાડુઆત" છીએ માલિક નહિ ! કુદરતી સંસાધનો નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે નહિ કે બેફામ !

સરકાર સ્વચ્છતાના નિયમો પર લોકોને સમજાવી સમજાવી ને થાકી પણ કોણ માન્યું?? આ કોરોના ના કહેરે બધાને મોઢે માસ્ક અને વારંવાર હાથ ધોતા કરી દીધા.. જ્યાં કીડિયારું ઉભરાય એમ માણસો ઉભરાતા હતા ત્યાં આજે સુનો ભેંકાર સાંભળે છે... લોકો દો ગજ દુરી નું પાલન કરતા થયા છે, પોતાના શરીર ની સાર સંભાળ લેતા થયા છે,  જાહેર જગ્યા પર ભીડ કરતા બંધ થયા છે. કારણ વગર પપા ની પરીઓ અને મમી ના લાડલાઓ ઘરની બહાર નીકળતા બંધ થયા છે ! પ્રદૂષણ રેકોર્ડ સ્તર પર ઘટયું છે, નદીઓના પાણી શુદ્ધ થયા છે, ફરી એક વખત ચકલીઓ મારા ઘરના આંગણામાં આવતી થઈ છે, કારખાનાઓ ના ભૂંગળા હવે ઝહેર ઓકતા બંધ થયાં છે, કારણ વગરની બેફામ દોડતી રિક્ષાઓ બંધ થઈ છે, ધૂમ સ્ટાઈલ માં બાઈક ચલાવનારી ગેંગ પણ ઘરમાં પૂરાઇ ને વટાણા ફોલે છે ! કાન ના ( ફરી કહું છું કાનના ) પડદા ફાડી નાખતા ચિત્ર વિચિત્ર પ્રકારના હોર્ન નો અવાજ પણ હવે ઓછો થયો છે ! આ સિવાય પણ અઢળક ફાયદાઓ કોરોના ના લીધે થયાં છે !

તો કોરોના એ કુદરતની કૃપા પણ છે અને સજા પણ છે... ! પણ મણ એક નો સવાલ છે કે આમાંથી આપડે આવનારા સમય માં શું બોધપાઠ લઈશું ??

આપના સૂચનો સ્વીકાર્ય છે !
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...