Tuesday, May 19, 2020

જીવતો વાયર

દરેક લોકો ની અંદર એક ભૂખ્યો વરું હોઈ છે, જેમ શિકાર કર્યા વગર વરું ને શાંતિ નો મળે એમ લોકોને પણ જ્યાં સુધી પોતાની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી એમને શાંતિ નો મળે !

મારી અંદર પણ આવો એક "ભૂખ્યો વરું" છે અને એ વરું ને શિકાર કરવો નથી ગમતો ! પણ લખવું ગમે છે... સારું ખરાબ નબળું ગામ શું કહેશે, સમાજ શું કહેશે, મિત્રો શું કહેશે આ બધું વિચાર્યા વગર લખવું ગમે છે !

તમે જેવા ઘરની બહાર નીકળો છો ત્યારથી તમારી સામે આવતા દરેક લોકો જજ (અમાન્યતા પ્રાપ્ત) છે... તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવા વાળ ઓળી ને નીકળો છો, કેવા પગરખાં પહેરો છો, કેવી ઘડિયાળ પહેરો છો વગેરે વગેરે આવી બધી બાબતો એ જજ(!) તમને પૂછ્યા વગર નક્કી કરી નાખે છે !

તો આ બધાંથી બચવા શું કરવું ?? સો સિમ્પલ આવા લોકો ને અવોઇડ કરો (તમને બીજા રસ્તા ખબર હોઈ તો કહેજો હોં)

આવા બધા મુદ્દા ને ધ્યાનમાં રાખીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું "જીવતો વાયર" ની ! આમાં કોઈ ની શેહ શરમ રાખ્યા વગર કલમ ની જગ્યાએ કરવત વાપરવામાં આવશે !

જો તમારી ઈચ્છા હોઈ તો વાંચજો ! ના ઈચ્છા હોઈ તો ન વાંચતા !
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

No comments:

Post a Comment