Monday, March 16, 2020

કોરોના વાઈરસ : આપતિ કે અવસર ???


ચિકન ગુનિયા, બર્ડ ફલુ, સ્વાઈન ફ્લુ, અને હવે નવુ આવ્યુ “કોરોના”. ચિન ના વુહાન શહેર કે જ્યાં 112 પ્રકારના પ્રાણી અને પશુ-પંખી ના માંસ વેચાય છે, ત્યાં થી આ કોરોના વાઈરસ ની ઉત્પતિ થઈ છે, એવુ દોક્તરો દ્વારા પ્રાથમિક નિદાન છે. મને એક વાત ની અચરજ છે કે, પ્રુથ્વી પર ખાવા માટે કેટલા બધા શાક ભાજી અને ફળો છે, તો એ બધુ છોડીને આ નિર્દોષ પશુ પંખી અને પ્રાણીઓને ખોરાક તરીકે લેવાની ચિન ના લોકોની એવી તે કઈ મજબુરી છે ? અત્યારે વિશ્વ આખુ આ વાઈરસના ભય હેઠળ છે. આપણા ગુજરાતમાં પણ સાવચેતીનાં ભાગ રુપે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
         આ સમય આખા વિશ્વ માટે એક ચિંતન અને મનન માટેનો છે. ભારત કે વર્ષોથી પોતાના જ્ઞાન અને સંસ્કાર માટે જાણીતુ છે, એ ફરી વખત અત્યારે આખા વિશ્વને રાહ ચિંધવા માટે તૈયાર છે. અત્યારે WHO દ્વારા જે પ્રાથમિક સુચનાઓ આપવામાં આવી છે, એ સુચનાઓ વર્ષો પહેલા આપણા પ્રાચીન સાધુ – સંતો દ્વારા આપવામા આવી છે. એક રીતે જોતા સમગ્ર વિશ્વ અત્યારે “સનાતન ધર્મ” તરફ પાછું વળી રહ્યુ હોઈ એવુ લાગી રહ્યુ છે. અત્યારે સમગ્ર વિશ્વએ આ આપતિને અવસરમાં કઈ રીતે ફેરવી શકાય એ માટે આગળ આવવું જોઈએ. આ માટે વ્યક્તિગત અને સામુહિક પ્રયાસો થવા જોઈએ. આ માટે વૈશ્વિક સંસ્થાઓએ પણ આગળ વધવુ જોઈએ.
         ગઈ કાલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીજી એ SAARC દેશોમાં આ વાઈરસ કઈ રીતે ફેલાતો અટકાય એ માટેની એક વિડિયો કોન્ફરંસ યોજી જેનાથી આપણે બધા વાકેફ છીએ. પ્રક્રુતિનો નિયમ છે કે જયારે જ્યારે પ્રકુતિ અને મનુષ્ય વચ્ચે સંતુલન ખોરવાશે ત્યારે ત્યારે કોઇ પણ કુદરતિ આપતિ દ્વારા આ સંતુલન પાછુ જાળવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
      અત્યારે વિશ્વના તમામ દેશોમાં હસ્તધુનન ને બદલે “નમસ્તે” કહેવાનો એક સમય પાછો શરુ થયો છે. આપણે તો વર્ષોથી નમસ્તે કહેવાની પરંપરા રાખી છે, પણ વિકાસની અને મોર્ડન દેખાવાની ઘેલછામાં આપણે આપણાં સંસ્કારોને ભુલી ગયા છીએ. “એ ભુલી ગયેલા સંસ્કારોને ફરી યાદ અપાવવા આ કોરોનાપ્રભુ આ પ્રુથ્વી પર અવતરિત થયા છે !”
       અંતમા એટલુ જ કહેવાનુ કે આપ જ્યા પણ હો સ્વસ્થ રહો સાવધાન રહો સુરક્ષિત રહો અને સરકાર દ્વારા વખતોવખત આપવામા આવતી માર્ગ્દર્શિકાઓનુ પાલન કરો.
અમિત ગીરી ગોસ્વામી
બોદવાવ પ્રાથમિક શાળા
તા. સાગબારા જી. નર્મદા

No comments:

Post a Comment