Thursday, June 4, 2020

શ્રેષ્ઠ ચર્ચા કઈ રીતે કરી શકાય ???

"પૂછ્યું છે શ્રેષ્ઠ ચર્ચા કઈ રીતે કરી શકાય??"

પ્રશ્ન જ મૂળ માથી ખોટો પૂછ્યો છે. હું એમ પૂછું કે વિશ્વનું સર્વ શ્રેષ્ઠ યુદ્ધ કયું ?? તમે જણાવશો ફલાણું ફલાણું યુદ્ધ. બધા જ જવાબો ખોટા પડશે. કારણ કે એક પણ યુદ્ધ એવું નહિ હોઈ જેમાં કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામ્યો હોય. જો એક પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એ સર્વશ્રેષ્ઠ યુદ્ધ કઈ રીતે હોઈ શકે ???

વિશ્વ નું સર્વશ્રેષ્ઠ યુદ્ધ છે છે જે ક્યારેય લડવામાં જ ન આવે, જેવી લડાઈ શરૂ થઈ કે, મારો કાપો ભાગો ચાલુ..... પછી માનવતાના તમામ નિયમો હણાઇ જાય છે !

હવે આવી મૂળ પ્રશ્ન પર... ચર્ચા પણ એક જાતનું યુદ્ધ જ છે, હા ભલે અહી તલવાર ભાલા બંધુક કે તોપ ગોળા નથી ! અહી છે વિચારો વિચારધારા માન્યતા તર્ક વિતર્ક કુતર્ક ! જે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર પરાણે ઠોકી બેસાડવાની તર્કબદ્ધ યોજના કરે છે !

ચર્ચાનો અંત ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી બંને માથી કોઈ એક મૌન ન બને ! પણ અહી મૌન નો અર્થ હારવું એવો સમજવામાં આવે છે, એટલે બન્ને માથી કોઈ એક પક્ષ હારવાનું લેબલ પોતાના માથા પર લાગે એવું નથી ઈચ્છતો એટલે જ એક પછી એક તર્ક અને વિચારો રજૂ કર્યા જ કરશે.... વાદ પ્રતિવાદ તર્ક વિતર્ક....... આ શ્રુંખલા ચાલ્યા જ કરવાની છે !

એમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે સમર્પણ... તમે સમર્પણ કરી દો, તમે મૌન સ્વીકારો પછી જુઓ કમાલ ! તમારા મૌન ને તોડવાની તાકાત કોઈ પણ વ્યક્તિના તર્ક માં નહિ મલે !!


તો સર્વશ્રેષ્ઠ ચર્ચા એ માત્ર કાલ્પનિક ખ્યાલ છે એથી વિશેષ કશું નહિ !


આપના પ્રતિભાવો સ્વીકાર્ય છે !

No comments:

Post a Comment